Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંફાગણ
અંક પાંચમો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
સુવર્ણપુરીનાં સુવર્ણ આંગણે
શ્રી દિ. જૈન વિદ્વત્ પરિષદ
* ત્રીજું અધિવેશન *
હર્ષની વાત છે કે શ્રી દિગંબર જૈન વિદ્વત્ પરિષદે પોતાના ત્રીજા વાર્ષિક અધિવેશન
માટે સોનગઢના આમંત્રણને માન આપ્યું છે. સોનગઢમાં પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના
પરિચયનો લાભ મળે– એ ખાસ હેતુપૂર્વક માર્ચ માસની તા. ૭–૮ના રોજ અહીં પરિષદ
પોતાનું વાર્ષિક અધિવેશન કરી રહી છે. આ પ્રસંગ પણ એક મહાન ધર્મપ્રભાવનાનું કારણ
થશે. પરિષદના પ્રમુખ શ્રીમાન પં. શ્રી કૈલાશચંદ્રજી છે. અને તેમના સ્વાગત પ્રમુખ શ્રી
રામજીભાઈ માણેકચંદ દોશી છે.
* * * * *
શ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રમાળા પુ. ૧૭
મોક્ષશાસ્ત્ર અર્થાત્ તત્ત્વાર્થસૂત્ર
* (ગુજરાતી ટીકા) *
શ્રીમાન માન્યવર રામજીભાઈએ ઘણો પરિશ્રમ લઈને આ ટીકાસંગ્રહ તૈયાર કર્યો છે.
તે ગ્રંથમાં પ૦ ઉપરાંત સત્શાસ્ત્રોના આધારો લેવામાં આવ્યા છે. ગ્રંથમાં એકંદર ૯૦૦ પાનાં
છે. તેમાં સેંકડો વિષયોનું સુંદર વિવેચનદ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે. આ–બાળગોપાળ સર્વે
મુમુક્ષુઓને આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. પહેલા અધ્યાયના પરિશિષ્ટમાં સમ્યગ્દર્શન–સંબંધી
જે પરિશિષ્ટ છે તે તો મુમુક્ષુઓએ ખાસ અભ્યાસ કરવાયોગ્ય છે. આ ગ્રંથની લાગત કિંમત
લગભગ રૂા. પ–૮–૦ થાય છે છતાં તેની કિંમત માત્ર ૩–૮–૦ રાખવામાં આવી છે.
વાર્ષિક લવાજમ૪૧છુટક અંક
અઢી રૂપિયાશાશ્ચત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *