નથી...છતાં–આજે આપણી પાસે શ્રુતનો જે નાનકડો અંશ વિદ્યમાન છે તે સર્વજ્ઞ પરંપરાથી અવિચ્છિન્નપણે આવેલો
હોવાથી તેનું બિંદુ પણ સિંધુનું કાર્ય કરે છે.
તેઓ અંગો અને પૂર્વોના એકદેશના જ્ઞાતા હતા. તેઓ મહા વિદ્વાન અને શ્રુતવત્સલ હતા. એક વાર તેઓશ્રીને એવો
ભય ઉત્પન્ન થયો કે હવે અંગ–શ્રુત વિચ્છેદ થઈ જશે...આથી તેઓને વિકલ્પ ઉઠયો કે શ્રુતજ્ઞાન અવિચ્છિન્નપણે
જયવંત રહે!...અને શ્રુતનું અવિચ્છિન્નપણે વહન કરી શકે એવા પુષ્પદંત આચાર્ય અને ભૂતબલિ આચાર્ય એ બે
સમર્થ મુનિરાજો ધરસેનાચાર્ય પાસે આવ્યા, તેઓને આચાર્યદેવ પાસેથી જે શ્રુત મળ્યું તે તેઓએ પુસ્તકારૂઢ કર્યું,
અને લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં જેઠ સુદ પ ના રોજ એ પુસ્તક (ષટ્ખંડાગમ) ની શ્રી ભૂતબલિ આચાર્યદેવે
ચતુર્વિધ સંઘ સહિત પૂજા કરી હતી. ત્યારથી તે તિથિએ શ્રુતની પૂજા અને મહોત્સવ ઊજવાય છે અને તે દિવસ
શ્રુતપંચમી તરીકે પ્રસિદ્ધ છે. જૈનશાસનમાં પ્રથમ લખાણરૂપે ષટ્ખંડાગમ લખાયા છે. આચાર્ય ભગવંતોની પરમ
કૃપાથી એ પવિત્ર શ્રુતનો લાભ આજે પણ આપણને મળે છે.
દીધું. અને એ અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા વડે તેઓશ્રીએ બાર અંગ અને ચૌદ પૂર્વના વિચ્છેદને ભૂલાવી દીધો.
તેનો મર્મ જ્ઞાનીને સોંપ્યો છે એટલે કે એકલા શાસ્ત્ર વાંચીને તેનો મર્મ નહિ સમજાય. પણ જ્ઞાનીના સમાગમે
શાસ્ત્રનો મર્મ સમજાશે અને સત્શ્રુતની પ્રાપ્તિ થશે.
આપણું પરમ સૌભાગ્ય છે...એવા શ્રુતમૂર્તિની ઉપાસના વડે આપણને સત્શ્રુતની શીઘ્ર પ્રાપ્તિ થાવ... અને...આત્મ
હિતકારી સત્શ્રુત સદાય જયવંત રહીને જગતનું કલ્યાણ કરો–એ જ મંગળ ભાવના!!!
એટલે કે અવસ્થામાં અશુદ્ધતા છે એમ જણાવે છે. આ રીતે નિશ્ચય અને વ્યવહાર (દ્રવ્ય અને પર્યાય) બંને ન માને
તો જ્ઞાન ખોટું છે, વ્યવહારનય પણ અસ્તિરૂપ છે. વ્યવહારનય છે ખરો પણ તે વ્યવહાર જાણવા પૂરતો છે. જો
વ્યવહારનયને આદરણીય માને તો તેની દ્રષ્ટિ ખોટી છે, અને જો વર્તમાન પૂરતો વ્યવહાર છે તેને ન જ માને તો
જ્ઞાન ખોટું છે. હેય બુદ્ધિએ પણ વ્યવહારને જાણવો પડશે. નિશ્ચયથી વ્યવહાર હેય હોવા છતાં વર્તમાન પૂરતો
વ્યવહારને જાણવો તો પડશે જ. વ્યવહારનું જ્ઞાન વ્યવહારનું જોર બતાવવા