Atmadharma magazine - Ank 044
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
જેઠઃ ૨૪૭૩ઃ ૧૪૭ઃ
હવે વ્યવહાર શ્રુતજ્ઞાન અપેક્ષાએ જોઈએ તો અત્યારે શ્રુતનો ઘણો મોટો ભાગ વિચ્છેદ થઈ ગયો છે અને
તેનો અંશ વિદ્યમાન છે. આજ બાર અંગ ચૌદ પૂર્વના જ્ઞાતા તો નથી પણ એક અંગના પણ પૂર્ણપણે જ્ઞાતા
નથી...છતાં–આજે આપણી પાસે શ્રુતનો જે નાનકડો અંશ વિદ્યમાન છે તે સર્વજ્ઞ પરંપરાથી અવિચ્છિન્નપણે આવેલો
હોવાથી તેનું બિંદુ પણ સિંધુનું કાર્ય કરે છે.
આજે જે પવિત્ર સત્શ્રુત વિદ્યમાન છે તેમાં ‘श्रीषट्खंडागम’ સૌથી પ્રાચીન અને સર્વજ્ઞ પરંપરાથી ચાલી
આવેલા છે. આપણા સૌરાષ્ટ્ર દેશમાં ગીરનાર પર્વતની ચંદ્ર ગુફામાં એક મહામુનિ ધરસેનાચાર્ય ધ્યાન કરતા હતા.
તેઓ અંગો અને પૂર્વોના એકદેશના જ્ઞાતા હતા. તેઓ મહા વિદ્વાન અને શ્રુતવત્સલ હતા. એક વાર તેઓશ્રીને એવો
ભય ઉત્પન્ન થયો કે હવે અંગ–શ્રુત વિચ્છેદ થઈ જશે...આથી તેઓને વિકલ્પ ઉઠયો કે શ્રુતજ્ઞાન અવિચ્છિન્નપણે
જયવંત રહે!...અને શ્રુતનું અવિચ્છિન્નપણે વહન કરી શકે એવા પુષ્પદંત આચાર્ય અને ભૂતબલિ આચાર્ય એ બે
સમર્થ મુનિરાજો ધરસેનાચાર્ય પાસે આવ્યા, તેઓને આચાર્યદેવ પાસેથી જે શ્રુત મળ્‌યું તે તેઓએ પુસ્તકારૂઢ કર્યું,
અને લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં જેઠ સુદ પ ના રોજ એ પુસ્તક (ષટ્ખંડાગમ) ની શ્રી ભૂતબલિ આચાર્યદેવે
ચતુર્વિધ સંઘ સહિત પૂજા કરી હતી. ત્યારથી તે તિથિએ શ્રુતની પૂજા અને મહોત્સવ ઊજવાય છે અને તે દિવસ
શ્રુતપંચમી તરીકે પ્રસિદ્ધ છે. જૈનશાસનમાં પ્રથમ લખાણરૂપે ષટ્ખંડાગમ લખાયા છે. આચાર્ય ભગવંતોની પરમ
કૃપાથી એ પવિત્ર શ્રુતનો લાભ આજે પણ આપણને મળે છે.
ત્યારપછી અધ્યાત્મ શાસ્ત્રો રચાયાં. આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા મહા સમર્થ આચાર્ય ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવે સમયસાર વગેરે પરમ અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરી તેમાં સર્વજ્ઞદેવોની દિવ્યવાણીનું રહસ્ય સમાવી
દીધું. અને એ અપૂર્વ શ્રુતની પ્રતિષ્ઠા વડે તેઓશ્રીએ બાર અંગ અને ચૌદ પૂર્વના વિચ્છેદને ભૂલાવી દીધો.
આ રીતે, જેમ નિશ્ચય શ્રુતજ્ઞાન આજે અવિચ્છિન્નપણે વર્તે છે તેમ, વ્યવહાર શ્રુત (દ્રવ્યશ્રુત) પણ
અવિચ્છિન્નપણે વર્તી રહ્યું છે. પરંતુ–
આજે આપણી પાસે વિપુલ શ્રુત ભંડાર શાસ્ત્રરૂપે વિદ્યમાન હોવા છતાં,–તેનો અંતરંગ મર્મ તો શ્રુતજ્ઞાની
પુરુષોના હૃદયમાં ભરેલો છે. એકાવતારી જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી કહી ગયા છે કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ
તેનો મર્મ જ્ઞાનીને સોંપ્યો છે એટલે કે એકલા શાસ્ત્ર વાંચીને તેનો મર્મ નહિ સમજાય. પણ જ્ઞાનીના સમાગમે
શાસ્ત્રનો મર્મ સમજાશે અને સત્શ્રુતની પ્રાપ્તિ થશે.
णवी होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो।
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।। ६।।
સત્શ્રુતના આ એક જ સૂત્રમાં ભરેલા બાર અંગ અને ચૌદ પૂર્વના મૂળભૂત રહસ્યોને તો સાક્ષાત્ શ્રુતમૂર્તિ
જ્ઞાનીઓ જ પ્રગટ કરી શકે. આજે એવા શ્રુતમૂર્તિ સદ્ગુરુદેવ પાસેથી આપણને એ શ્રુતનું રહસ્ય મળી રહ્યું છે તે
આપણું પરમ સૌભાગ્ય છે...એવા શ્રુતમૂર્તિની ઉપાસના વડે આપણને સત્શ્રુતની શીઘ્ર પ્રાપ્તિ થાવ... અને...આત્મ
હિતકારી સત્શ્રુત સદાય જયવંત રહીને જગતનું કલ્યાણ કરો–એ જ મંગળ ભાવના!!!
* * * * * * *
જો કે વ્યવહારનય અભૂતાર્થ છે તો પણ
વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ
કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. (સમયસાર ગાથા ૪૬ ટીકા)
(તા. ૧પ–૧૨–૪૪ના રોજ થયેલ વ્યાખ્યાનમાંથી)
નિશ્ચય અને વ્યવહાર એ બે નયો છે, તેમાં નિશ્ચયનય એમ બતાવે છે કે કોઈ દ્રવ્યને કોઈ દ્રવ્યનો સંબંધ
નથી. એટલે કે દ્રવ્ય શુદ્ધ જ છે, તોપણ–વ્યવહારનય એક દ્રવ્યને બીજા દ્રવ્યનો સંબંધ વર્તમાન પૂરતો બતાવે છે
એટલે કે અવસ્થામાં અશુદ્ધતા છે એમ જણાવે છે. આ રીતે નિશ્ચય અને વ્યવહાર (દ્રવ્ય અને પર્યાય) બંને ન માને
તો જ્ઞાન ખોટું છે, વ્યવહારનય પણ અસ્તિરૂપ છે. વ્યવહારનય છે ખરો પણ તે વ્યવહાર જાણવા પૂરતો છે. જો
વ્યવહારનયને આદરણીય માને તો તેની દ્રષ્ટિ ખોટી છે, અને જો વર્તમાન પૂરતો વ્યવહાર છે તેને ન જ માને તો
જ્ઞાન ખોટું છે. હેય બુદ્ધિએ પણ વ્યવહારને જાણવો પડશે. નિશ્ચયથી વ્યવહાર હેય હોવા છતાં વર્તમાન પૂરતો
વ્યવહારને જાણવો તો પડશે જ. વ્યવહારનું જ્ઞાન વ્યવહારનું જોર બતાવવા