Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
ઃ ૧૬૬ઃ આત્મધર્મઃ ૪પ
વર્ષ ચોથુંસળંગ અંકઅષાઢઆત્મધર્મ
અંક નવમો૪પર૪૭૩
કેટલું જીવ્યા? કેવી રીતે જીવવું?
લેખકઃ ખીમચંદ જેઠાલાલ શાહ
સ્વરૂપની ભ્રમણા અર્થાત્ વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું ન માનતાં વિપરીત માનવું, સ્વની સાવધાની ચૂકી
પરમાં સાવધાની કરવી, એ રૂપ મિથ્યાત્વ, સ્વને ભૂલી પરનું જ્ઞાન કરવા રૂપ અજ્ઞાન અથવા પરનાં જીવન–મરણ
સુખ–દુઃખ, ઉપકાર–અપકાર હું કરું અને પર જીવો મારાં જીવન–મરણ આદિ કરે એવા આશય રૂપ અજ્ઞાન,
આત્મસ્વભાવમાં રમણતા–લીનતા કરવાને બદલે પરમાં લીનતા કરવારૂપ મિથ્યાચરણ, શુભાશુભ ઇચ્છા નિરોધને
તપ માનવાને બદલે આહારાદિના ત્યાગમાં તપબુદ્ધિ, પરવસ્તુ મને લાભ કરી શકે એવી માન્યતાપૂર્વકનો પરમાં
ઇષ્ટબુદ્ધિરૂપ રાગ, પર વસ્તુ મને નુકશાન કરી શકે એવી માન્યતાપૂર્વકનો પરમાં અનિષ્ટ બુદ્ધિરૂપ દ્વેષ, પરની રુચિ
અને સ્વરૂપની અરુચિરૂપ ક્રોધ, પરનું કિંચિત્ત માત્ર નહિ કરી શકતો હોવા છતાં હું પરનું કરી દઉં એવું માન,
પંચમકાળમાં ધર્મ–આત્મસ્વભાવ કઠિન છે માટે ન સમજી શકાય તેથી બીજું કાંઈક કરવું જોઈએ, પુણ્ય કરતાં કરતાં
ધીમે ધીમે સ્વરૂપ પ્રાપ્તિ થઇ જશે માટે હમણાં તો પુણ્ય જ કરવું એમ સ્વરૂપની આડ મારવારૂપ માયા, પોતાનામાં
અનંત ગુણ ભર્યા છે તેનું લક્ષ ચૂકી પરની–પુણ્યાદિની સંગ્રહ બુદ્ધિરૂપ લોભ, રાગદ્વેષાદિ વિકારોની ઉત્પત્તિરૂપ હિંસા,
પરનું પરિણમન મારે આધીન છે, એમ માનવા રૂપ અસત્ય, પરદ્રવ્ય ને પરભાવને પોતાનાં માનવા રૂપ ચોરી,
આત્મા જે એકલો જ્ઞાયક સ્વરૂપ સ્વતંત્ર છે તેને પરાધીન માનવારૂપ મૈથુન, સંયોગી ભાવ અને સંયોગી પદાર્થો મારા
છે એવી પકડબુદ્ધિરૂપ પરિગ્રહ, દેહાદિની ક્રિયાથી આત્મલાભ, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ–આવી
આવી અનેક પ્રકારની માન્યતા સહિત અજ્ઞાનપણે કેટલું જીવ્યા?
વ્યવહાર જીવનમાં પણ શેર અનાજની જરૂર અને લાખો ખાંડી મેળવવાની ચિંતા, સાડા ત્રણ હાથ ભૂમિની
જરૂર ને મોટી મહેલાતોની ચિંતા, ૨પ–પ૦ વર્ષનું આયુષ્ય ને કરોડો વર્ષની ચિંતા એવી અનેક પ્રકારની એકત્વબુદ્ધિ
રૂપ ચિંતાયુક્ત બનીને કેટલું જીવ્યા?
केटलुं जीव्या’ એ પ્રશ્નનો ઉત્તર આપ્યો. હવે પ્રશ્ન એ છે કે ‘केवी रीते जीववुं’ ?
‘કેટલું જીવ્યા’ વાળી માન્યતાઓનો ત્યાગ કરી તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ, વસ્તુના યથાર્થ સ્વરૂપની
સમજણરૂપ જ્ઞાન, સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર, શુભાશુભ ઇચ્છા નિરોધરૂપ તપ, કોઈ પણ પર મને લાભ કે હાનિ કરી
શકે નહિ માટે તેમના પ્રત્યેનો સમભાવ, અકષાય આત્મસ્વરૂપના લક્ષે રાગાદિની અનુત્પત્તિ થવારૂપ સ્વદયા,
જગતનાં સર્વ દ્રવ્યો પૂર્ણ સ્વતંત્ર છે માટે તેના પરિણમનમાં મારો કિંચિત માત્ર હાથ નથી. હું શુદ્ધ ચિદાનંદ રૂપ, કેવળ
જ્ઞાયક આત્મા છું, પર દ્રવ્ય પરમાણુમાત્ર મારું નથી. હું દ્રવ્યે–ગુણે–પર્યાયે પરિપૂર્ણ છું તેના લક્ષે શુદ્ધતા પ્રગટે છે,
ઇત્યાદિ માન્યતાપૂર્વક જેઓ જીવ્યા તેઓ પરિપૂર્ણ શુદ્ધતાને–અનંત અવ્યાબાધ સુખને પામ્યા છે. જેઓ તે પ્રકારે
વર્તમાનમાં જીવે છે તે અનંત અવ્યાબાધ સુખ પામે છે તથા ભવિષ્યમાં તે પ્રકારે જીવશે તે અનંત અવ્યાબાધ સુખ
પામશે. એવો ત્રણે કાળે એકરૂપ અબાધિત સિદ્ધાંત છે.
જેવી રીતે પુષ્પ કે જેના નસીબમાં દિનકર તણો અસ્ત થતાં પહેલાં કરમાવાનું લખ્યું છે તે
“ડોલન્તું તે પવનલહરીમાં, રમન્તું હતું ને
ફેલાવન્તું સકળ દિશમાં સૌરભ સ્વાત્મની ને
અર્પે શોભા સ્થળ સકળને આત્મ સૌંદર્યથી તે.”
તેવી રીતે ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો હો તો પણ જ્ઞાયક રહી, સ્વભાવનું સૌરભ પ્રસરાવી, તેમાં
પ્રીતિવંત બની, સંતુષ્ટ ને તૃપ્ત થઈ, અસંખ્યાત આત્મપ્રદેશે સૌંદર્ય પ્રગટાવી આપણે પણ જીવન જીવીએ એ
ભાવના...!
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૪–૬–૪૭