સુખ–દુઃખ, ઉપકાર–અપકાર હું કરું અને પર જીવો મારાં જીવન–મરણ આદિ કરે એવા આશય રૂપ અજ્ઞાન,
આત્મસ્વભાવમાં રમણતા–લીનતા કરવાને બદલે પરમાં લીનતા કરવારૂપ મિથ્યાચરણ, શુભાશુભ ઇચ્છા નિરોધને
તપ માનવાને બદલે આહારાદિના ત્યાગમાં તપબુદ્ધિ, પરવસ્તુ મને લાભ કરી શકે એવી માન્યતાપૂર્વકનો પરમાં
ઇષ્ટબુદ્ધિરૂપ રાગ, પર વસ્તુ મને નુકશાન કરી શકે એવી માન્યતાપૂર્વકનો પરમાં અનિષ્ટ બુદ્ધિરૂપ દ્વેષ, પરની રુચિ
અને સ્વરૂપની અરુચિરૂપ ક્રોધ, પરનું કિંચિત્ત માત્ર નહિ કરી શકતો હોવા છતાં હું પરનું કરી દઉં એવું માન,
પંચમકાળમાં ધર્મ–આત્મસ્વભાવ કઠિન છે માટે ન સમજી શકાય તેથી બીજું કાંઈક કરવું જોઈએ, પુણ્ય કરતાં કરતાં
ધીમે ધીમે સ્વરૂપ પ્રાપ્તિ થઇ જશે માટે હમણાં તો પુણ્ય જ કરવું એમ સ્વરૂપની આડ મારવારૂપ માયા, પોતાનામાં
અનંત ગુણ ભર્યા છે તેનું લક્ષ ચૂકી પરની–પુણ્યાદિની સંગ્રહ બુદ્ધિરૂપ લોભ, રાગદ્વેષાદિ વિકારોની ઉત્પત્તિરૂપ હિંસા,
પરનું પરિણમન મારે આધીન છે, એમ માનવા રૂપ અસત્ય, પરદ્રવ્ય ને પરભાવને પોતાનાં માનવા રૂપ ચોરી,
આત્મા જે એકલો જ્ઞાયક સ્વરૂપ સ્વતંત્ર છે તેને પરાધીન માનવારૂપ મૈથુન, સંયોગી ભાવ અને સંયોગી પદાર્થો મારા
છે એવી પકડબુદ્ધિરૂપ પરિગ્રહ, દેહાદિની ક્રિયાથી આત્મલાભ, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ–આવી
શકે નહિ માટે તેમના પ્રત્યેનો સમભાવ, અકષાય આત્મસ્વરૂપના લક્ષે રાગાદિની અનુત્પત્તિ થવારૂપ સ્વદયા,
જગતનાં સર્વ દ્રવ્યો પૂર્ણ સ્વતંત્ર છે માટે તેના પરિણમનમાં મારો કિંચિત માત્ર હાથ નથી. હું શુદ્ધ ચિદાનંદ રૂપ, કેવળ
જ્ઞાયક આત્મા છું, પર દ્રવ્ય પરમાણુમાત્ર મારું નથી. હું દ્રવ્યે–ગુણે–પર્યાયે પરિપૂર્ણ છું તેના લક્ષે શુદ્ધતા પ્રગટે છે,
ઇત્યાદિ માન્યતાપૂર્વક જેઓ જીવ્યા તેઓ પરિપૂર્ણ શુદ્ધતાને–અનંત અવ્યાબાધ સુખને પામ્યા છે. જેઓ તે પ્રકારે
વર્તમાનમાં જીવે છે તે અનંત અવ્યાબાધ સુખ પામે છે તથા ભવિષ્યમાં તે પ્રકારે જીવશે તે અનંત અવ્યાબાધ સુખ
અર્પે શોભા સ્થળ સકળને આત્મ સૌંદર્યથી તે.”