કારણે ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે તથા અન્ય ધર્મબુદ્ધિવાળાને ભણાવે છે. એ પ્રમાણે સમીપવર્તી
ભવ્યજીવોને અધ્યયન કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠી છે.
ઉપયોગને સાધે છે. સ્વરૂપમાં સ્થિર ન રહી શકે ત્યારે ભક્તિવંદનાદિક કાર્યમાં પણ પ્રવર્તે છે, એવા આત્મસ્વભાવના
સાધક સાધુ પરમેષ્ઠી છે.
અર્હંત–સિદ્ધ ભગવાનને તો સંપૂર્ણ રાગાદિકનો નાશ તથા જ્ઞાનની સંપૂર્ણતા થવાથી સંપૂર્ણ વીતરાગવિજ્ઞાન પ્રગટરૂપ
હોય છે; તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એક દેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી એકદેશ
વીતરાગવિજ્ઞાનભાવ સંભવે છે માટે એ પંચપરમેષ્ઠી સ્તુતિ યોગ્ય મહાન જાણવા. આ પંચપરમેષ્ઠીમાં શ્રી અરિહંત
અને સિદ્ધ ભગવાન એ બે દેવ છે અને આચાર્ય–ઉપાધ્યાય તથા સાધુ એ ત્રણે ગુરુ છે.
લાયકાત છે, નિમિત્તકારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તે અનુસાર બાહ્ય સંયોગ–વિયોગ સ્વયં બની આવે છે,
માટે જેને પાપનો ઉદય હોય તેને દેવો કે કોઈ અન્ય સહાયતાનું નિમિત્ત બનતું નથી તથા જેને પુણ્યનો ઉદય હોય તેને
દંડનું કોઈ નિમિત્ત બનતું નથી.
કેમ થાય? કોઈ વેળા જાણપણું હોય તે વેળા પોતાનામાં જો અતિમંદ કષાય હોય તો સહાય વા દંડ દેવાના પરિણામ
જ થતા નથી અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો નથી. વળી મધ્યમ કષાયરૂપ કોઈ દેવને એ કાર્ય કરવાના
પરિણામ થાય છતાં પોતે મદદ આપી શકશે નહિ એવો વિચાર આવે તો તે સહાય કે દંડ આપવાનું નિમિત્ત થાય
નહિ. પોતાની શક્તિ છે એમ લાગે, ધર્માનુરાગરૂપ મંદકષાયના કારણે તેવા જ પરિણામ થાય અને તે સમયમાં અન્ય
જીવના ધર્મ–અધર્મરૂપ કર્તવ્યને જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે વા કોઈ અધર્મીને દંડ દે. પણ એ
પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ નથી.
પોતાને લાભ–નુકશાન થાય એમ માનતા નથી. ધર્મશાસ્ત્રોની રચના થવી તે પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે, પુદ્ગલદ્રવ્યોનું
ધર્મશાસ્ત્રની રચનારૂપે પરિણમન થવા યોગ્ય હોય તો સ્વયં થાય છે, તે વખતે ધર્માત્મા પુરુષોનો વિકલ્પ સ્વયં ત્યાં
નિમિત્તપણે હોય છે. કોઈ તે કાર્યમાં વિઘ્નરૂપ થવા માગે, પરંતુ જો તે કાર્ય પૂરું થવા યોગ્ય હોય તો કોઈ વખતે
જૈનધર્મના અનુરાગી દેવોને તે વિઘ્ન ટાળવાનો ભાવ થઈ આવે છે અને તે વિઘ્ન ટળવા લાયક સંયોગો બની જતાં
વિઘ્ન દૂર થાય છે. એવી ઘટના બને ત્યારે તે દેવોએ સહાયતા કરી એમ ઉપચારથી કહેવાય છે.
મોક્ષમાર્ગમાં ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ
પ્રકારે રાગદ્વેષમોહભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો– વાંચવા–સાંભળવા
યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શૃંગાર–ભોગ કુતૂહલાદિ પોષી રાગભાવનું તથા હિંસાયુદ્ધાદિક પોષી દ્વેષભાવનું વા
અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. કારણ જે રાગદ્વેષ–મોહભાવ
વડે જીવ અનાદિથી દુઃખી થયો તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ હતી જ અને વળી આ