Atmadharma magazine - Ank 058
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 17

background image
વર્ષ પાંચમું : સંપાદક : શ્રાવણ
રામજી માણેકચંદ દોશી
અંક દસમો વકીલ ૨૪૭૪
હ ભવ્ય! છ મહન અભ્યસ કર
માલિની
विरम किमपरेणा कार्यकोलाहलेन
स्वयमपि निभृतः स्रन् पश्य षण्मासमेकम्।
हृदयसरसि पुं सः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किननुपलब्धिर्भाति किंचोपलब्धि।।
३४।।
અર્થ:– હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે?
એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે
નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો
(તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં, જેનું તેજ,
પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે
થાય છે.
ભાવાર્થ:– જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ
અવશ્ય થાય; જો પર વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું
સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ
છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે
એટલો જ વખત લાગે. તેનું થવું તો મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ
શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો
સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે;
તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી
સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.
[શ્રી સમયસારજી પૃ. ૭૬]
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •