Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 17

background image
વર્ષ પાંચમું : સંપાદક : આસો
રામજી માણેકચંદ દોશી
અંક બાર વકીલ ૨૪૭૪
શ્રી ગુરુ શું કરે?
वीतरागं वीतरागं जीवस्य निजस्वस्वरूपो वीतरागं।
मुहुर्मुह गृणनाति वीतरागं स गुरुपदं भासति सदा।।
જીવનું પોતાનું નિજસ્વરૂપ વીતરાગ છે, વીતરાગ છે, વીતરાગ છે; જેઓ તે
વીતરાગ સ્વરૂપનું વારંવાર કથન કરે છે તે જ સદા ગુરુપદે શોભે છે.
××× ××× શ્રીગુરુ જ્ઞાનને સ્થિરિભૂત કરીને પોતાના આત્માને તો
વીતરાગસ્વરૂપ અનુભવે છે; અને જ્યારે કોઈને ઉપદેશ પણ આપે છે ત્યારે અન્ય સર્વે
દૂર કરીને એક જીવનું નિજસ્વરૂપ વીતરાગ છે તેનું જ વારંવાર કથન કરે છે. વીતરાગ
સ્વરૂપ સિવાય બીજો કોઈ અભ્યાસ તેમને નથી, વીતરાગ સ્વરૂપનો જ અભ્યાસ છે.
પોતે પણ અંતરંગમાં પોતાને વીતરાગ સ્વરૂપે અભ્યાસે છે–અનુભવે છે, અને બાહ્યમાં
પણ જ્યારે બોલે છે ત્યારે ‘આત્માનું વીતરાગ સ્વરૂપ છે’ એ જ બોલ બોલે છે. એવા
વીતરાગનો (–વીતરાગી ગુરુનો અથવા વીતરાગ સ્વરૂપી આત્માનો) ઉપદેશ
સાંભળતાં આસન્નભવ્ય જીવને ચોક્કસપણે પોતાના વીતરાગ સ્વરૂપની ઓળખાણ થાય
છે, તેમાં જરા ય સંદેહ નથી. જેમના વચન વિષે વીતરાગતાનું જ કથન છે એવા જૈની
સાધુને આસન્નભવ્ય જીવો ગુરુ કહે છે; કેમ કે તેમના સિવાય બીજા કોઈ પુરુષ એવા
વીતરાગી તત્ત્વનો ઉપદેશ કરતા નથી, તેથી એ પુરુષને જ (–વીતરાગ સ્વરૂપનો
અનુભવ તથા ઉપદેશ કરનારને જ) ગુરુની પદવી શોભે છે, બીજાને શોભતી નથી.–
આમ નિઃસંદેહપણે જાણવું.
–શ્રી આત્મ–અવલોકન પૃ. ૬–૮
છુટક અંક વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
• અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ •