: ૭૪ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
થા. જો સંપૂર્ણ વીતરાગતા ન થઈ શકે તો સંપૂર્ણ વીતરાગ સ્વભાવની શ્રદ્ધા કર, જ્ઞાન કર, અને જો તત્ક્ષણ શ્રદ્ધા
જ્ઞાન પણ ન થઈ શકે તો તેની જિજ્ઞાસા રાખીને સત્દેવ–ગુરુ–શાસ્ત્રના અવલંબન વડે કુદેવાદિ પ્રત્યેના રાગને
છોડ.
આમાં જે શુભરાગ થાય છે તે રાગ કરાવવાનું શાસ્ત્રનું પ્રયોજન નથી, પણ જેટલે અંશે રાગ ટળ્યો તેટલું
જ પ્રયોજન છે. શાસ્ત્રનું મૂળ પ્રયોજન તો જીવને મોક્ષમાર્ગમાં લગાડવાનું છે. સાચા શાસ્ત્રો કોઈ પણ પ્રકારે
જીવને રાગથી અને કુમાર્ગથી છોડાવે છે. રાગની કે કુદેવાદિની પુષ્ટિ કરાવનારું કથન કોઈ પણ વીતરાગી
શાસ્ત્રમાં હોય નહિ. ‘તારાથી શુભરાગ ન થાય તો તું પાપ કરજે અથવા તો કુદેવાદિને માનજે’ –એવું વચન
કોઈ પણ સત્શાસ્ત્રમાં હોય જ નહિ.
અન્ય શાસ્ત્રો સત્શાસ્ત્ર કેમ નથી?
પ્રશ્ન:– સત્શાસ્ત્રોમાં રાગ ઘટાડવાનું પ્રયોજન છે–એમ કહ્યું પરંતુ અન્ય શાસ્ત્રોમાં પણ રાગ ઘટાડવાનું તો
કહ્યું છે, તેથી તેને પણ સત્શાસ્ત્ર કહેવાં પડશે.
ઉત્તર:– સત્શાસ્ત્રોના કોઈપણ કથન રાગની પુષ્ટિ કરાવનારાં હોય જ નહિ. અન્ય શાસ્ત્રોમાં કોઈવાર તો
રાગ ઘટાડવાનું કહે છે અને કોઈવાર રાગ કરવાનું પણ કહે છે અર્થાત્ એક પ્રકારનો રાગ ઘટાડવાનું કહીને
બીજા પ્રકારના રાગની પુષ્ટિ કરાવે છે, એટલે તે તો રાગની પુષ્ટિ કરાવે છે. ભગવાનની ભક્તિમાં જે શુભરાગ
છે તે રાગ કરવાની અન્ય શાસ્ત્રો પુષ્ટિ આપે છે તેથી તે શાસ્ત્રોમાં રાગ ઘટાડવાનો ઉપદેશ યથાર્થ નથી.
શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે એમ જે શાસ્ત્રો કહે તે રાગ કરવાની જ પુષ્ટિ આપે છે, સત્શાસ્ત્રો કદી પણ
રાગથી ધર્મ મનાવો જ નહિ. રાગ ટાળતાં ટાળતાં ધર્મ થાય, પણ રાગ કરતાં કરતાં ધર્મ થાય નહિ. સાચાં
જૈનશાસ્ત્રોમાં તો રાગના એક અંશથી તે સંપૂર્ણ રાગ છોડવાનો જ ઉપદેશ છે. રાગનો એક અંશ પણ રાખવાનો
ઉપદેશ જૈનશાસ્ત્રોમાં હોય જ નહિ. શુભરાગ કરવાની વાત કરી હોય ત્યાં પણ, જે રાગ છે તે કરાવવાનું
પ્રયોજન નથી પરંતુ તીવ્ર રાગ હતો તે ઘટાડવાનું પ્રયોજન છે. વીતરાગી શાસ્ત્રોમાં રાગ છોડવાનો જ આદેશ છે,
રાગ કરવાનો આદેશ નથી. રાગ કહેતાં મિથ્યાતવ, અજ્ઞાન અને કષાય ત્રણે સમજવા. મિથ્યાત્વ પૂર્વકનો રાગ તે
જ અનંતાનુબંધી રાગ છે, તે મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ–દ્વેષ પ્રથમમાં પ્રથમ છોડવા જેવા છે.
સત્શાસ્ત્રમાં શુભરાગનો ઉપદેશ હોય ત્યાં પણ મોક્ષમાગર્નું જ પ્રયોજન છે. પરંતુ રાગ પોતે ધમર્ નથી
પ્રશ્ન:– સત્શાસ્ત્રો તો મોક્ષમાર્ગનો પ્રકાશ કરનાર હોય છે, તો પછી શાસ્ત્રમાં જ્યાં અજ્ઞાનીને શુભરાગ
કરવાની વાત આવે ત્યાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કઈ રીતે આવ્યું? સમ્યગ્દર્શન વગર તો મોક્ષમાર્ગ હોય નહિ!
ઉત્તર:– અજ્ઞાનીને શુભરાગ કરવાનું કહ્યું હોય ત્યાં રાગનું પ્રયોજન નથી પણ કુદેવાદિની માન્યતાથી
છોડાવીને સાચા દેવ–ગુરુ–ધર્મની માન્યતા કરાવવાનું પ્રયોજન છે. ત્યાં તીવ્ર મિથ્યાત્વ અંશે મંદ પડ્યું એ
અપેક્ષાએ તેને વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે, રાગ તે
મોક્ષમાર્ગ નથી તેમ જ તે રાગથી ધર્મ નથી, પણ કુદેવાદિની માન્યતામાં જે તીવ્ર મિથ્યાત્વ છે તે વીતરાગી દેવને
માનતાં મંદ પડે છે, અને સત્ નિમિત્તો હોવાથી સત્ સમજવાનો અવકાશ છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગ
કહેવાય છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર એમ જણાવે છે કે– હે આત્મન્! તું સ્વતંત્ર છો, પૂર્ણ જ્ઞાન–સ્વરૂપ છો; રાગ
તારું સ્વરૂપ નથી.
જ્ઞાનીઓનો ઉપદેશ જીવોને સીધી રીતે કે પરંપરાએ મોક્ષમાર્ગમાં લગાડવા માટે છે
જ્ઞાનીનો ઉપદેશ જીવોના કલ્યાણ માટે હોય છે. કોઈવાર કોઈ જીવ મોક્ષમાર્ગ સમજવાની યોગ્યતાવાળો
ન હોય તો તેને જે રીતે રાગ ઘટે તેવો ઉપદેશ આપે છે. જેમ કોઈ મુનિરાજ પાસે માંસાહારી ભીલ આવીને
ઉપદેશ સાંભળવા બેઠો, હવે જો શ્રી મુનિ તેને મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માંડે તો તેમાં તેને કાંઈ સમજણ પડે
નહિ. તેથી શ્રી મુનિ તેને એમ કહે કે–જો ભાઈ! હરણીયાં વગેરે નિર્દોષ જીવોને મારી નાંખવાથી પાપ છે અને
તેના ફળમાં નરક છે, માટે તું શિકાર છોડી દે અને માંસભક્ષણ છોડી દે, તારું કલ્યાણ થશે!
માંસ છોડી દેવાથી કલ્યાણ થશે–એમ કહ્યું, ત્યાં એવો આશય છે કે તે દુર્ગતિ ન જતાં સ્વર્ગાદિમાં જશે, એ
અપેક્ષાએ તેને કલ્યાણ કહી દીધું છે. અને ભવિષ્યમાં