એટલે એકલા આત્મામાં જો સુખ ન હોય તો શરીર દૂર કરીને પણ સુખ લેવા માંગે નહીં. એટલે શરીરમાં કે
કોઈ સંયોગમાં સુખ નથી પણ આત્મામાં જ સુખ છે, –પણ અજ્ઞાનીને પોતાના સ્વભાવમાં સુખ છે તેનો વિશ્વાસ
બેસતો નથી, એટલે બહારમાં તેના ઉપાય શોધે છે. જો પોતામાં જ સુખનું અસ્તિત્વ ન હોય તો બહારમાં તેનો
આરોપ કરીને શોધે નહિ. જેણે પરમાં અજ્ઞાનભાવે સુખનો આરોપ કર્યો છે તેના પોતામાં અનારોપ–વાસ્તવિક
ખાઈને પ્રાણ છોડે છે. જુઓ, ત્યાં અપમાનના દુઃખ પાસે પ્રાણ છૂટી જાય તે હળવું લાગે છે. પહેલાંં શરીરનો એક
રૂંવાટો ખેંચાય ત્યાં પણ દુઃખ માનતો, તેને બદલે હવે અપમાનમાં દુઃખની કલ્પના થઈ ગઈ છે તેથી શરીર જતું
કરીને પણ તે દુઃખથી છૂટવા માંગે છે. એ પ્રમાણે સંયોગથી છૂટીને સુખી થવા માંગે છે પણ ક્યાં જઈને લક્ષને
થંભાવવું તેનું તેને ભાન નથી. સંયોગથી છૂટીને સુખ લેવા માંગે છે તેનો અર્થ એ થયો કે સંયોગ વગર એકલા
આત્મામાં રહીને સુખી થવાય છે. સંયોગ વગર એકલા આત્મામાં સુખની સત્તા છે. એટલે જો ચૈતન્યસ્વભાવને
ઓળખીને તેના લક્ષે એકાગ્રતા પૂર્વક શરીરાદિ સંયોગનું મમત્વ છોડે તો આત્મામાં યથાર્થ સુખ થાય.
ચૈતન્યસ્વભાવના લક્ષ વગર, માત્ર બાહ્ય સંયોગોથી છૂટીને સુખી થવા માંગે તો તે સુખનો ઉપાય નથી. કેમ કે
સંયોગને લીધે આત્માને દુઃખ નથી તેથી સંયોગ છૂટે તો દુઃખ છૂટે–એમ નથી. સંયોગથી પાર ચૈતન્યસ્વભાવનું
ભાન કરીને જેટલી એકાગ્રતા પ્રગટ કરે તેટલું સુખ પ્રગટે છે. આ જ સુખનો ઉપાય છે.
જ ઝંખના કરે છે; એ સુખ કેમ થાય? શું એ સુખ બહાર પૈસા વગેરેમાંથી આવતું હશે? તો કહે છે કે–ના; તે
સુખ રાગ–દ્વેષરૂપ ભાવકર્મનો નાશ કરતાં પ્રગટે છે. ભાવકર્મનો નાશ કરતાં આઠે પ્રકારના દ્રવ્યકર્મનો નાશ થાય
હોય. પણ તે પરવસ્તુઓમાં સુખની ખોટી કલ્પના અજ્ઞાની જીવે કરી છે; પરમાં સુખ છે નહીં, કદી પરમાં સુખ
જોયું પણ નથી, છતાં મૂઢતાએ કલ્પ્યું છે. અયથાર્થને યથાર્થ માને તેથી કાંઈ પરિભ્રમણનું દુઃખ ટળે નહિ.
સુખસ્વભાવની ખબર નથી તેથી સ્વભાવથી વિરુદ્ધ ભાવ કરી રહ્યો છે, અને તેનાં કારણે આઠ પ્રકારનાં કર્મો
બંધાય છે તેથી આકુળતાનો ભોગવટો કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરે અને સ્વભાવથી વિરુદ્ધ જે રાગ–
દ્વેષના ભાવ તેનો નાશ કરે તો સર્વ કર્મો ટળી જાય અને દુઃખ ટળીને સુખ થાય. જે પરમાંથી સુખ લેવા માગે છે
તે મૂઢ છે.
વિના ખોટા જોરથી સુખ પ્રગટે નહીં.