
લીનતાથી રાગ–દ્વેષ ટાળીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું; તેમની આ સ્થાપના થાય છે. એ અરિહંત ભગવાનની જેમ
પોતાના આત્મામાં જે જીવ ચૈતન્ય ભગવાનની પ્રતિષ્ઠા કરે તે જીવ અલ્પકાળે ભગવાન થયા વિના રહે નહિ.
પોતાના આત્મામાં ચૈતન્ય પ્રભુની સ્થાપના કરવી તે પરમાર્થસ્થાપના છે. બહારમાં ભગવાનની સ્થાપના તો
લીલા છે કે તે સ્વને જાણતાં પરને પણ જાણી લે છે; પણ પરમાં કાંઈ કરે એવી ચૈતન્ય પ્રભુની લીલા નથી.
ક્ષય કરીને અને સમ્યક્ આત્મતત્ત્વને પામીને જે રાગ–દ્વેષનો ક્ષય કરે તે શુદ્ધાત્માને પામે છે. બધાય અરિહંત
ભગવંત એ જ વિધિથી કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પામ્યા છે, તથા બધાય અરિહંત ભગવંતોએ ઉપદેશ પણ એ
જ રીતે કર્યો છે. ભગવાને કહેલા સર્વ પ્રવચનોનો સાર શુદ્ધ આત્મા જ છે. અરિહંત ભગવાન જેવા પોતાના શુદ્ધ
આત્માને જેણે શ્રદ્ધા–જ્ઞાનમાં લીધો તેણે ખરેખર પોતાના આત્મામાં પ્રવચનના સારની સ્થાપના કરી છે.
એટલે કે આસ્રવોને તો બીજો જ જાણે છે. આસ્રવો આત્માથી ભિન્ન છે એટલે આસ્રવોની અપેક્ષાએ આત્મા
બીજો જ છે. “આત્મા આસ્ત્રવોથી બીજો જ છે” આમ ક્યારે કહેવાયું? આસ્રવોથી જુદો પડીને પોતાના સ્વભાવ
તરફ જે આત્મા વળ્યો તે આત્મા આસ્રવથી બીજો જ છે. સ્વસન્મુખ દ્રષ્ટિથી જે જાગ્યો તે ચૈતન્યની વૃદ્ધિને જુએ
છે ને આસ્ત્રવોને ગૌણ કરે છે. નિમિત્તરૂપ જડ કર્મો તો પર છે, તે આત્માથી અત્યંત ભિન્ન છે, ને આસ્રવભાવને
પણ અહીં તો ચૈતન્યથી અત્યંત ભિન્ન બતાવીને શ્રી આચાર્યદેવ કહે છે કે તારી શ્રદ્ધાને વસ્તુ–સ્વભાવની
સન્મુખ બનાવ, વ્યવહારના આશ્રયની શ્રદ્ધા છોડ. વ્યવહાર પોતે નિશ્ચયવડે જણાવા યોગ્ય છે, વ્યવહાર (–
નિષેધમાં જગતના ઘણા જીવોનો વખત ચાલ્યો જાય છે. બાહ્ય પદાર્થોથી તો આત્મા જુદો છે એટલે આત્મા તે
પદાર્થોને ગ્રહતો જ નથી. પરંતુ અહીં તો કહે છે કે ભગવાન આત્મા આસ્રવના વિકારી ભાવોને પણ પોતાના
સ્વભાવમાં ગ્રહતો નથી, આત્મા વિકારથી પણ ભિન્ન છે. અંતરમાં જે પુણ્ય–પાપ થાય છે તે ચૈતન્યના
સ્વભાવથી અન્ય છે, જુદા છે; જો કે આકાશ–ક્ષેત્રની અપેક્ષાએ જુદા નથી પણ સ્વભાવની અપેક્ષાએ જુદા છે.
વિકારીભાવો ચૈતન્યનો સ્વભાવ નથી, માટે તે આત્માથી ભિન્ન છે. આવા આત્મસ્વભાવને ઓળખીને તેમાં
એકાગ્રતા પ્રગટ કરવી તે મોક્ષનો ઉપાય છે.
મૂલ્ય મોકલાશે. આત્મધર્મના ગ્રાહકો પણ કોઈ જિજ્ઞાસુના સરનામા મોકલશે, તો તેમને પણ આત્મધર્મનો અંક
નમૂના તરીકે મોકલાશે, આ સંબંધી પત્ર “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ” એ સરનામે લખવો.
વ્યવસ્થા કરવી.