
નિર્મળ અવસ્થા પ્રગટે છે. પોતે જ્ઞાનાદિ શક્તિનો પિંડ છે તેની સન્મુખ વળતાં શુદ્ધદશા પ્રગટે છે. ચિંતામણિ
ચૈતન્યચમત્કાર શુદ્ધ જ્ઞાનાદિનો જ આધાર છે, તેની પાસેથી જ્ઞાન સિવાય બીજું કાંઈ મંગાય નહિ. રાગની
મહત્તા નથી પણ ચૈતન્યની જ મહત્તા છે. ચૈતન્ય–ચિંતામણિને ચિંતવતાં કેવળજ્ઞાન પ્રગટે છે, એવો તેનો
ચમત્કાર છે.
પરની જરૂર પડે એમ અનાદિકાળથી મિથ્યા માન્યતા કરી રહ્યો છે, તેથી માત્ર વિકારી ભાવ વગર પર્યાયમાં
અનાદિકાળથી ચલાવ્યું નથી. ચૈતન્યચમત્કાર સ્વભાવ તો ક્ષણિક વિકાર વગર જ નભેલો છે. પણ તે સ્વભાવનું
ભાન નથી તેથી પર્યાયમાં વિકારથી ચલાવે છે. અજ્ઞાન–દશામાં પણ શરીરાદિ વગર જ આત્માને ચાલે છે. જીવને
સંયોગરૂપે અનંત શરીર આવ્યા અને પાછા છૂટી ગયા, પણ જીવ તો તે ને તે જ છે, એટલે જીવને શરીર વગર
જ ચાલે છે. જેના વગર એક ક્ષણ પણ નહિ ચાલે એમ માન્યું હતું તે જ પદાર્થ વગર જીવે અનંતકાળ કાઢ્યો છે,
છતાં જીવનો નાશ થઈ ગયો નથી. જીવને પૈસા, સ્ત્રી વગેરે પદાર્થો વગર જ ચાલી રહ્યું છે. અને શરીરનું અંગ
કપાઈ જાય તોપણ આત્માને ચાલે જ છે. શરીરનું અંગ કપાતાં કાંઈ આત્માનું જ્ઞાન કપાઈ જતું નથી તેમજ
ચૈતન્યનો નાશ થઈ જતો નથી.
આત્માને ચાલે છે. કોઈએ પણ પર દ્રવ્યનું કર્યું હોય એવું કદી બન્યું જ નથી. કર્મ વગેરે પર દ્રવ્ય આત્મને
નુકસાન કરે–એવી સ્થૂળ વાત તો દૂર રહો,–એ તો મિથ્યાત્વ છે જ. અને અવસ્થાના ક્ષણિક વિકારથી ત્રિકાળી
આત્મસ્વભાવનું ભાન નથી. ક્ષણિક અવસ્થામાં વિકારથી નુકસાન થાય છે પણ અહીં તો ત્રિકાળી
ચૈતન્યસ્વભાવની વાત છે. ચૈતન્યસ્વભાવને પુણ્ય–પાપથી લાભ તો નથી, અને ત્રિકાળી ચૈતન્યદ્રવ્યને પુણ્ય–
પાપથી નુકસાન પણ થતું નથી. પુણ્ય–પાપથી તે સમયના પર્યાયને નુકસાન થાય છે પણ ત્રિકાળી દ્રવ્યને
નુકસાન થતું નથી. પર્યાયના ક્ષણિક વિકારથી ત્રિકાળી ચૈતન્યસ્વભાવને નુકસાન થયું એમ માનવું તે પર્યાયદ્રષ્ટિ
છે, પર્યાયદ્રષ્ટિથી જ મિથ્યાત્વ છે. માટે તું પુણ્ય–પાપની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી ચૈતન્યસ્વભાવને જ દ્રષ્ટિમાં
સ્વીકાર. હે પ્રભાકરભટ્ટ! તું સિદ્ધમાં ને તારા આત્મામાં કાંઈ ભેદ ન પાડ. સિદ્ધ જેવો સ્વભાવ અને તેવી જ
અવસ્થાનું સામર્થ્ય તારામાં ત્રિકાળ છે. તારું પદ સદા સિદ્ધસમાન છે.–એમ આત્માને ઓળખ. પર્યાયદ્રષ્ટિ છોડીને
અત્યારે જ તારા આત્માને સિદ્ધસમાન પૂરો ધ્યાવ.
ચૈતન્યચમત્કારનું ધ્યાન તે જ મુક્તિનો ઉપાય છે.