અનુભવમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, તે સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ–ગુરુ વગેરે
નિમિત્તથી તો સમ્યગ્દર્શન થતું નથી, દયા–પૂજાના ભાવરૂપ પુણ્યથી પણ સમ્યગ્દર્શન થતું નથી ને
નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધાથી પણ સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વને બરાબર માને તે પણ હજી તો પુણ્ય
ચોથા ગુણસ્થાનથી જ થાય છે, ને ત્યાંથી જ અપૂર્વ આત્મધર્મની શરૂઆત થાય છે. આવા
નિશ્ચયસમ્યગ્દર્શન વગર ચોથું ગુણસ્થાન કે ધર્મની શરૂઆત થતી નથી.
શી રીતે?
વિકલ્પ–રહિત થઈને એક અભેદ આત્માની શ્રદ્ધા કરવાની વાત છે. ભૂતાર્થનયના આલંબનથી શુદ્ધ
આત્માને લક્ષમાં લીધા સિવાય વ્યવહારનયના આલંબનમાં ચૈતન્યનું એકપણું પ્રગટ કરવાની તાકાત
નથી.
જ્ઞાનની સ્વસન્મુખ પર્યાય છે, પણ તે અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન નિયમથી હોય છે તેથી અહીં
અનુભૂતિને જ સમ્યગ્દર્શન કહી દીધું છે.
આત્માની અનુભૂતિનું લક્ષણ આત્મખ્યાતિ છે–આત્માની પ્રસિદ્ધિ છે. જીવ–અજીવના નિમિત્ત–નૈમિત્તિક
સંબંધને લક્ષમાં લઈને જોતાં નવતત્ત્વો છે ખરા, તેમને વ્યવહારનય સ્થાપે છે, પણ ભૂતાર્થનય
(શુદ્ધનય) તો એક અભેદ આત્માને જ સ્થાપે છે, જીવ–અજીવના નિમિત્ત–નૈમિત્તિક સંબંધને પણ તે
સ્વીકારતો નથી. આત્મા ત્રિકાળ એકરૂપ સિદ્ધ જેવી મૂર્તિ છે, એવા આત્માની શ્રદ્ધા કરવી તે પરમાર્થ
સમ્યગ્દર્શન છે, તેમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે.
પણ ખબર નથી તેને તો વ્યવહારશ્રદ્ધા પણ નથી, તેની તો અહીં વાત નથી. પરન્તુ કોઈ જીવ નવતત્ત્વને
જાણવામાં જ રોકાઈ જાય પણ નવનું લક્ષ છોડી એક આત્મા તરફ ન વળે, તો તેને પણ સમ્યગ્દર્શન થતું
નથી. નવતત્ત્વની શ્રદ્ધા વચ્ચે આવે છે તેને વ્યવહારશ્રદ્ધા ક્યારે કહેવાય? કે જો નવના વિકલ્પનો આશ્રય
છોડીને, ભૂતાર્થના આશ્રયે આત્માની ખ્યાતિ કરે–આત્માની પ્રસિદ્ધિ કરે–આત્માની અનુભૂતિ કરે તો
નવતત્ત્વની શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધા કહેવાય. અભેદ આત્માની શ્રદ્ધા કરીને પરમાર્થશ્રદ્ધા પ્રગટ કરે તો