આત્માને જાણવા માટે પ્રથમ નવ તત્ત્વોનું જ્ઞાન કરવું જોઈએ. તે નવ તત્ત્વોમાં પ્રથમ જીવ અને અજીવ એ બે
જાતનાં તત્ત્વો અનાદિઅનંત છે, કોઈએ તેને બનાવ્યાં નથી ને તેનો કદી નાશ થતો નથી. જીવ અને અજીવ એ
બે સ્વતંત્ર તત્ત્વો છે અને તે બેના સંબંધે બંનેની અવસ્થામાં સાત તત્ત્વો થાય છે. આત્મામાં પોતાની યોગ્યતાથી
પુણ્ય, પાપાદિ સાત પ્રકારની અવસ્થા થાય છે ને તેમાં નિમિત્તરૂપે અજીવમાં પણ તે સાત પ્રકાર પડે છે.
વર્તમાન અવસ્થામાં જો ભાવબંધન ન હોય તો આનંદનો પ્રગટ અનુભવ હોવો જોઈએ. પણ આનંદનો પ્રગટ
અનુભવ નથી કેમ કે તે પોતાની પર્યાયમાં વિકારના ભાવબંધનથી બંધાયેલો છે. સ્ફટિકના ઊજળા સ્વચ્છ
સ્વરૂપમાં જે રાતી–કાળી ઝાંઈ પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી પણ સ્ફટિકનો વિકાર છે, ઉપાધિ છે, તેમ જીવનો
સ્વચ્છ ચૈતન્યસ્વભાવ છે, તેની અવસ્થામાં જે પુણ્ય–પાપના ભાવ થાય છે ને તેનું સ્વરૂપ નથી પણ વિકાર છે,
બંધન છે; વિકારભાવ તે જીવ–બંધ છે ને તેમાં નિમિત્તરૂપ જડકર્મો છે તે અજીવ–બંધ છે. એ રીતે જીવ–અજીવ
બંનેની અવસ્થા ભિન્ન ભિન્ન છે. જો પર નિમિત્તની અપેક્ષા વગર એકલા આત્માના સ્વભાવથી વિકાર થાય તો
તો તે સ્વભાવ થઈ જાય, ને કદી ટળી શકે નહીં. પણ વિકાર તે જીવની અવસ્થાની ક્ષણિક યોગ્યતા છે ને તેમાં
દ્રવ્યકર્મ નિમિત્તરૂપ છે. નિમિત્તના લક્ષે વિકાર થાય છે, સ્વભાવના લક્ષે વિકાર કે બંધનભાવ થતો નથી.
કર્મો તેની મેળે છૂટી ગયા. જીવ અને અજીવ એ બે ત્રિકાળી તત્ત્વો છે તેને, તેમ જ તેની પર્યાયમાં સાત તત્ત્વરૂપ
પરિણમન થાય છે તેને, –નવે તત્ત્વોને ઓળખવા જોઈએ.
અવસ્થા પ્રગટે તેને મોક્ષ કહે છે તેમ જ અજીવ કર્મો છૂટી જવારૂપ પુદ્ગલની અવસ્થાને પણ મોક્ષ કહેવાય છે.
મોક્ષતત્ત્વને જાણી લીધું તેથી મોક્ષ થઈ જતો નથી, પણ મોક્ષ વગેરે નવે તત્ત્વોને જાણ્યા પછી તે ભેદનો આશ્રય
છોડી અંતરના અભેદસ્વભાવના આશ્રયે મોક્ષદશા પ્રગટે છે.