વિષય નથી; તે નિશ્ચયનયનો વિષય તો વર્તમાન અંશને તથા ભેદને ગૌણ કરીને આખો અનંત ગુણનો પિંડ છે,
ને આ દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે.
શ્રુતપ્રમાણના અનંત નયો કહ્યા છે. અહીં કહેલા નયોનો વિષય એકેક ધર્મ છે ને સમયસારાદિમાં કહેલ દ્રવ્યા
ર્થિકનયનો વિષય તો ધર્મનો ભેદ પાડ્યા વગરની અભેદ વસ્તુ છે. અહીં જેને દ્રવ્યનય કહ્યો છે તે અધ્યાત્મ–
દ્રષ્ટિના કથનમાં તો પર્યાયાર્થિક નયમાં અથવા વ્યવહારનયમાં જાય છે.
જુદી જુદી અપેક્ષાથી જેમ કહ્યું છે તેમ બરાબર સમજવું જોઈએ.
વગેરે ગુણ–પર્યાયના ભેદવાળો પણ જણાય છે, એવો આત્માનો સ્વભાવ છે. પર્યાયનયથી જ્ઞાનાદિ અનંત ગુણ–
પર્યાયના ભેદરૂપે આત્મા ભાસે છે, ને દ્રવ્યનયે એક અભેદરૂપ ચૈતન્યસ્વભાવમાત્ર આત્મા જણાય છે. વસ્તુ એક
છે પણ તેમાં પડખાં અનેક છે. ચીજને જેમ છે તેમ બધા પડખાથી જાણીને નક્કી કરે ત્યાર પછી જ જ્ઞાન તેમાં ઠરે
ને? વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના શેમાં એકાગ્ર થઈને ધ્યાન કરે? જેમ કોઈએ હાથમાં બાણ તો લીધું પણ તે
બાણ મારવું છે કોને? જેને બાણ મારવું છે તે લક્ષ્યને નક્કી ન કર્યું હોય તો બાણ લીધું શા કામનું? પહેલાંં જેના
ઉપર બાણ છોડવું હોય તે લક્ષ્યને બરાબર નક્કી કર્યા પછી જ બાણ છોડે છે; તેમ આત્માનું ધ્યાન કરવા માટે
પહેલાંં તેનું બરાબર જ્ઞાન કરવું જોઈએ. આત્મા જેવો છે તેવો લક્ષમાં લીધા વિના ધ્યાન કોનું કરશે? ઘણા લોકો
કહે છે કે અમારે ધ્યાન કરવું છે. પણ કોનું? ધ્યાનમાં લેવા યોગ્ય આત્માનો સ્વભાવ શું છે તે જાણ્યા વિના તેનું
ધ્યાન કઈ રીતે કરીશ? વસ્તુને યથાર્થજ્ઞાનથી જાણ્યા પછી તે વસ્તુમાં જ્ઞાનની એકાગ્રતા થાય તેનું નામ ધ્યાન
છે. જેને વસ્તુનું સાચું જ્ઞાન જ નથી તેને તો જ્ઞાનની એકાગ્રતારૂપ ધ્યાન પણ હોતું નથી.
અનંત ધર્મો ભર્યા છે એટલે પર્યાયનયે તે દર્શન–જ્ઞાનાદિ ભેદરૂપ છે. દ્રવ્યનયે જોતાં ભેદો ગૌણ થઈને એકરૂપ
ચિન્માત્ર ભાસે છે અને પર્યાયનયે જોતાં દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ ગુણપર્યાયોના ભેદરૂપ પણ ભાસે છે–એવો
આત્માનો સ્વભાવ છે. આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે ભેદો છે તે કાંઈ કલ્પનારૂપ નથી પણ સત્ છે, વસ્તુમાં
કથંચિત્ ગુણભેદ પણ છે; વસ્તુ સર્વથા અભેદ નથી પણ ભેદાભેદરૂપ છે.–એવી વસ્તુ તે જ પ્રમાણનો વિષય છે.
તેનામાં ત્રણકાળે નવી નવી અવસ્થા થયા કરે છે એવો તેનો સ્વભાવ છે. આત્માની કોઈ પર્યાય પરને લીધે થતી
નથી પણ પોતાના પર્યાયસ્વભાવથી જ તેની પર્યાય ત્રણેકાળે