Atmadharma magazine - Ank 094
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
: શ્રાવણ : ૨૪૭૭ : ૨૨૩ :
એ રીતે બંનેના વિષયમાં ઘણો ફેર છે. સમયસારમાં કહેલા શુદ્ધ નિશ્ચયનયનો જે વિષય છે તે આ દ્રવ્યનયનો
વિષય નથી; તે નિશ્ચયનયનો વિષય તો વર્તમાન અંશને તથા ભેદને ગૌણ કરીને આખો અનંત ગુણનો પિંડ છે,
ને આ દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે.
અધ્યાત્મદ્રષ્ટિના નયોમાં તો નિશ્ચય અને વ્યવહાર (અથવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) એવા બે જ
ભાગ પડે છે ને અહીં તો અનંત નયો લેવા છે. ત્યાં બે નયોમાં આખું પ્રમાણ સમાઈ જાય છે ને અહીં તો
શ્રુતપ્રમાણના અનંત નયો કહ્યા છે. અહીં કહેલા નયોનો વિષય એકેક ધર્મ છે ને સમયસારાદિમાં કહેલ દ્રવ્યા
ર્થિકનયનો વિષય તો ધર્મનો ભેદ પાડ્યા વગરની અભેદ વસ્તુ છે. અહીં જેને દ્રવ્યનય કહ્યો છે તે અધ્યાત્મ–
દ્રષ્ટિના કથનમાં તો પર્યાયાર્થિક નયમાં અથવા વ્યવહારનયમાં જાય છે.
આ પરિશિષ્ટમાં જ્ઞાનપ્રધાન વર્ણન છે, પ્રમાણથી વર્ણન છે એટલે બંધ–મોક્ષ પર્યાયને પણ નિશ્ચયમાં
ગણશે, જ્યારે સમયસારાદિમાં કહેલા નિશ્ચયનયના વિષયમાં તો આત્માને બંધ–મોક્ષ છે જ નહિ. આ પ્રમાણે
જુદી જુદી અપેક્ષાથી જેમ કહ્યું છે તેમ બરાબર સમજવું જોઈએ.
દ્રવ્યનયથી આત્મા ચૈતન્યમાત્ર છે એ વાત કરી, હવે તે દ્રવ્યનયની સામે પર્યાયનયની વાત કરે છે.
× × ×
[૨] પર્યાયનયે આત્માનું વર્ણન
અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય છે તે પર્યાયનયે, તંતુમાત્રની માફક, દર્શનજ્ઞાનાદિમાત્ર છે; જેમ વસ્ત્ર
તંતુમાત્ર છે તેમ આત્મા પર્યાયનયે દર્શન–જ્ઞાન–ચારિત્રાદિમાત્ર છે.
પર્યાયનય તે શ્રુતજ્ઞાનનો પ્રકાર છે, તે પર્યાયનયથી જોતાં આત્મદ્રવ્ય દર્શન–જ્ઞાન–ચારિત્રાદિમાત્ર જણાય
છે. દ્રવ્યનયથી અભેદ એકરૂપ ચૈતન્યસ્વભાવમાત્ર જણાય છે ને પર્યાયનયથી તે આત્મા જ્ઞાન–દર્શન–ચારિત્ર
વગેરે ગુણ–પર્યાયના ભેદવાળો પણ જણાય છે, એવો આત્માનો સ્વભાવ છે. પર્યાયનયથી જ્ઞાનાદિ અનંત ગુણ–
પર્યાયના ભેદરૂપે આત્મા ભાસે છે, ને દ્રવ્યનયે એક અભેદરૂપ ચૈતન્યસ્વભાવમાત્ર આત્મા જણાય છે. વસ્તુ એક
છે પણ તેમાં પડખાં અનેક છે. ચીજને જેમ છે તેમ બધા પડખાથી જાણીને નક્કી કરે ત્યાર પછી જ જ્ઞાન તેમાં ઠરે
ને? વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના શેમાં એકાગ્ર થઈને ધ્યાન કરે? જેમ કોઈએ હાથમાં બાણ તો લીધું પણ તે
બાણ મારવું છે કોને? જેને બાણ મારવું છે તે લક્ષ્યને નક્કી ન કર્યું હોય તો બાણ લીધું શા કામનું? પહેલાંં જેના
ઉપર બાણ છોડવું હોય તે લક્ષ્યને બરાબર નક્કી કર્યા પછી જ બાણ છોડે છે; તેમ આત્માનું ધ્યાન કરવા માટે
પહેલાંં તેનું બરાબર જ્ઞાન કરવું જોઈએ. આત્મા જેવો છે તેવો લક્ષમાં લીધા વિના ધ્યાન કોનું કરશે? ઘણા લોકો
કહે છે કે અમારે ધ્યાન કરવું છે. પણ કોનું? ધ્યાનમાં લેવા યોગ્ય આત્માનો સ્વભાવ શું છે તે જાણ્યા વિના તેનું
ધ્યાન કઈ રીતે કરીશ? વસ્તુને યથાર્થજ્ઞાનથી જાણ્યા પછી તે વસ્તુમાં જ્ઞાનની એકાગ્રતા થાય તેનું નામ ધ્યાન
છે. જેને વસ્તુનું સાચું જ્ઞાન જ નથી તેને તો જ્ઞાનની એકાગ્રતારૂપ ધ્યાન પણ હોતું નથી.
જેમ વસ્ત્ર સામાન્યપણે એક હોવા છતાં તે લાંબુ–પહોળું, રંગવાળું તથા તાણાવાણા વાળું–એવા ભેદરૂપે
પણ ખ્યાલમાં આવે છે, તેમ ચૈતન્યબિંબ ભગવાન આત્મા દ્રવ્યરૂપે એક હોવા છતાં તેનામાં દર્શન–જ્ઞાનાદિ
અનંત ધર્મો ભર્યા છે એટલે પર્યાયનયે તે દર્શન–જ્ઞાનાદિ ભેદરૂપ છે. દ્રવ્યનયે જોતાં ભેદો ગૌણ થઈને એકરૂપ
ચિન્માત્ર ભાસે છે અને પર્યાયનયે જોતાં દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ ગુણપર્યાયોના ભેદરૂપ પણ ભાસે છે–એવો
આત્માનો સ્વભાવ છે. આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે ભેદો છે તે કાંઈ કલ્પનારૂપ નથી પણ સત્ છે, વસ્તુમાં
કથંચિત્ ગુણભેદ પણ છે; વસ્તુ સર્વથા અભેદ નથી પણ ભેદાભેદરૂપ છે.–એવી વસ્તુ તે જ પ્રમાણનો વિષય છે.
ત્રણે કાળે પર્યાય થવાનો આત્માનો સ્વભાવ છે. વસ્તુમાં ગુણભેદ પડે તેને પણ પર્યાય કહેવાય છે અને
વિશેષ અવસ્થા થાય તેને પણ પર્યાય કહેવાય છે. દ્રવ્યનયથી વસ્તુ નિત્ય એકરૂપ હોવા છતાં પર્યાયનયથી
તેનામાં ત્રણકાળે નવી નવી અવસ્થા થયા કરે છે એવો તેનો સ્વભાવ છે. આત્માની કોઈ પર્યાય પરને લીધે થતી
નથી પણ પોતાના પર્યાયસ્વભાવથી જ તેની પર્યાય ત્રણેકાળે