
પોતાની પર્યાય થવાનું માને નહિ, પણ દ્રવ્યના આશ્રયે જ પર્યાય થવાનું માને, એટલે તેને પરથી લાભ–નુકસાન
પર્યાયધર્મને ખરેખર જાણ્યો નથી.
છે, કોઈ બીજી ચીજને લીધે તેનો પર્યાયધર્મ થતો નથી. જો બીજો પદાર્થ આત્માની પર્યાય કરે તો આત્માના
પર્યાયધર્મે શું કર્યું? જો નિમિત્તથી પર્યાય થઈ એમ હોય તો આત્માનો પર્યાયધર્મ જ ન રહ્યો! પોતાની અનાદિ
અનંત પર્યાયો પોતાથી જ થાય છે–એમ જો પોતાના પર્યાયધર્મને ન જાણે તો જ્ઞાન પ્રમાણ થાય નહિ. સ્વભાવ
તરફ ઢળતું જ્ઞાન પ્રમાણપૂર્વક જ ઢળે છે; વસ્તુસ્થિતિ જાણીને જ્ઞાન પ્રમાણ થયા વગર તે વસ્તુસ્વભાવમાં ઢળે જ
નહિ એટલે તેને આત્માનો સ્વાનુભવ થાય જ નહિ.
જોઈએ. દ્રવ્યનયથી જો આત્મદ્રવ્યમાં સંસાર હોય તો તે ટળે ક્યાંથી? અને પર્યાયમાં સંસાર છે, તે પર્યાયના
અવલંબને ટળે ક્યાંથી? દ્રવ્યનયે તો આત્માને સંસાર–મોક્ષ નથી, સંસારપર્યાયમાં કે મોક્ષપર્યાયમાં સદાય
આત્મા ચિન્માત્ર જ છે; પરંતુ પર્યાયમાં સંસાર–મોક્ષ છે તેને પર્યાયનય જાણે છે. પણ તે પર્યાયના આશ્રયે સંસાર
ટળતો નથી, દ્રવ્યનો આશ્રય કરતાં સંસારપર્યાય ટળીને મોક્ષપર્યાય થઈ જાય છે; એટલે પર્યાયનયવાળો પણ
પર્યાયબુદ્ધિ રાખીને પર્યાયને નથી જાણતો પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને પર્યાયનું જ્ઞાન કરે છે. દ્રવ્યની દ્રષ્ટિ
વગર એકલી પર્યાયને જાણવા જાય તો તેને પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ થઈ જાય છે. આખા દ્રવ્યના જ્ઞાનપૂર્વક તેના
પર્યાયધર્મને પર્યાયનય જાણે છે, તે પર્યાયનયથી આત્મદ્રવ્ય ગુણ–પર્યાયના ભેદવાળું જણાય છે.
શકે, અથવા વિશેષ બદલતાં સામાન્ય જુદું રહી જાય એટલે સામાન્ય અને વિશેષ સર્વથા જુદા થઈ જાય. પણ
એમ બને જ નહિ, કેમકે સામાન્ય કદી વિશેષ વગર ન હોય અને વિશેષ કદી સામાન્ય વગર ન હોય. વસ્તુ
અનેક ધર્માત્મક છે, સામાન્ય વિશેષ બંનેને એક સાથે ન માનો તો વસ્તુ જ સિદ્ધ ન થાય.
કરીને અભેદ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. જ્યાં અભેદસ્વભાવના
અનુભવમાં વળ્યો ત્યાં આવા ધર્મના ભેદના વિચાર રહેતા નથી.
એક ધર્મને મુખ્ય કરીને વસ્તુને લક્ષમાં લ્યે છે, તે ધર્મ વસ્તુનો છે ને વસ્તુ અનંતધર્મવાળી છે, એટલે નયની
સાથે જ તે અનંતધર્મવાળી વસ્તુનું પ્રમાણજ્ઞાન પણ સાથે જ છે. નય તો અંશને જાણે છે, અંશ કોનો?–કે
અંશીનો. અંશીના જ્ઞાન વગર અંશનું જ્ઞાન યથાર્થ ન થાય. આખી વસ્તુના પ્રમાણજ્ઞાનપૂર્વક તેના એક અંશનું
જ્ઞાન હોય તો જ તેને નય કહેવાય. એ રીતે નય ભેગું પ્રમાણ પણ સાથે જ છે.