Atmadharma magazine - Ank 094
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  

Download pdf file of magazine: http://samyakdarshan.org/DWH
Tiny url for this page: http://samyakdarshan.org/GnvwA1

PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMD Regd No. B. 4787
થયા કરે છે. આત્મામાં પર્યાયધર્મ ક્યારે નથી?–સદાય છે. જો આત્માના પર્યાયધર્મને જાણે તો પરના આશ્રયે
પોતાની પર્યાય થવાનું માને નહિ, પણ દ્રવ્યના આશ્રયે જ પર્યાય થવાનું માને, એટલે તેને પરથી લાભ–નુકસાન
થાય એવી મિથ્યાબુદ્ધિ રહે જ નહિ. જો પરથી પોતાની પર્યાયમાં લાભ–નુકસાન માને તો તેણે આત્માના
પર્યાયધર્મને ખરેખર જાણ્યો નથી.
દ્રવ્યનયે નિગોદથી સિદ્ધ સુધી સદાય આત્મા એકરૂપ છે, ઓછી પર્યાય કે વધારે પર્યાય એવા ભેદ તેનામાં
નથી, પણ પર્યાયનયે તે ભેદરૂપ છે, સંસાર–મોક્ષ એવી પર્યાયરૂપે આત્મા પોતે પરિણમે છે. પર્યાયધર્મ પોતાનો
છે, કોઈ બીજી ચીજને લીધે તેનો પર્યાયધર્મ થતો નથી. જો બીજો પદાર્થ આત્માની પર્યાય કરે તો આત્માના
પર્યાયધર્મે શું કર્યું? જો નિમિત્તથી પર્યાય થઈ એમ હોય તો આત્માનો પર્યાયધર્મ જ ન રહ્યો! પોતાની અનાદિ
અનંત પર્યાયો પોતાથી જ થાય છે–એમ જો પોતાના પર્યાયધર્મને ન જાણે તો જ્ઞાન પ્રમાણ થાય નહિ. સ્વભાવ
તરફ ઢળતું જ્ઞાન પ્રમાણપૂર્વક જ ઢળે છે; વસ્તુસ્થિતિ જાણીને જ્ઞાન પ્રમાણ થયા વગર તે વસ્તુસ્વભાવમાં ઢળે જ
નહિ એટલે તેને આત્માનો સ્વાનુભવ થાય જ નહિ.
જો દ્રવ્યનયથી પણ આત્માને સંસાર હોય તો તે સંસાર નિત્ય રહ્યા જ કરે; અને જો પર્યાયનયથી પણ
આત્માને સંસાર ન હોય તો આત્માની મુક્તિ જ હોવી જોઈએ. માટે બંને નયથી વસ્તુના સ્વરૂપને જાણવું
જોઈએ. દ્રવ્યનયથી જો આત્મદ્રવ્યમાં સંસાર હોય તો તે ટળે ક્યાંથી? અને પર્યાયમાં સંસાર છે, તે પર્યાયના
અવલંબને ટળે ક્યાંથી? દ્રવ્યનયે તો આત્માને સંસાર–મોક્ષ નથી, સંસારપર્યાયમાં કે મોક્ષપર્યાયમાં સદાય
આત્મા ચિન્માત્ર જ છે; પરંતુ પર્યાયમાં સંસાર–મોક્ષ છે તેને પર્યાયનય જાણે છે. પણ તે પર્યાયના આશ્રયે સંસાર
ટળતો નથી, દ્રવ્યનો આશ્રય કરતાં સંસારપર્યાય ટળીને મોક્ષપર્યાય થઈ જાય છે; એટલે પર્યાયનયવાળો પણ
પર્યાયબુદ્ધિ રાખીને પર્યાયને નથી જાણતો પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને પર્યાયનું જ્ઞાન કરે છે.
દ્રવ્યની દ્રષ્ટિ
વગર એકલી પર્યાયને જાણવા જાય તો તેને પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ થઈ જાય છે. આખા દ્રવ્યના જ્ઞાનપૂર્વક તેના
પર્યાયધર્મને પર્યાયનય જાણે છે, તે પર્યાયનયથી આત્મદ્રવ્ય ગુણ–પર્યાયના ભેદવાળું જણાય છે.
દ્રવ્યદ્રષ્ટિથી જે વસ્તુ સામાન્ય એકરૂપ રહે છે તે જ પર્યાયદ્રષ્ટિથી સમયે સમયે અનેરી અનેરી થાય છે; જો
પર્યાયદ્રષ્ટિથી પણ તે એવી ને એવી જ રહ્યા કરતી હોય તો સમયે સમયે જે વિશેષ કાર્ય થાય છે તે જ ન બની
શકે, અથવા વિશેષ બદલતાં સામાન્ય જુદું રહી જાય એટલે સામાન્ય અને વિશેષ સર્વથા જુદા થઈ જાય. પણ
એમ બને જ નહિ, કેમકે સામાન્ય કદી વિશેષ વગર ન હોય અને વિશેષ કદી સામાન્ય વગર ન હોય. વસ્તુ
અનેક ધર્માત્મક છે, સામાન્ય વિશેષ બંનેને એક સાથે ન માનો તો વસ્તુ જ સિદ્ધ ન થાય.
નયથી વિચાર કરનાર પણ, બધા ધર્મોનો સમુદાય તે આત્મા છે–એમ લક્ષમાં રાખીને તેના એકેક ધર્મનો
ભેદ પાડીને નયથી વિચારે છે; તત્ત્વના વિચાર કાળે આવા ધર્મોથી વસ્તુને નક્કી કરવી જોઈએ. તત્ત્વનો નિર્ણય
કરીને અભેદ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે. જ્યાં અભેદસ્વભાવના
અનુભવમાં વળ્‌યો ત્યાં આવા ધર્મના ભેદના વિચાર રહેતા નથી.
નયથી એક ધર્મને જોતાં પણ દ્રષ્ટિમાં તો આખી વસ્તુ આવી જાય છે, અને ત્યારે જ એક ધર્મના જ્ઞાનને
નય કહ્યો. નય કહેતાં જ વસ્તુનું એક પડખું આવ્યું એટલે બીજા પડખા બાકી છે એમ પણ તેમાં આવી ગયું. નય
એક ધર્મને મુખ્ય કરીને વસ્તુને લક્ષમાં લ્યે છે, તે ધર્મ વસ્તુનો છે ને વસ્તુ અનંતધર્મવાળી છે, એટલે નયની
સાથે જ તે અનંતધર્મવાળી વસ્તુનું પ્રમાણજ્ઞાન પણ સાથે જ છે. નય તો અંશને જાણે છે, અંશ કોનો?–કે
અંશીનો. અંશીના જ્ઞાન વગર અંશનું જ્ઞાન યથાર્થ ન થાય. આખી વસ્તુના પ્રમાણજ્ઞાનપૂર્વક તેના એક અંશનું
જ્ઞાન હોય તો જ તેને નય કહેવાય. એ રીતે નય ભેગું પ્રમાણ પણ સાથે જ છે.
એ પ્રમાણે દ્રવ્યનય અને પર્યાયનય એ બે નયથી આત્માનું વર્ણન કર્યું; હવે અસ્તિત્વનય વગેરે સાત
નયોથી આત્માના અસ્તિ–નાસ્તિ વગેરે સાત ધર્મોનું વર્ણન કરે છે. [અપૂર્ણ]
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા,(જિલ્લા અમરેલી) તા. ૩–૮–૫૧