: ભાદરવો : ૨૪૭૭ : ૨૨૭ :
‘આત્મા કોણ છે ને
કઈ રીતે પમાય? ’
[૨]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
[પ્રવચનમાં આ પરિશિષ્ટ એક વખત વંચાઈ ગયા બાદ તુરત જ બીજી વખત તેનું વાંચન થયું હતું.
બીજી વખતના પ્રવચનોનો સાર પણ પહેલી વખતના પ્રવચનોની સાથે ઉમેરી દેવામાં આવ્યો છે.]
[વીર સં. ૨૪૭૭ જેઠ વદ ૩ થી શરૂ]
ગતાંકથી ચાલુ
[૩] અસ્તિત્વનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અસ્તિત્વનયે સ્વદ્રવ્ય ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું છે; લોહમય, દોરી ને કામઠાના
અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ તીરની માફક.
અનંત ધર્મના પિંડરૂપ આખું આત્મદ્રવ્ય તો પ્રમાણનો વિષય છે, અને તેને જ અસ્તિત્વનયે જોતાં તે
અસ્તિત્વવાળું છે. સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી આત્મા અસ્તિત્વવાળો છે, એમ અસ્તિત્વનય સ્વથી અસ્તિને જ
લક્ષમાં લ્યે છે; પરથી આત્મા નાસ્તિત્વરૂપ છે તે વાત નાસ્તિત્વનયમાં આવશે. અસ્તિત્વધર્મને જાણે તે
અસ્તિત્વનય. નાસ્તિત્વધર્મને જાણે તે નાસ્તિત્વનય; પ્રમાણજ્ઞાનથી આખી વસ્તુના સ્વીકારપૂર્વક તેના એક
પડખાંને મુખ્ય કરીને જાણે તેનું નામ નય છે. વસ્તુ પોતાના અનંત ભાવોથી ભરેલી છે, ભાવ વગરની કોઈ
વસ્તુ હોય નહિ. વસ્તુને ઓળખવા માટે તેમાં રહેલા ભાવોને ઓળખવા જોઈએ. વસ્તુના ભાવોને (–ધર્મોને)
જાણ્યા વગર તેની પ્રાપ્તિ થાય નહિ. જેમ બજારમાં કાંઈ વસ્તુ લેવા જાય તો તેના ભાવને જાણે છે તેમ અહીં
ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ કરવા માટે તેમાં રહેલા તેના સ્વ–ભાવોને જાણવા જોઈએ. વસ્તુમાં અનંત સ્વભાવો છે
તેમાંથી આ અસ્તિત્વ સ્વભાવનું વર્ણન ચાલે છે. [સ્વભાવ એટલે વસ્તુનો ધર્મ.]
આત્માનું અસ્તિત્વ છે એમ સામાન્યપણે તો ઘણા માને છે પણ તેનું અસ્તિત્વ કઈ રીતે છે, તેના
સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ કેવા છે? તે જાણ્યા વિના યથાર્થ આત્માનું અસ્તિત્વ જણાય નહિ. આત્માનું અસ્તિત્વ
જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ઓળખીને માને તો તે ખરેખર આસ્તિક કહેવાય, પણ આત્માના અસ્તિત્વને જે
વિપરીતરૂપે માને તે પરમાર્થે નાસ્તિક છે.
આત્મા પોતાના દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી અસ્તિરૂપ છે. આત્માના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ
સમજાવવા માટે અહીં આચાર્યદેવે તીરનું દ્રષ્ટાંત આપ્યું છે: જેમ કોઈ તીર સ્વદ્રવ્યથી લોહમય છે, સ્વક્ષેત્રથી દોરી
અને કામઠાના વચગાળામાં રહેલું છે, સ્વકાળથી સંધાન દશામાં એટલે કે ધનુષ્ય પર ખેંચાયેલી સ્થિતિમાં છે
અને સ્વભાવથી લક્ષ્યોન્મુખ એટલે કે નિશાનની સન્મુખ છે; એ પ્રમાણે તે તીર પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને
ભાવથી અસ્તિત્વવાળું છે, તેમ આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ સ્વચતુષ્ટયથી અસ્તિત્વવાળો છે.
૧. સ્વદ્રવ્ય: જેમ બાણ લોહમય છે તે તેનું સ્વદ્રવ્ય