
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
આચાર્યદેવ કહે છે કે આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયોવાળા શ્રુતજ્ઞાન પ્રમાણ વડે સ્વાનુભવથી તે જણાય
છે. પ્રમાણ વડે જણાતા આત્માનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે
છે; ચાર નયોથી વર્ણન કર્યું તે પૂર્વે આવી ગયું છે, ત્યાર પછી
આગળનું અહીં આપવામાં આવે છે.)
અને પરથી નાસ્તિ–એવા બંને ધર્મો તો આત્મામાં એક સાથે જ છે. વાણીદ્વારા ક્રમથી તે ધર્મોનું કથન થઈ શકે
છે, અને તેના વાચ્યરૂપ એક ‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ ધર્મ પણ આત્મામાં છે, તથા તેને જાણનાર અસ્તિત્વ–
નાસ્તિત્વનય પણ છે. વસ્તુનો ધર્મ, તેને કહેનારી વાણી અને તેને જાણનારું જ્ઞાન–એ ત્રણે સ્વતંત્ર છે, કોઈને
કારણે કોઈ નથી.
આત્માનો એક ધર્મ છે. જો આત્મા સર્વથા અવક્તવ્ય જ હોય તો સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં જે વસ્તુસ્વરૂપ
જણાયું તેની બીજા જીવોને કઈ રીતે ખબર પડે? વળી આત્મા સર્વથા અવક્તવ્ય જ હોય તો ‘આત્મા અવક્તવ્ય
છે’ એટલું કહેવાનું પણ બની ન શકે, કેમ કે ‘આત્મા અવક્તવ્ય છે’ એમ કહ્યું ત્યાં જ કથંચિત્ વક્તવ્યપણું થઈ
ગયું. અહીં આત્માને વક્તવ્ય કહ્યો તેનો અર્થ એમ નથી કે આત્મા કયારેક વાણી બોલી શકે છે. આત્મા ત્રણેકાળે
વાણીને કરી શકતો જ નથી, તેમ જ વાણીથી તે જણાતો પણ નથી; કેમકે વાણી તો જડ છે. આત્મા ‘વાણીથી
વક્તવ્ય છે’ પણ ‘વાણીથી જણાવાયોગ્ય’ નથી;–જણાય છે તો પોતાના જ્ઞાનથી જ.
અને જ્ઞાન પણ તેને એક સાથે જાણે છે.