Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧પઃ
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૩)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૯પ થી ચાલુ)
*
(જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભો! ‘આ આત્મા કોણ
છે ને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય છે?’ તેના ઉત્તરમાં
આચાર્યદેવ કહે છે કે આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયોવાળા શ્રુતજ્ઞાન પ્રમાણ વડે સ્વાનુભવથી તે જણાય
છે. પ્રમાણ વડે જણાતા આત્માનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે
છે; ચાર નયોથી વર્ણન કર્યું તે પૂર્વે આવી ગયું છે, ત્યાર પછી
આગળનું અહીં આપવામાં આવે છે.)
*
(પ) અસ્તિત્વ–નાસ્તિત્વનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વપર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વનાસ્તિત્વવાળું છે.’
(અહીં તીરનું દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
આત્મા સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ છે અને પરચતુષ્ટયથી નાસ્તિરૂપ છે; સ્વથી અસ્તિરૂપ અને પરથી
નાસ્તિરૂપ એવા ‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ ધર્મને જે જાણે તેનું નામ ‘અસ્તિત્વ–નાસ્તિત્વનય’ છે. સ્વથી અસ્તિ
અને પરથી નાસ્તિ–એવા બંને ધર્મો તો આત્મામાં એક સાથે જ છે. વાણીદ્વારા ક્રમથી તે ધર્મોનું કથન થઈ શકે
છે, અને તેના વાચ્યરૂપ એક ‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ ધર્મ પણ આત્મામાં છે, તથા તેને જાણનાર અસ્તિત્વ–
નાસ્તિત્વનય પણ છે. વસ્તુનો ધર્મ, તેને કહેનારી વાણી અને તેને જાણનારું જ્ઞાન–એ ત્રણે સ્વતંત્ર છે, કોઈને
કારણે કોઈ નથી.
વસ્તુમાં એક સાથે અસ્તિ–નાસ્તિધર્મ છે ને વાણીદ્વારા તે કથંચિત્ કહી પણ શકાય છે; આત્મા સર્વથા
અવક્તવ્ય નથી. આત્મા પોતે વાણી બોલી શકતો નથી, પણ વાણીદ્વારા આત્માના ધર્મોનું વર્ણન થઈ શકે એવો
આત્માનો એક ધર્મ છે. જો આત્મા સર્વથા અવક્તવ્ય જ હોય તો સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં જે વસ્તુસ્વરૂપ
જણાયું તેની બીજા જીવોને કઈ રીતે ખબર પડે? વળી આત્મા સર્વથા અવક્તવ્ય જ હોય તો ‘આત્મા અવક્તવ્ય
છે’ એટલું કહેવાનું પણ બની ન શકે, કેમ કે ‘આત્મા અવક્તવ્ય છે’ એમ કહ્યું ત્યાં જ કથંચિત્ વક્તવ્યપણું થઈ
ગયું. અહીં આત્માને વક્તવ્ય કહ્યો તેનો અર્થ એમ નથી કે આત્મા કયારેક વાણી બોલી શકે છે. આત્મા ત્રણેકાળે
વાણીને કરી શકતો જ નથી, તેમ જ વાણીથી તે જણાતો પણ નથી; કેમકે વાણી તો જડ છે. આત્મા ‘વાણીથી
વક્તવ્ય છે’ પણ ‘વાણીથી જણાવાયોગ્ય’ નથી;–જણાય છે તો પોતાના જ્ઞાનથી જ.
આત્મામાં સ્વથી અસ્તિપણું છે તે જ ક્ષણે પરથી નાસ્તિપણું પણ ભેગું જ છે. છદ્મસ્થની વાણીમાં તે બંને
ધર્મો એક સાથે ભલે ન કહી શકાય, પણ ક્રમે ક્રમે તે બંને ધર્મો કહી શકાય છે, વસ્તુમાં તો ધર્મો એક સાથે જ છે,
અને જ્ઞાન પણ તેને એક સાથે જાણે છે.