જડનો માલ ભર્યો છે, તેની ક્રિયામાંથી આત્માના ધર્મનો માલ નહિ મળે. અને ચૈતન્યભગવાન આત્માની દુકાને
અનંતગુણોનો ખજાનો ભર્યો છે, ત્યાંથી જ્ઞાનાદિ ધર્મનો માલ મળશે પણ વિકાર તેમાંથી નહિ મળે.
અફીણ ન મળે. તેમ જેને અફીણ જેવા વિકારી–શુભાશુભભાવો જોઈતા હોય તેને આત્માના સ્વરૂપમાં તે મળે
તેમ નથી; વિકારી ભાવો અને જડની કિયા તે તો અફીણની દુકાન જેવા છે, તેમાંથી ચૈતન્યનો નિર્મળ ધર્મ
મળી શકે તેમ નથી. અને ચૈતન્યમૂર્તિ આત્મા અનંતશક્તિનો ભંડાર છે તે ઝવેરી અને કંદોઈની દુકાન જેવો
છે. આત્માના સ્વરૂપમાં વિકારને સંઘરી રાખે તેવી કોઈ શક્તિ નથી, તેમ જ પૈસા વગેરેને સંઘરી રાખે એવી
પણ કોઈ શક્તિ તેનામાં નથી. આત્માની જીવત્વશક્તિમાં એવી તાકાત છે કે આત્માના ચૈતન્યજીવનને
ત્રિકાળ ટકાવી રાખે, પણ તે જીવત્વશક્તિમાં એવી તાકાત નથી કે તે પૈસાને, શરીરને કે વિકારને આત્મામાં
ટકાવી રાખે. માટે જેને આત્માનું ચૈતન્યજીવન જોઈતું હોય તેણે આત્માની ભાવના કરવી ને વિકારની–
વ્યવહારની ભાવના છોડવી. જેને રાગની–વ્યવહારની ભાવના છે તેને અનંતશક્તિના પિંડ ચૈતન્યની ભાવના
નથી. આત્મા તો પોતાની જ્ઞાનાદિ અનંતશક્તિનો પિંડ છે, તેનામાં બીજા આત્માઓ નથી, બીજાના કોઈ
ગુણો કે પર્યાયો પણ તેનામાં નથી; પોતાના સ્વભાવ સિવાય કોઈ પણ બીજા સંયોગોને આત્મા પોતામાં
ભેળવે એવી તેની તાકાત નથી, અને પર્યાયના ક્ષણિક પુણ્ય–પાપને પણ બીજા સમયે ટકાવી રાખે એવી
એની તાકાત નથી. પહેલા સમયે જે વિકાર થયો તે તો બીજા સમયે ટળી જ જાય, તેને કોઈ પણ આત્મા
ટકાવી ન શકે. પણ પોતે પોતાની નિર્વિકારી અનંતી શક્તિને એક સાથે ત્રિકાળ ટકાવી રાખે એવું આત્માનું
સામર્થ્ય છે. તેમ જ જ્ઞાન–દર્શનથી એક સમયમાં બધાને જાણે–દેખે એવી તેની તાકાત છે, પણ કયાંય
ઘાલમેલ કરવાની કે પરને પોતાનું કરવાની આત્માની તાકાત નથી. આવા ભગવાન આત્માની દુકાને
ચૈતન્યશક્તિ મળે પણ વિકાર ન મળે, એટલે કે આત્મસ્વભાવની સન્મુખ થતાં ચૈતન્યના પરિણમનમાં
અનંતશક્તિઓ નિર્મળપણે પરિણમે છે, પણ વિકાર પરિણમતો નથી.
નહિ, શ્રદ્ધા વિના સ્થિરતા નહિ, સ્થિરતા વિના મુક્તિ નહિ. આત્મામાં થતી એક સમયની ક્ષણિક વિકારી
અવસ્થાને ધ્યાનમાં ન લેતાં એકલા જ્ઞાયક ધુ્રવસ્વભાવને લક્ષમાં લઈ તેમાં ઠર્યો તે તો જ્ઞાતા જ છે. સ્વભાવે
આત્મા નિર્વિકારી, આનંદઘન, સચ્ચિદાનંદસ્વરૂપ, જ્ઞાતા–દ્રષ્ટા, સ્વાવલંબી અને સ્વતંત્ર છે; એવા આત્મા
તરફની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે અને તે સ્વભાવમાં સ્થિરતા થવી તે
સમ્યક્ચારિત્ર છે, આ જ મુક્તિનો માર્ગ છે.
અબંધ, નિર્વિકારી, નિર્મળ, આનંદરૂપ ચૈતન્યજ્યોતિ છે. વર્તમાન અવસ્થામાં પુણ્ય પાપના ક્ષણિક વિકાર
અને મતિ–શ્રુત જ્ઞાનઅવસ્થા વર્તે છે તેના ભેદ રહિત, વિકલ્પરહિત, એકાકાર એકલો જ્ઞાયક ધુ્રવપણે
વર્તમાનમાં પૂરો જણાયો તે તો જ્ઞાતા જ છે. એમ પર નિમિત્તના ભેદ રહિત, ઉપાધિ રહિત, એકાકાર
જ્ઞાયક સામાન્ય ધુ્રવપણે આત્માને ઓળખવો તે જ સમ્યગ્દ્રષ્ટિ–પરમાર્થદ્રષ્ટિ છે, તે જ મોક્ષમાર્ગનું પ્રથમ
પગથિયું છે.