સ્થાપના કરીને આત્મા સમજાવી શકાય છે. શતરંજની સોગઠીમાં ‘આ રાજા, આ હાથી, આ સિપાઈ’ ઇત્યાદિ
પ્રકારે સ્થાપના કરાય છે તેમ કોઈ પણ પુદ્ગલમાં ‘આ આત્મા છે’ એમ સ્થાપના થઈ શકે છે. આત્મામાં તે
જાતનો ધર્મ છે.
છે ને કોઈ વાર સ્થાપના પણ હોય છે. સમજનારને સ્થાપનાનયથી આત્મા આવા પ્રકારના ધર્મવાળો જણાય છે.
તો સાંભળી પણ નહિ હોય.
પુદ્ગલમાં સ્થાપના થઈ શકે તેવા પ્રકારનો ધર્મ આત્મામાં ન હોય તો તેની સ્થાપના જ કયાંથી થાય? માટે
આત્માના તે ધર્મને જો, અને એવા અનંતધર્મો જેનામાં એક સાથે રહેલા છે–એવા તારા આત્માનો મહિમા પ્રગટ
કર. અનંત ધર્મનો પિંડ આત્મા જેવડો છે તેવડો જાણીને, જ્ઞાનમાં તેનું માહાત્મ્ય આવતાં જ્ઞાન સમ્યક્ થાય છે.
એવા સમ્યગ્જ્ઞાન વગર કદી સાચી શાંતિ થતી નથી.
ભાન નથી તે પરનો મહિમા કરીને પરમાં એકાગ્ર થાય છે તેથી તે ભવમાં રખડે છે. ચૈતન્યવસ્તુ જેવી છે તેવી
જાણીને તેના મહિમામાં એકાગ્ર થાય તો કલ્યાણ પ્રગટે. પોતાના કલ્યાણ માટે શિષ્યને જિજ્ઞાસા થઈ છે તેથી
અહીં પ્રશ્ન પૂછયા છે કે પ્રભો! આ આત્મા કેવો છે? તે જિજ્ઞાસુ શિષ્યને સમજાવવા માટે અહીં આચાર્યદેવે
આત્માનું વિશેષ વર્ણન કર્યું છે.
રાજાને અરજી આપવી હોય તો તેમાં ‘નેક નામદાર, મહારાજાધિરાજ,’ વગેરે વિશેષણો લગાડવા પડે છે તેમ જ
ટિકિટ ચોંટાડવી પડે છે; તેમ અહીં ભગવાન આત્મા ચૈતન્યરાજા છે તેને અરજી કરવા માટે–એટલે કે તેનો
અનુભવ કરવા માટે–તેના અનંત ધર્મોરૂપી વિશેષણોથી ઓળખીને તેની રુચિ કરે તો જ તે જવાબ આપે તેવો
છે; જો એક પણ ધર્મને ઓછો માને તો ભગવાન આત્મા જવાબ નહિં આપે એટલે કે તેનો અનુભવ નહિ થાય.
અનંત ધર્મોમાં આત્મા વ્યાપીને રહ્યો છે, પરમાં તે રહ્યો નથી ને તેનામાં પર રહ્યાં નથી. આમ આત્માના ભિન્ન
ધર્મો વડે આત્માને ઓળખીને શ્રદ્ધા કરે તો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય; ત્યારપછી જ આત્મામાં એકાગ્રતા
રૂપ સમ્યક્ચારિત્ર હોય. તેથી આત્માને ઓળખાવવા માટે અહીં તેના ધર્મોનું વર્ણન ચાલે છે.
શબ્દબ્રહ્મવડે કહી શકાય છે. તે પૂર્ણ કહેનાર તીર્થંકર દેવાધિદેવનો ૐધ્વનિ છે તે શબ્દબ્રહ્મ છે. નામનયથી જોતાં
આત્મા દિવ્યધ્વનિને સ્પર્શનારો છે એટલે કે દિવ્યધ્વનિથી તેનું સ્વરૂપ વાચ્ય થાય છે એવો તેનો ધર્મ છે.