Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ ૧૨૪ઃ આત્મધર્મઃ ૧૦૨
મુનિપદ નથી, મુનિપદ તો સંવર–નિર્જરારૂપ દશા છે અને તે દશા ચૈતન્યસ્વભાવના આશ્રયથી જ પ્રગટે છે. તેને
જ અહીં આચાર્યદેવે નિર્વાણની ભક્તિ કહી છે ને એવી ભક્તિથી જ મુક્તિ થાય છે.
અહો! નિયમસારમાં તો સંતોએ અમૃતના દરિયાને ઊછાળ્‌યો છે.
શુદ્ધરત્નત્રયની ભક્તિ કરનારા તે પરમ શ્રાવકોને તેમજ પરમ તપોધનોને જિનવરોએ કહેલી
નિર્વાણભક્તિ એટલે કે અપુનર્ભવરૂપી સ્ત્રીની સેવા વર્તે છે; અપુનર્ભવ એટલે મોક્ષ તેની આરાધના તેમને વર્તે
છે. આવું તત્ત્વ સમજ્યા વિના ‘બહારમાં છોડો છોડો’ એમ કરે તેથી કાંઈ શ્રાવકપણું કે મુનિપણું આવી જાય
નહિ. આત્મામાં અંતર્મુખ થઈને જે શુદ્ધરત્નત્રયની આરાધના કરે તેને જ શ્રાવકપણું અને મુનિપણું હોય છે, તથા
તે જ મોક્ષની ખરી ક્રિયા છે. શરીરની ક્રિયા તો જડની છે અને રાગની ક્રિયા તે આસ્રવ છે, આત્મસ્વભાવના
આશ્રયે પર્યાય પલટીને વીતરાગી પર્યાય પ્રગટી જાય તે ધર્મક્રિયા છે. શ્રમણો તેમ જ શ્રાવકો આવી ક્રિયા કરે છે;
વચ્ચે રાગ હોય તેને ધર્મની ક્રિયા માનતા નથી, તેમ જ બાહ્યમાં દેહાદિની ક્રિયાને તેઓ પોતાની માનતા નથી.
અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધરભગવાન વગેરે વીસ તીર્થંકરો વિચરે છે, તેમજ કેવળીભગવંતોના
ટોળેટોળાં ત્યાં બિરાજે છે, ત્યાં તીર્થંકરોનો અને કેવળીભગવંતોનો કદી વિરહ નથી; આત્માના અસંખ્ય પ્રદેશે
તેમને અનંત ચૈતન્ય દીવડા પ્રગટી ગયા છે, એવા અનંત અનંત જિનેશ્વરોએ આવી શુદ્ધ રત્નત્રયની ભક્તિ
કરનારા શ્રમણો તથા શ્રાવકોને નિર્વાણ–ભક્તિ કહી છે. સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતારૂપ શુદ્ધ રત્નત્રયની
આરાધના તે જ મુક્તિની ભક્તિ છે એટલે તેના વડે જ મુક્તિ થાય છે એમ જિનદેવો કહે છે. આવા શુદ્ધ
રત્નત્રયની ભક્તિ કરનારા શ્રમણો તેમજ શ્રાવકો ખરેખર ભક્ત છે....ભક્ત છે.
अहो! चिदात्माना भक्त ते श्रमणो अने श्रावको–नो जय हो.........तेमने भक्तिथी वंदन हो.
* * *
મોરબીમાં શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે સૌરાષ્ટ્રમાં સત્ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી
જાય છે અને ઠેરઠેર જિનમંદિર થવા લાગ્યા છે. ફાગણ વદ બીજ ને ગુરુવારના મંગલ દિને મોરબી શહેરમાં શ્રી
જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. ખાતમુહૂર્તનો વિધિ કરાવવા માટે સોનગઢથી બ્ર. ભાઈશ્રી ગુલાબચંદજી આવ્યા
હતા.
સવારમાં ગાજતે–વાજતે પ્રભાતફેરી નીકળી હતી અને પછી પૂજનાદિ વિધિ બાદ સેંકડો મુમુક્ષુઓના
ઘણા ઉલ્લાસ વચ્ચે શેઠ શ્રી મોહનલાલ વાઘજીભાઈ તથા તેમના ધર્મપત્ની વૃજકુંવરબેને જિનમંદિરનું ખાત–
મુહૂર્ત કર્યું હતું. આવું મંગલકાર્ય કરવાનું સૌભાગ્ય પોતાને મળ્‌યું તે બદલ શેઠ મોહનલાલભાઈએ પોતાનો
આનંદ વ્યક્ત કર્યો હતો અને આજની પ્રભાવના તથા સ્વામીવાત્સલ્યનું ખર્ચ, તેમજ જિનમંદિરના સમસ્ત
પ્રતિમાજીઓનું ખર્ચ તેમણે પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત મોરબીના પ્રસિદ્ધ
કાર્યકર્તા ડો. જયંતીલાલ નરભેરામ પારેખે પણ આ પ્રસંગમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો અને આ પ્રસંગે
મંગલ તરીકે રૂ. ૧૦૦૧ પોતાના તરફથી શ્રી જિનમંદિર–ફંડમાં આપ્યા હતા. ખાતમુહૂર્ત બાદ શેઠ શ્રી
મોહનલાલભાઈ તથા રતિલાલભાઈ વગેરેએ પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મોરબીના
આંગણે ભગવાન પધારે તે આપણું અહોભાગ્ય છે! ભગવાન અને ભગવાનના જિન મંદિરને માટે જેટલા
તન–મન–ધન ખરચાય તે સફળ છે.’
મોરબીમાં આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે ત્યાંનાં મુમુક્ષુઓને ધન્યવાદ!
* * *
સૂચના
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ તેમ જ શ્રી. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ સંબંધી કાંઈ પણ વસ્તુનું
રેલવે પારસલ, ટપાલ કે બેંકના ચેક વગેરે સંસ્થાના નામથી ન મોકલતાં ‘શાંતિલાલ પોપટલાલ શાહ ઠે. જૈન
સ્વાધ્યાય મંદિર સોનગઢ’ એવા નામથી મોકલવા. સરકારી કામોમાં અરજ–હેવાલ વગેરેમાં સગવડતા રહે.