મુનિપદ નથી, મુનિપદ તો સંવર–નિર્જરારૂપ દશા છે અને તે દશા ચૈતન્યસ્વભાવના આશ્રયથી જ પ્રગટે છે. તેને
જ અહીં આચાર્યદેવે નિર્વાણની ભક્તિ કહી છે ને એવી ભક્તિથી જ મુક્તિ થાય છે.
શુદ્ધરત્નત્રયની ભક્તિ કરનારા તે પરમ શ્રાવકોને તેમજ પરમ તપોધનોને જિનવરોએ કહેલી
છે. આવું તત્ત્વ સમજ્યા વિના ‘બહારમાં છોડો છોડો’ એમ કરે તેથી કાંઈ શ્રાવકપણું કે મુનિપણું આવી જાય
નહિ. આત્મામાં અંતર્મુખ થઈને જે શુદ્ધરત્નત્રયની આરાધના કરે તેને જ શ્રાવકપણું અને મુનિપણું હોય છે, તથા
તે જ મોક્ષની ખરી ક્રિયા છે. શરીરની ક્રિયા તો જડની છે અને રાગની ક્રિયા તે આસ્રવ છે, આત્મસ્વભાવના
આશ્રયે પર્યાય પલટીને વીતરાગી પર્યાય પ્રગટી જાય તે ધર્મક્રિયા છે. શ્રમણો તેમ જ શ્રાવકો આવી ક્રિયા કરે છે;
વચ્ચે રાગ હોય તેને ધર્મની ક્રિયા માનતા નથી, તેમ જ બાહ્યમાં દેહાદિની ક્રિયાને તેઓ પોતાની માનતા નથી.
તેમને અનંત ચૈતન્ય દીવડા પ્રગટી ગયા છે, એવા અનંત અનંત જિનેશ્વરોએ આવી શુદ્ધ રત્નત્રયની ભક્તિ
કરનારા શ્રમણો તથા શ્રાવકોને નિર્વાણ–ભક્તિ કહી છે. સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતારૂપ શુદ્ધ રત્નત્રયની
આરાધના તે જ મુક્તિની ભક્તિ છે એટલે તેના વડે જ મુક્તિ થાય છે એમ જિનદેવો કહે છે. આવા શુદ્ધ
રત્નત્રયની ભક્તિ કરનારા શ્રમણો તેમજ શ્રાવકો ખરેખર ભક્ત છે....ભક્ત છે.
જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. ખાતમુહૂર્તનો વિધિ કરાવવા માટે સોનગઢથી બ્ર. ભાઈશ્રી ગુલાબચંદજી આવ્યા
હતા.
મુહૂર્ત કર્યું હતું. આવું મંગલકાર્ય કરવાનું સૌભાગ્ય પોતાને મળ્યું તે બદલ શેઠ મોહનલાલભાઈએ પોતાનો
આનંદ વ્યક્ત કર્યો હતો અને આજની પ્રભાવના તથા સ્વામીવાત્સલ્યનું ખર્ચ, તેમજ જિનમંદિરના સમસ્ત
પ્રતિમાજીઓનું ખર્ચ તેમણે પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત મોરબીના પ્રસિદ્ધ
કાર્યકર્તા ડો. જયંતીલાલ નરભેરામ પારેખે પણ આ પ્રસંગમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો અને આ પ્રસંગે
મંગલ તરીકે રૂ. ૧૦૦૧ પોતાના તરફથી શ્રી જિનમંદિર–ફંડમાં આપ્યા હતા. ખાતમુહૂર્ત બાદ શેઠ શ્રી
મોહનલાલભાઈ તથા રતિલાલભાઈ વગેરેએ પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મોરબીના
આંગણે ભગવાન પધારે તે આપણું અહોભાગ્ય છે! ભગવાન અને ભગવાનના જિન મંદિરને માટે જેટલા
તન–મન–ધન ખરચાય તે સફળ છે.’
સ્વાધ્યાય મંદિર સોનગઢ’ એવા નામથી મોકલવા. સરકારી કામોમાં અરજ–હેવાલ વગેરેમાં સગવડતા રહે.