
અનેકાંતપણું છે. અહીં જ્ઞાનમાત્ર ભાવની સાથે રહેલા ધર્મોનું વર્ણન ચાલે છે.
(સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. જેમ આત્મામાં
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, જીવન વગેરે શક્તિઓ છે તેમ આ પ્રભુત્વશક્તિ પણ છે. આત્માના દ્રવ્ય–ગુણ–
પર્યાય ત્રણેમાં પ્રભુતા રહેલી છે. આત્મામાં ક્યાંય પામરતા નથી પણ પ્રભુતા છે; દ્રવ્યમાં પ્રભુત્વ છે,
જ્ઞાનાદિ અનંતગુણોમાં પ્રભુત્વ છે ને પર્યાયમાં પણ પ્રભુત્વ છે. દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી
આત્મા શોભી રહ્યો છે. આત્માના દ્રવ્યની ગુણની કે પર્યાયની પ્રભુતાના પ્રતાપને ખંડિત કરવા કોઈ સમર્થ
નથી. કોઈ નિમિત્ત વગેરે પરવસ્તુથી કે પુણ્યથી આત્મા શોભતો નથી પણ પોતાની અખંડ પ્રભુતાથી જ
આત્મા શોભે છે. જેટલા પ્રભુ થયા તે બધાય પોતાના આત્માની પ્રભુતાને જાણી–જાણીને જ થયા છે,
પ્રભુતા ક્યાંય બહારમાંથી નથી આવી. પામરતામાંથી પ્રભુતા નહિ આવે, પણ આત્મસ્વભાવ ત્રિકાળ
પ્રભુતાનો પિંડ છે તેમાંથી જ પ્રભુતા આવશે.
આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ ચૈતન્યમાત્ર દેખે છે જ.” એટલે પોતાના શુદ્ધચૈતન્ય માત્ર આત્મસ્વભાવને દેખવો તે
જ આ બધાય નયોનું તાત્પર્ય છે.
વર્તમાનપર્યાય જેટલું જ નથી પણ તે તો ત્રણકાળની પર્યાયના સામર્થ્યનો પિંડ છે. વર્તમાન પર્યાય જ જણાય
ને ભૂત–ભવિષ્યની પર્યાયો જ્ઞાનમાં ન જણાય–એમ નથી, વર્તમાન પર્યાયની માફક ભૂત–ભવિષ્યની પર્યાયો
પણ જ્ઞાનમાં જણાય છે. શ્રુતજ્ઞાનથી સામાન્યપણે એમ ખ્યાલમાં આવે છે કે આ દ્રવ્યે પૂર્વે અનંત ભવો કર્યા
છે; ને જો વિશેષ નિર્મળતા થાય તો શ્રુતજ્ઞાનીને પૂર્વના અસંખ્ય વર્ષોના અનેક ભવો ખ્યાલમાં આવી જાય
છે. જીવ અનાદિનો છે ને તેની પર્યાયો પણ અનાદિથી છે. પૂર્વે એકલું દ્રવ્ય જ હતું ને પર્યાયો ન હતી–એમ
નથી, કેમકે પર્યાય વગરનું દ્રવ્ય કદી હોય નહિ. પૂર્વે મોક્ષપર્યાય આ જીવને કદી થઈ નથી, કેમ કે જો
મોક્ષપર્યાય થઈ હોય તો તેને આ સંસાર હોય નહિ; માટે અત્યાર સુધીનો અનાદિકાળ જીવે જુદા જુદા
ભવમાં જ ગાળ્યો છે. આ રીતે શ્રુતજ્ઞાનમાં દ્રવ્યની ભૂત–ભાવિ પર્યાયો પણ પ્રતિભાસે છે. પૂર્વ ભવની
પર્યાયપણે જણાય એવો આત્મામાં ધર્મ છે. એક દ્રવ્યનયમાં આટલું સામર્થ્ય છે કે દ્રવ્યની ભૂત ભવિષ્યની
પર્યાયોને નક્કી કરી શકે; દ્રવ્યમાં આવો જ્ઞેયધર્મ છે ને જ્ઞાનમાં તેવું જાણવાનો ધર્મ છે. આ એક ધર્મને પણ
યથાર્થ નક્કી કરતાં ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ પ્રતીતમાં આવ્યા વગર રહેતું નથી.