પ્રકારનાં પરિણામ નથી આવતા; જેનામાં તે તે જાતની લાયકાત હોય તેને જ તેવા પરિણામ થાય છે. કોઈક
સમ્યગ્દ્રષ્ટિને પણ અનાદિ–સાંત સંસારમાં તેવી જાતના પરિણામ કદી આવતા નથી. અરે, સંસારમાં જેમણે કદી
સ્વર્ગનો કે નરકનો એકપણ ભવ કર્યો ન હોય, અનાદિ નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ પામી જાય–એવા
જીવો પણ હોય છે. જુઓ તો ખરા વિચિત્રતા! કોઈ જીવો તો અનંતવાર સ્વર્ગના ને નરકના અવતાર કરી
ચૂકયા ને કોઈ જીવને અનાદિ–સાંત સંસારમાં સ્વર્ગ કે નરકનો ભવ થાય તેવા પરિણામ જ ન આવ્યા. એક જીવ
તો ચક્રવર્તી કે તીર્થંકર થઈને મોક્ષ પામે છે ને બીજો જીવ સાધારણ રાજા પણ થતો નથી, સાધારણ મનુષ્ય થઈને
જ મોક્ષ પામે છે. જીવોના તે તે જાતના વિકલ્પોની વિચિત્રતા છે. ધર્મીને આવી વિચિત્રતા દેખીને આશ્ચર્ય થતું
નથી, કેમ કે તે એકલી વિચિત્રતાને જ નથી દેખતો, પણ એકરૂપ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિને મુખ્ય રાખીને
પર્યાયની વિચિત્રતાનું જ્ઞાન કરે છે. આવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને જ સંસારના બધા પડખાઓનું ભાન હોય છે ને
તેને જ ‘સંસારભાવના’ હોય છે, એકલી પર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવને ‘સંસારભાવના’ હોતી નથી, સ્વભાવ
શું અને સંસાર શું–એનું જ તેને ભાન નથી. અજ્ઞાનીને પોતાના ધુ્રવસ્વભાવનું ભાન નહિ હોવાથી તે તો
પર્યાયોની વિચિત્રતાને દેખીને રાગ–દ્વેષ અને વિસ્મયતામાં જ અટકી જાય છે, ને જ્ઞાનીને તો સ્વભાવનું ભાન
હોવાથી પર્યાયબુદ્ધિ હોતી નથી, એટલે પર્યાયોની વિચિત્રતા દેખીને તેને વિસ્મયતા થતી નથી પણ ક્ષણે ક્ષણે
વીતરાગતા વધતી જાય છે.
તેની આમાં મુખ્યતા નથી. આવી બાર ભાવના અજ્ઞાનીને યથાર્થ હોતી નથી. અખંડ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ નથી
અને વિચિત્રતાના પરિણામ ઉપર જ જેની રુચિ છે તેને પર્યાયની વિચિત્રતામાં રાગ–દ્વેષ થયા વિના રહેતા નથી.
ધર્મી જીવ સંસારનું સ્વરૂપ વિચારે છે ત્યાં તેને પર્યાયબુદ્ધિ હોતી નથી, પણ ચિદાનંદ સ્વભાવ ઉપરની દ્રષ્ટિપૂર્વક
તેને આ પ્રકારના વિચારની શ્રેણી ચાલે છે તેનું નામ ‘સંસારભાવના’ છે, તેમાં તેને પર્યાયની વિચિત્રતાનું
વિસ્મય થતું નથી.
જેઓ અનાદિકાળથી તિર્યંચ–પંચેન્દ્રિયપણું પામ્યા જ ન હોય, તેને તેવી જાતના ભાવ જ અનાદિથી કદી
આવ્યા ન હોય, ને નિગોદમાંથી નીકળી સીધો મનુષ્ય થઈ મોક્ષ પામી જાય; તથા કોઈ જીવો એવા છે કે બે
ઇન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીના અનંત ભવો કરી ચૂકયા હોય, સાતમી નરકથી માંડીને નવમી ગ્રૈવેયક
સુધીના અનંત ભવ થઈ ગયા હોય એવા પરિણામ તેને આવે.–આવી આ સંસારની વિચિત્રતા છે. ધર્મી
જીવને સ્વ–પરની પર્યાયની અનેક પ્રકારની વિચિત્રતા ખ્યાલમાં આવતાં તેમાં વિસ્મયતા લાગતી નથી કે
પર્યાયબુદ્ધિથી રાગ–દ્વેષ થતા નથી, ‘આમ કેમ?’ એવી શંકાનો પ્રશ્ન તેને થતો નથી. સંસારમાં પર્યાયોની
એવી જ વિવિધતા હોય. આ પ્રમાણે દ્રવ્યના ભાનપૂર્વક ધર્મી જીવ પર્યાયને જાણે છે, તેમાં તેને પર્યાયબુદ્ધિ
નથી. જે જીવ એકલા પરની સામે જોઈને એવા ને એવા તીવ્ર રાગ–દ્વેષમાં વર્તી રહ્યો છે, વીતરાગતાનો અંશ
પણ પ્રગટ કરતો નથી અને કહે છે કે ‘જેમ થવાનું હશે તેમ થશે’–તો તે તો પ્રમાદી અને સ્વચ્છંદી છે, તેને
વસ્તુનું કાંઈ ભાન નથી. ‘જે પર્યાય થવાની હોય તે જ થાય છે, તેને ફેરવી શકાતી નથી’–આમ જે
યથાર્થપણે જાણે તેને દ્રવ્યબુદ્ધિ થયા વિના રહે નહિ. પર્યાય સ્વતંત્ર છે એમ માનનારની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવી
જોઈએ, અને જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય તેને પર્યાયમાં કેટલી વીતરાગતા થઈ જાય? દ્રવ્યસ્વભાવના
મહિમાના જોરે તેને ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી જાય છે ને રાગ–દ્વેષ ઘટતા જાય છે; આવા ધર્મીને વસ્તુસ્વરૂપની
યથાર્થ ભાવના હોય છે.
જ પર્યાય કરું’ એમ જેને પર્યાય