કલ્પના તેને ટળતી નથી અને પોતાના કલ્યાણમાં તેની બુદ્ધિ લાગતી નથી. હજી
તો પરનું કરવાનો બોજો પોતાના માથે માનીને ફરે તે પોતાના કલ્યાણનો
વિચાર કરવા ક્યાંથી નવરો થાય? માટે જેને પોતાનું કલ્યાણ કરવાની ભાવના
હોય તેણે, પરથી મને લાભ–નુકસાન થાય કે હું પરનું કાંઈ ભલું–બુરું હું કરી
સ્વાધીન આત્મસ્વભાવને માન્યે જ છૂટકો છે. પોતાના આત્માને પરથી છૂટો
માને તો પર તરફથી પાછો ફરીને આત્માના આશ્રયે પોતાનું કલ્યાણ કરે.
આત્મા પરનું કાંઈ કરે અથવા તો પરને લીધે આત્માનું હિત થાય–એ વાત તો
દૂર રહો.....પરંતુ......મનના અવલંબને જે શુભ વિકલ્પ ઊઠે તેનાથી પણ
આત્માને ધર્મ કે હિત નથી; શુભ–વિકલ્પ પણ આત્માના ગુણનો રોધક છે.
પુણ્ય–પાપરૂપ વિકારથી આત્મગુણને મદદ થાય–એમ માનનારે ગુણને અને
વિકારને એકમેક માન્યા છે, વિકારથી ભિન્ન આત્મસ્વભાવને તેણે જાણ્યો નથી,
એટલે તેને પણ કલ્યાણ ક્યાંથી પ્રગટે? જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવા આત્માને
નિર્વિકારી આત્મસ્વભાવને જે જાણે તેને જ તેમાં એકાગ્રતા વડે અપૂર્વ
આત્મકલ્યાણ પ્રગટે છે.
જો.....ને તારા પૂર્ણ સ્વરૂપને લક્ષમાં લે... ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી
જશે. બહારમાં તો ભલે ગમે તેમ થાય પણ તું તારા આત્મતત્ત્વને સમજ. તે
સમજવાથી જ તારું કલ્યાણ થશે ને ભવથી નિવેડા આવશે.’ –આત્મા પરનું
તો કાંઈ કરી શકતો નથી છતાં અજ્ઞાની માત્ર અભિમાન કરીને ભવસમુદ્રમાં
ભટકે છે; એવા જીવો ઉપર કરુણા કરીને, તેઓના હિતનો આવો ઉપદેશ
બીજું તો ભલે આવડે કે ન આવડે પણ આ વાત જરૂર સમજવા જેવી છે.
આ સમજ્યા વિના કલ્યાણ થવાનું નથી. જે આ સમજશે તેના ભવથી
નિવેડા આવશે. આત્માનું પોતાનું હિત કરવા માટેની આ વાત છે