Atmadharma magazine - Ank 115
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૧૪૪ઃ આત્મધર્મઃ ૧૧પ
નેમિનાથ ભગવાનની દીક્ષા
સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાનની
દીક્ષા પછી આમ્રવનમાં પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ આઠમ–રવિવાર.
‘वंदितु सव्वसिद्धे......’ એ સૂત્રદ્વારા પૂ. ગુરુદેવશ્રીએ
આ પ્રવચનનું ખાસ મંગલાચરણ કર્યું હતું.
નેમિનાથ ભગવાનના પંચકલ્યાણક ચાલે છે. તેમાં આજે ભગવાનની દિક્ષાનો પ્રસંગ છે. ભગવાને દીક્ષા
લીધી તે દિવસે શ્રાવણ સુદ છઠ્ઠ હતી, આજે આપણે પણ આરોપથી શ્રાવણ સુદ છઠ્ઠ છે, ને ભગવાને આ
આમ્રવનમાં દિક્ષા લીધી છે. ભગવાને કેવી દિક્ષા લીધી તે હવે કહેવાય છે.
શ્રી નેમિનાથ ભગવાન આત્માના ભાનસહિત સ્વર્ગમાંથી શિવાદેવી માતાની કૂંખે આવ્યા હતા.
માતાનાં પેટમાં સવાનવ માસ રહ્યા ત્યારે પણ દેહથી પાર આત્માના ચિદાનંદસ્વભાવનું ભાન હતું.
સમ્યગ્દર્શન અને મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાન તો ભગવાનને પહેલેથી જ હતા. હું જ્ઞાનાનંદ આત્મા છું.,
અનંત જ્ઞાન–દર્શન–આનંદ અને વીર્યની શક્તિથી ભરપુર છું–આમ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય તે
સમ્યગ્દર્શન છે. અખંડ આનંદમૂર્તિ આત્મા, રાગથી ને પરથી ભિન્ન છે–એની પ્રતીત અને અનુભવ પછી જ
મુનિદશા હોય છે. ભગવાનને એવું સમ્યગ્દર્શન તો પહેલેથી જ હતું, ને લગ્નપ્રસંગે વૈરાગ્ય થતાં આત્માના
અવલંબને ભગવાન અનિત્ય વગેરે બાર ભાવના ભાવવા લાગ્યા. બાર ભાવના તો સંવરનિર્જરાનું કારણ
છે; ‘શરીરાદિ અનિત્ય છે’ એમ એકલા પરના લક્ષે અનિત્યભાવના યથાર્થ હોતી નથી, પણ નિત્ય એકરૂપ
એવા ચૈતન્યસ્વભાવના અવલંબને શરીરાદિ અનિત્ય પદાર્થો પ્રત્યેનો રાગ છૂટી જતાં ખરી અનિત્યભાવના
હોય છે. ‘અનિત્યભાવના’ એમ કહેવાય પણ ખરેખર તેમાં ‘અનિત્ય’ નું અવલંબન નથી. પણ નિત્ય
એવા ધુ્રવસ્વભાવનું અવલંબન છે. સમ્યગ્દર્શન વગર બાર ભાવના યથાર્થ હોય નહીં ભગવાને કેવી બાર
ભાવના ભાવી હતી તેની અજ્ઞાનીને ખબર પડે નહિ. ભગવાને તો સમ્યગ્દર્શન સહિત ચિદાનંદસ્વભાવના
અવલંબને બાર ભાવના ભાવી હતી.
અહો! હું ચિદાનંદ નિત્ય છું, ને રાગાદિક ક્ષણિક અનિત્ય છે, તે મારા કાયમી સ્વરૂપમાં ટકનાર નથી;
શરીરાદિનો સંયોગ અને રાગ તે કૃત્રિમ ઉપાધિ અને દુઃખરૂપ છે, મારો જ્ઞાનાનંદ સ્વભાવ તો અકૃત્રિમ નિત્ય
આનંદકંદ છે.–આવી ભાવનાથી શરીરાદિ પ્રત્યેનો રાગ ઘટી જાય તેનું નામ ભાવના છે. તેમાં જે શુભરાગ છે તે
ખરેખર ભાવના નથી. પણ સ્વભાવના અવલંબને જે વીતરાગભાવ થયો તે જ ખરી ભાવના છે, ને તે જ સંવર–
નિર્જરાનું કારણ છે.–ભગવાને આવી ભાવના ભાવી હતી.
અજ્ઞાની જીવોની દ્રષ્ટિ બહારના ગ્રહણ–ત્યાગ ઉપર છે, પણ ખરેખર પરપદાર્થનું ગ્રહણ કે ત્યાગ
આત્મામાં કદી નથી. આત્મામાં ‘ત્યાગોપાદન શૂન્યત્વ’ સ્વભાવ છે. એટલે તે પર વસ્તુના ગ્રહણ–
ત્યાગથી ત્રિકાળ શૂન્ય છે આત્માએ વસ્ત્રને છોડયું અને વસ્ત્ર છોડવાથી મુનિપણું થઈ ગયું–એમ
અજ્ઞાની માને છે, પણ તે બંને વાત જૂઠી છે. આત્મા વસ્ત્રથી તો ત્રણેકાળ ખાલી જ છે, આત્માએ
પોતામાં વસ્ત્રનું ગ્રહણ કદી કર્યું જ નથી, તો પછી આત્મા વસ્ત્રને છોડે એ વાત કયાં રહી? અને વસ્ત્ર
છૂટીને શરી–