દીક્ષા પછી આમ્રવનમાં પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન.
આમ્રવનમાં દિક્ષા લીધી છે. ભગવાને કેવી દિક્ષા લીધી તે હવે કહેવાય છે.
સમ્યગ્દર્શન અને મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાન તો ભગવાનને પહેલેથી જ હતા. હું જ્ઞાનાનંદ આત્મા છું.,
અનંત જ્ઞાન–દર્શન–આનંદ અને વીર્યની શક્તિથી ભરપુર છું–આમ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય તે
સમ્યગ્દર્શન છે. અખંડ આનંદમૂર્તિ આત્મા, રાગથી ને પરથી ભિન્ન છે–એની પ્રતીત અને અનુભવ પછી જ
મુનિદશા હોય છે. ભગવાનને એવું સમ્યગ્દર્શન તો પહેલેથી જ હતું, ને લગ્નપ્રસંગે વૈરાગ્ય થતાં આત્માના
અવલંબને ભગવાન અનિત્ય વગેરે બાર ભાવના ભાવવા લાગ્યા. બાર ભાવના તો સંવરનિર્જરાનું કારણ
છે; ‘શરીરાદિ અનિત્ય છે’ એમ એકલા પરના લક્ષે અનિત્યભાવના યથાર્થ હોતી નથી, પણ નિત્ય એકરૂપ
એવા ચૈતન્યસ્વભાવના અવલંબને શરીરાદિ અનિત્ય પદાર્થો પ્રત્યેનો રાગ છૂટી જતાં ખરી અનિત્યભાવના
હોય છે. ‘અનિત્યભાવના’ એમ કહેવાય પણ ખરેખર તેમાં ‘અનિત્ય’ નું અવલંબન નથી. પણ નિત્ય
એવા ધુ્રવસ્વભાવનું અવલંબન છે. સમ્યગ્દર્શન વગર બાર ભાવના યથાર્થ હોય નહીં ભગવાને કેવી બાર
ભાવના ભાવી હતી તેની અજ્ઞાનીને ખબર પડે નહિ. ભગવાને તો સમ્યગ્દર્શન સહિત ચિદાનંદસ્વભાવના
અવલંબને બાર ભાવના ભાવી હતી.
આનંદકંદ છે.–આવી ભાવનાથી શરીરાદિ પ્રત્યેનો રાગ ઘટી જાય તેનું નામ ભાવના છે. તેમાં જે શુભરાગ છે તે
ખરેખર ભાવના નથી. પણ સ્વભાવના અવલંબને જે વીતરાગભાવ થયો તે જ ખરી ભાવના છે, ને તે જ સંવર–
નિર્જરાનું કારણ છે.–ભગવાને આવી ભાવના ભાવી હતી.
ત્યાગથી ત્રિકાળ શૂન્ય છે આત્માએ વસ્ત્રને છોડયું અને વસ્ત્ર છોડવાથી મુનિપણું થઈ ગયું–એમ
અજ્ઞાની માને છે, પણ તે બંને વાત જૂઠી છે. આત્મા વસ્ત્રથી તો ત્રણેકાળ ખાલી જ છે, આત્માએ
પોતામાં વસ્ત્રનું ગ્રહણ કદી કર્યું જ નથી, તો પછી આત્મા વસ્ત્રને છોડે એ વાત કયાં રહી? અને વસ્ત્ર
છૂટીને શરી–