ગવાયું હતું. ભગવાનને વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવો પોતાનો નિયોગ બજાવવા આવે છે, આવીને ભગવાનની
સ્તુતિ કરે છે ને ભગવાનના વૈરાગ્યનું અનુમોદન કરતાં કહે છે કે “અહો, વૈરાગ્યમૂર્તિ નેમિનાથ ભગવાન!
વિવાહ સમયે વૈરાગ્ય ધારણ કરીને આપશ્રી જગતને વીતરાગતાનો અક ભવ્ય આદર્શ આપી રહ્યા છો. આ
સંસારના ભોગ ખાતર આપનો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર આપનો અવતાર છે. આ ભવ, તન
અને ભોગથી વિરક્ત થઈને આત્માના ચિદાનંદ સ્વભાવમાં પૂર્ણપણે સમાઈ જવા માટે આપ જે વૈરાગ્ય ચિંતન
કરી રહ્યા છો તેને અમારી ભાવભરી અનુમોદના છે.”
સ્વયં દીક્ષિત થાય છે શહેરના બાગમાં ભગવાનનો દીક્ષાપ્રસંગ અત્યંત શોભતો હતો. દીક્ષાપ્રસંગે ભગવાનના
કેશલોચની વિધિ પૂ. ગુરુદેવના સુહસ્તે થઈ હતી. બહુ જ ભક્તિ અને વૈરાગ્યભાવપૂર્વક પૂ. ગુરુદેવે પ્રભુજીનો
કેશલોચ કર્યો હતો. ત્યારબાદ ભગવાન નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા મનઃપર્યયજ્ઞાન
થયું; અને પછી ભગવાન તો વનવિહાર કરી ગયા. દીક્ષાવનમાં પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચન દ્વારા
ભગવાનની દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું હતું, તથા તે ધન્ય અવસરની ભાવના ભાવી હતી. એ પ્રવચન બાદ વનમાં
જ અજમેરની સંગીત મંડળીએ મુનિરાજની ભક્તિ કરી હતી, તેમાં “ઐસે મુનિવર દેખે વનમેં....જાકે રાગ–દ્વેષ
નહિ મનમેં” ઈત્યાદિ ભજનો વડે ભાવભરી ભક્તિ થઈ હતી; પછી ભગવાનના કેશનું સમુદ્રમાં ક્ષેપણ કરવામાં
આવ્યું હતું. બપોરે મુનિરાજ શ્રી નેમિનાથ પ્રભુની ભક્તિ થઈ હતી, રાત્રે સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–
મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી તે જોઈને એ અદ્ભુત પ્રતિષ્ઠા–મહોત્સવના ભક્તિ ભરેલા પ્રસંગોનું
સ્મરણ થતું હતું.
ઉલ્લાસપૂર્ણ હતી. લોકો જાગી જાગીને પ્રભાત–ફેરી નીરખવા બહાર આવતા હતા. આ પ્રભાત–ફેરી દ્વારા મહાવીર
પ્રભુના જન્મનો પાવન સંદેશ શહેરમાં ફેલાઈ ગયો હતો. સવારે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાન શ્રી નેમિનાથ
મુનિરાજના આહારદાનની વિધિ થઈ હતી. ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક ભક્તજનો આહારદાન
દેતા હતા, તે દ્રશ્ય દર્શનીય હતું. આહારદાન પ્રસંગ શેઠ શ્રી છગનલાલ ભાઈચંદને ત્યાં થયો હતો. આ પ્રસંગ ઘણો
ઉલ્લાસમય હતો, અને આહારદાન પછી મુનિરાજ નેમિપ્રભુની ઘણી ભક્તિ થઈ હતી.
અને જયનાદ કરતા હતા. શ્રી જિનેન્દ્રદેવ અને જિનેશ્વરના લઘુનંદનનું આવું ભક્તિભર્યું સુમિલન જોઈને
મુમુક્ષુઓના હૃદયમાં ભક્તિ ઉલ્લસતી હતી.
બિરાજમાન નેમિનાથ ભગવાન બહુ શોભતા હતા. આ પ્રસંગે ભગવાનના દિવ્યધ્વનિરૂપે પૂ. ગુરુદેવે અદ્ભુત
પ્રવચન કર્યું હતું. પ્રવચન પછી સમવસરણની અદ્ભુત ભક્તિ થઈ હતી. રાત્રે સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–
મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
દેવોએ આવીને નિર્વાણ–કલ્યાણક ઊજવ્યો. આ પ્રસંગે ગિરનારજી પર્વતની ઘણી સુંદર રચના થઈ હતી.
પંચકલ્યાણક બાદ, પ્રતિષ્ઠિત થયેલા વર્દ્ધમાનાદિ જિનેન્દ્રભગવંતો જિનમંદિરે પધાર્યા હતા. ભગવાન પધાર્યા