Atmadharma magazine - Ank 127
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: વૈશાખ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૭ : ૧૪૧ :
ચૈત્ર સુદ ૧૨ ના રોજ ભગવાન નેમિનાથ બાર વૈરાગ્યભાવનાઓનું ચિંતવન કરીને દીક્ષા માટે તૈયારી
કરે છે. તે વખતે પાછળથી રાજીમતી પણ અર્જિકા થવાની વૈરાગ્યભાવના ભાવે છે. તેનું ઘણું વૈરાગ્યભર્યું કાવ્ય
ગવાયું હતું. ભગવાનને વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવો પોતાનો નિયોગ બજાવવા આવે છે, આવીને ભગવાનની
સ્તુતિ કરે છે ને ભગવાનના વૈરાગ્યનું અનુમોદન કરતાં કહે છે કે “અહો, વૈરાગ્યમૂર્તિ નેમિનાથ ભગવાન!
વિવાહ સમયે વૈરાગ્ય ધારણ કરીને આપશ્રી જગતને વીતરાગતાનો અક ભવ્ય આદર્શ આપી રહ્યા છો. આ
સંસારના ભોગ ખાતર આપનો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર આપનો અવતાર છે. આ ભવ, તન
અને ભોગથી વિરક્ત થઈને આત્માના ચિદાનંદ સ્વભાવમાં પૂર્ણપણે સમાઈ જવા માટે આપ જે વૈરાગ્ય ચિંતન
કરી રહ્યા છો તેને અમારી ભાવભરી અનુમોદના છે.”
ત્યારબાદ ઈન્દ્રો પાલખી લઈને દીક્ષા–કલ્યાણક ઊજવવા આવે છે. પ્રથમ રાજવીઓ, પછી વિદ્યાધરો ને
પછી દેવો ભગવાનની પાલખી લઈને દીક્ષાવનમાં જાય છે ને ત્યાં સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને ભગવાન
સ્વયં દીક્ષિત થાય છે શહેરના બાગમાં ભગવાનનો દીક્ષાપ્રસંગ અત્યંત શોભતો હતો. દીક્ષાપ્રસંગે ભગવાનના
કેશલોચની વિધિ પૂ. ગુરુદેવના સુહસ્તે થઈ હતી. બહુ જ ભક્તિ અને વૈરાગ્યભાવપૂર્વક પૂ. ગુરુદેવે પ્રભુજીનો
કેશલોચ કર્યો હતો. ત્યારબાદ ભગવાન નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા મનઃપર્યયજ્ઞાન
થયું; અને પછી ભગવાન તો વનવિહાર કરી ગયા. દીક્ષાવનમાં પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચન દ્વારા
ભગવાનની દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું હતું, તથા તે ધન્ય અવસરની ભાવના ભાવી હતી. એ પ્રવચન બાદ વનમાં
જ અજમેરની સંગીત મંડળીએ મુનિરાજની ભક્તિ કરી હતી, તેમાં “ઐસે મુનિવર દેખે વનમેં....જાકે રાગ–દ્વેષ
નહિ મનમેં” ઈત્યાદિ ભજનો વડે ભાવભરી ભક્તિ થઈ હતી; પછી ભગવાનના કેશનું સમુદ્રમાં ક્ષેપણ કરવામાં
આવ્યું હતું. બપોરે મુનિરાજ શ્રી નેમિનાથ પ્રભુની ભક્તિ થઈ હતી, રાત્રે સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–
મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી તે જોઈને એ અદ્ભુત પ્રતિષ્ઠા–મહોત્સવના ભક્તિ ભરેલા પ્રસંગોનું
સ્મરણ થતું હતું.
ચૈત્રસુદ ૧૩ ના રોજ ભગવાન મહાવીર પ્રભુના જન્મ–કલ્યાણક મહોત્સવ નિમિત્તે સવારમાં
વર્દ્ધમાનનગરથી પ્રભાત–ફેરી નીકળીને શહેરના મુખ્ય લત્તાઓમાં ફરી હતી. આ પ્રભાત–ફેરી ઘણી સુંદર અને
ઉલ્લાસપૂર્ણ હતી. લોકો જાગી જાગીને પ્રભાત–ફેરી નીરખવા બહાર આવતા હતા. આ પ્રભાત–ફેરી દ્વારા મહાવીર
પ્રભુના જન્મનો પાવન સંદેશ શહેરમાં ફેલાઈ ગયો હતો. સવારે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ભગવાન શ્રી નેમિનાથ
મુનિરાજના આહારદાનની વિધિ થઈ હતી. ભગવાનને પડગાહન કરીને નવધાભક્તિપૂર્વક ભક્તજનો આહારદાન
દેતા હતા, તે દ્રશ્ય દર્શનીય હતું. આહારદાન પ્રસંગ શેઠ શ્રી છગનલાલ ભાઈચંદને ત્યાં થયો હતો. આ પ્રસંગ ઘણો
ઉલ્લાસમય હતો, અને આહારદાન પછી મુનિરાજ નેમિપ્રભુની ઘણી ભક્તિ થઈ હતી.
બપોરે પરમ પૂજ્ય સદ્ગુરુદેવના પરમ પાવન હસ્તે સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસવિધિ થયો હતો. પૂ.
ગુરુદેવે ઘણા ભાવપૂર્વક સર્વે જિનબિંબો ઉપર અંકન્યાસવિધિ કર્યો હતો; તે જોઈને ભક્તો ઘણા આનંદથી ભક્તિ
અને જયનાદ કરતા હતા. શ્રી જિનેન્દ્રદેવ અને જિનેશ્વરના લઘુનંદનનું આવું ભક્તિભર્યું સુમિલન જોઈને
મુમુક્ષુઓના હૃદયમાં ભક્તિ ઉલ્લસતી હતી.
બપોરે ભગવાનના કેવળજ્ઞાન–કલ્યાણકનો મહોત્સવ થયો હતો. ભગવાનને કેવળજ્ઞાન થતાં
સમવસરણની સુંદર રચના થઈ હતી. વિધવિધ શણગારથી રચાયેલા સમવસરણની મધ્યમાં ગંધકુટી ઉપર
બિરાજમાન નેમિનાથ ભગવાન બહુ શોભતા હતા. આ પ્રસંગે ભગવાનના દિવ્યધ્વનિરૂપે પૂ. ગુરુદેવે અદ્ભુત
પ્રવચન કર્યું હતું. પ્રવચન પછી સમવસરણની અદ્ભુત ભક્તિ થઈ હતી. રાત્રે સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા–
મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ચૈત્ર સુદ ૧૩ (બીજી) ના રોજ સવારમાં ગિરનાર ઉપરથી ભગવાનના નિર્વાણકલ્યાણકનું દ્રશ્ય થયું હતું.
ગિરનાર ઉપર ભગવાન બિરાજમાન છે ને પછી યોગનિરોધ કરીને ભગવાન અપૂર્વ નિર્વાણદશાને પામ્યા, તથા
દેવોએ આવીને નિર્વાણ–કલ્યાણક ઊજવ્યો. આ પ્રસંગે ગિરનારજી પર્વતની ઘણી સુંદર રચના થઈ હતી.
આ રીતે ભગવાન શ્રી નેમિનાથપ્રભુના પંચકલ્યાણક પૂર્ણ થયા હતા.
પંચકલ્યાણક બાદ, પ્રતિષ્ઠિત થયેલા વર્દ્ધમાનાદિ જિનેન્દ્રભગવંતો જિનમંદિરે પધાર્યા હતા. ભગવાન પધાર્યા