Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 69

background image
: ૨૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
ઊપજવું અને જાણવું બંને ક્રિયા એક સાથે છે, જ્ઞાનમાં તે બંને ક્રિયા એક સાથે હોવામાં કાંઈ વિરોધ નથી.
“આત્મા પોતે પોતાને કઈ રીતે જાણે–એ બાબતમાં પ્રવચનસારની ૩૬મી ગાથામાં આચાર્યદેવે શંકા–સમાધાન કર્યું
છે. એક પર્યાયમાંથી બીજુ પર્યાયની ઉત્પત્તિ થવામાં વિરોધ છે, પણ જ્ઞાનપર્યાય પોતે ઊપજે અને તે જ વખતે તે
સ્વને જાણે–એવી બંને ક્રિયા એક સાથે હોવામાં કાંઈ વિરોધ નથી, કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વ–પરને
પ્રકાશવાનો છે. જ્ઞાન પોતે પોતાને નથી જાણતું–એમ માનનારે ખરેખર જ્ઞાનને જ માન્યું નથી. અહીં તો કહે છે કે
જ્ઞાની પોતે પોતાને જાણતો થકો ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે છે. આ વાત બરાબર સમજવા જેવી છે.
[૮૨] લોકોત્તર દ્રષ્ટિની વાત સમજવા માટે જ્ઞાનની એકાગ્રતા.
કોલેજના મોટા પ્રોફેસરોના ભાષણ કરતાં પણ આ તો જુદી જાતની વાત છે; ત્યાં તો સમજવા માટે ધ્યાન
રાખે તો પણ જેટલો પૂર્વનો ઉઘાડ હોય તે પ્રમાણે જ સમજાય; અને સમજે તો પણ તેમાં તો આત્માનું કાંઈ
કલ્યાણ નથી. અને આ તો લોકોત્તરદ્રષ્ટિની વાત છે, આમાં ધ્યાન રાખીને સમજવા માટે જ્ઞાનને એકાગ્ર કરે તો
વર્તમાનમાં પણ નવો નવો ઉઘાડ થતો જાય, ને અંતરમાં એકાગ્ર થઈને સમજે તેનું તો અપૂર્વ કલ્યાણ થઈ જાય.
[૮૩] સમકીતિ નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે.
જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતાં, તેના અનંત ગુણો એક સાથે પરિણમે છે;
જ્ઞાયકસ્વભાવસન્મુખ ઝુકાવ થયો ત્યાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે બધા ગુણોના પરિણમનમાં નિર્મળતાના
અંશની શરૂઆત થઈ જાય છે, પછી ભલે તેમાં ઓછો–વધતો અંશ વ્યક્ત હોય; ચોથા ગુણસ્થાને જ્ઞાયકશ્રદ્ધા થઈ
જાય છતાં જ્ઞાન–ચારિત્ર પૂરાં થઈ જતાં નથી પરંતુ તેનો અંશ તો પ્રગટ થઈ જાય છે. આ રીતે સમકીતિને
નિર્મળપર્યાયપણે ઊપજવાની જ મુખ્યતા છે, અસ્થિરતાના જે રાગાદિભાવો થાય છે તે તેની દ્રષ્ટિમાં ગૌણ છે,
અભૂતાર્થ છે. જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ રાખીને સમકીતિ નિર્મળક્રમબદ્ધપર્યાયપણે જ ઊપજે છે, રાગાદિપણે તે
ખરેખર ઊપજતો જ નથી.
[૮૪] ક્રમબદ્ધપરિણામમાં છ છ કારક.
આચાર્યદેવ કહે છે કે ‘જીવ પોતાના ક્રમબદ્ધપરિણામે ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી;’ તેમાં છએ
કારક લાગુ પડે છે, તે આ પ્રમાણે–
જીવ પોતે પોતાની પર્યાયના કર્તાપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનો કર્તા નથી.
જીવે પોતે પોતાના કર્મપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કર્મ નથી.
જીવ પોતે પોતાના કરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું કરણ નથી.
જીવ પોતે પોતાના સંપ્રદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું સંપ્રદાન નથી.
જીવ પોતે પોતાના અપાદાનપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અપાદાન નથી.
જીવ પોતે પોતાના અધિકરણપણે ઊપજતો થકો જીવ જ છે, અજીવનું અધિકરણ નથી.
વળી એ પ્રમાણે બીજા છ કારકો પણ નીચે મુજબ સમજવા–
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનો કર્તા બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કર્મ બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું કરણ બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું સંપ્રદાન બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અપાદાન બનાવતો નથી.
જીવ પોતાની પર્યાયપણે ઊપજતો થકો, અજીવને પોતાનું અધિકરણ બનાવતો નથી.
તેમજ, અજીવ પણ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી. –તેમાં પણ ઉપર
મુજબ છ–છ કારકો સમજી લેવા.
એ રીતે, જીવ–અજીવને પરસ્પર અકાર્યકારણપણું છે.
[૮૫] –આ વાત કોને બેસે?
જુઓ આ ભેદજ્ઞાન! આવી સ્પષ્ટ વાત હોવા છતાં,