Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૨૧ :
તોપણ ભગવાન તેને અન્યમતિ–લૌકિકમતિ–એટલે કે મિથ્યાદ્રષ્ટિ કહે છે. આ “લૌકિકમતિ” કહેતાં કેટલાકને તે
વાત કઠણ લાગે છે. પણ ભાઈ! સમયસારમાં આચાર્ય ભગવાન પોતે કહે છે કે–“ये त्वात्मानं कर्तारमेव
पश्यंति ते लोकोत्तरिका अपि न लौकिकतामतिवर्तंते; लौकिकानां परमात्मा विष्णुः सुरनारकादिकार्याणि
करोति, तेषां तु स्वात्मातानि करोतीत्यपसिद्धांतस्य समत्वात्। ततस्तेषामात्मनो नित्य–कर्तृत्वाभ्युपगमात्
लौकिकानामिव लोकोत्तरिकाणामपि नास्ति मोक्षः।” (ગાથા ૩૨૧–૩૨૨ ટીકા)
–જેઓ આત્માને કર્તા જ દેખે છે–માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી;
કારણ કે લૌકિકજનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (–લોકથી બાહ્ય થયેલા
એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે–એમ અપસિદ્ધાંતની (એટલે કે ખોટા સિદ્ધાંતની)
બંનેને સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર
પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
તેના ભાવાર્થમાં પં. જયચંદ્રજી પણ લખે છે કે
जो आत्माको कर्ता मानते हैं वे मुनि भी हों तो भी लौकिकजन सरीखे ही हैं, क्योंकि लोक
ईश्वर को कर्ता मानते हैं और मुनियोंने भी आत्माको कर्ता मान लिया, इस तरह इन दोनों का मानना
समान हुआ। इस कारण जैसे लौकिकजनों के मोक्ष नहीं है उसी तरह उन मुनियोंके भी मोक्ष नहीं।
જુઓ, આમાં મૂળ સિદ્ધાંત છે. દિગંબર જૈન સંપ્રદાયનો દ્રવ્યલિંગી સાધુ થઈને પણ, જો ‘આત્મા પરને
કરે’ એમ માને, તો તે પણ લૌકિકજનોની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે. હવે, આત્મા પરનો કર્તા છે–એમ કદાચ સીધી
રીતે ન કહે, પણ–
–નિમિત્ત હોય તે પ્રમાણે કાર્ય થાય એમ માને, અથવા આપણે નિમિત્ત થઈને પરનું કાર્ય કરી દઈએ–એમ માને,
–અથવા રાગના–વ્યવહારના–અવલંબનથી નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન થવાનું માને,
–મોક્ષમાર્ગમાં પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ માને,
–અથવા રાગને લીધે જ્ઞાન થયું એટલે કે રાગ કર્તા ને જ્ઞાન તેનું કાર્ય–એમ માને,
તો તે બધા પણ ખરેખર લૌકિકજનો જ છે, કેમ કે તેમને લૌકિક દ્રષ્ટિ છૂટી નથી.–લૌકિકદ્રષ્ટિ એટલે
મિથ્યાદ્રષ્ટિ.
‘જ્ઞાયક’ સામે નજર કરીને ક્રમબદ્ધપર્યાયને જાણનારા સમકીતિ લોકોત્તરદ્રષ્ટિવંત છે, ને એનાથી વિરુદ્ધ
માનનારા લૌકિકદ્રષ્ટિવંત છે.
[૭૯] સમજવા માટે એકાગ્રતા.
આ વાત સાંભળતાં જો સમજે તો મજા આવે તેવી છે, પણ તે સમજવા માટે જ્ઞાનને બીજેથી પાછું
વાળીને જરાક એકાગ્ર કરવું જોઈએ. હજી તો જેને શ્રવણમાં પણ એકાગ્રતા ન હોય ને શ્રવણ વખતે પણ ચિત્ત
બીજે ભમતું હોય, તે અંતરમાં એકાગ્ર થઈને આ વાત સમજે ક્યારે?
[૮૦] અંદર નજર કરતાં બધો નિર્ણય થાય છે.
પ્રશ્ન:– આપ તો ઘણાં પડખાં સમજાવો છો, પણ અમારી બુદ્ધિ થોડી, તેમાં અમારે કેટલુંક સમજવું?
ઉત્તર:– અરે ભાઈ! જે સમજવા માંગે તેને આ બધું સમજાય તેવું છે. દ્રષ્ટિ બહારમાં નાખી છે તેને
ફેરવીને જરાક અંદરમાં નજર કરતાં જ આ બધા પડખાં સમજાઈ જાય તેમ છે. સમજનારો પોતે અંદર બેઠો છે કે
ક્યાંક બીજે ગયો છે? અંદરમાં શક્તિપણે આખેઆખો જ્ઞાયકસ્વભાવ પડ્યો છે, તેમાં નજર કરે એટલી વાર છે.
‘મારા નૈનની આળસે રે.... મેં હરિને નીરખ્યા ન જરી’ ....... તેમ નજર કરતાં ન્યાલ કરી નાંખે એવો ભગવાન
આત્મા અંદર બેઠો છે પણ નયનની આળસે અજ્ઞાની તેને નિહાળતો નથી. અંર્તમુખ નજર કરતાં આ બધા
પડખાંનો નિર્ણય થઈ જાય છે.
[૮૧] જ્ઞાતા સ્વ–પરને જાણતો થકો ઊપજે છે.
જ્ઞાતાભાવની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતો ધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવને પણ જાણે છે; સ્વ–પર
બંનેને જાણતો થકો ઊપજે છે, પણ સ્વ–પર બંનેને કરતો થકો નથી ઊપજતો. કર્તા તો એક સ્વનો જ છે, ને
સ્વમાં પણ ખરેખર જ્ઞાયકભાવની ક્રમબદ્ધ પર્યાયને જ કરે છે, રાગનું કર્તાપણું ધર્મીની દ્રષ્ટિમાં નથી.
જ્ઞાન ઊપજતું થકું પોતાને તેમજ રાગને પણ જાણતું ઊપજે છે, પરંતુ ‘રાગને કરતું થકું’ ઊપજે છે–એમ
નથી. જ્ઞાન ઊપજે છે અને પોતે પોતાને જાણતું ઊપજે છે.