Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 69

background image
: ૨૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
(એટલે કે નિશ્ચય વગર) તે વ્યવહારને જાણ્યો કોણે? વ્યવહાર પોતે તો આંધળો છે તેને કાંઈ સ્વ–પરની ખબર
નથી. નિશ્ચયનું અવલંબન કરીને સ્વ–પર પ્રકાશક જ્ઞાતા જાગ્યો તે જ, જ્ઞાયકને જાણતાં રાગને પણ વ્યવહાર જ્ઞેય
તરીકે જાણે છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં નિશ્ચય–વ્યવહાર બંને એક સાથે છે; પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય
એમ માને, એટલે કે રાગના અવલંબને જ્ઞાન થવાનું માને, તો તે ખરેખર ક્રમબદ્ધપર્યાયને સમજ્યો જ નથી.
[૭૫] ‘ઈષ્ટોપદેશ!’ ની વાત;–ક્યો ઉપદેશ ઈષ્ટ છે?
દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે–એમ કહેતાં તેમાં સમયસમયની ક્ષણિક યોગ્યતાની વાત પણ
આવી ગઈ.
કોઈ કહે કે–“યોગ્યતાની વાત તો ‘ઈષ્ટોપદેશ’માં આવી છે. આમાં ક્યાં આવી છે?” તેનો ઉત્તર–આ પણ
ઈષ્ટ–ઉપદેશની જ વાત છે. ઈષ્ટ–ઉપદેશ એટલે હિતકારી ઉપદેશ. જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે
ઈષ્ટોપદેશ છે. આ ‘યોગ્યતા’ કહીને સમય સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઈષ્ટ છે, આ
સિવાય પરને લીધે કાંઈ થવાનું બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઈષ્ટ નથી–હિતકારી નથી–પ્રિય નથી.
સમય સમયની ક્રમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઈષ્ટ છે, પણ
પર્યાયમાં ફેરફાર–આઘુંપાછું થવાનું જણાવીને કર્તા–બુદ્ધિને પોષે તે ઉપદેશ ઈષ્ટ નથી એટલે કે સાચો નથી, હિતકારી
નથી. “આત્માને જે હિતમાર્ગમાં પ્રવર્તાવે તે ગુરુ છે; ખરેખર આત્મા પોતે જ પોતાની યોગ્યતાથી પોતાના આત્માને
હિતમાર્ગમાં પ્રવર્તાવે છે તેથી પોતે જ પોતાનો ગુરુ છે, નિમિત્તરૂપે બીજા જ્ઞાનીગુરુ હોય પણ તે નિમિત્તને લીધે આ
આત્મામાં કાંઈ થાય–એમ બનતું નથી.” જુઓ, આ ઈષ્ટ ઉપદેશ! આ પ્રમાણે ઉપદેશ હોય તો જ તે ઈષ્ટ છે–
હિતકારી છે–સત્ય છે, આનાથી વિરુદ્ધ ઉપદેશ હોય તો તે ઈષ્ટ નથી–હિતકારી નથી–સત્ય નથી.
[૭૬] આત્માનું જ્ઞાયકપણું ને પદાર્થોના પરિણમનમાં ક્રમબદ્ધપણું.
આત્મા જ્ઞાયક છે, જ્ઞાતાદ્રષ્ટાપણું તેનું સ્વરૂપ છે. જેમ કેવળીભગવાન જગતના બધા દ્રવ્ય–ગુણ–પર્યાયના
જ્ઞાતા છે તેમ આ આત્માનો સ્વભાવ પણ જ્ઞાતા છે. જ્ઞાને જાણ્યું માટે પદાર્થોમાં તેવી ક્રમબદ્ધપર્યાય થાય છે એમ
નથી, તેમ જ પદાર્થો તેવા છે માટે તેમનું જ્ઞાન થયું એમ પણ નથી. આત્માનો જ્ઞાયકસ્વભાવ ને પદાર્થોનો
ક્રમબદ્ધ પરિણમન સ્વભાવ છે. ‘આમ કેમ’ એવો વિકલ્પ જ્ઞાનમાં નથી તેમ જ પદાર્થોના સ્વભાવમાં પણ એવું
નથી. ‘આમ કેમ’ એવો વિકલ્પ કરીને જે પદાર્થને ફેરવવા માગે છે તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં સાધક જીવ જ્ઞાતા થઈ જાય છે, ‘આમ કેમ’ એવો મિથ્યાબુદ્ધિનો વિકલ્પ તેને
થતો નથી.
[૭૭] આવી છે સાધકદશા!–એક સાથે દસ બોલ.
જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તે–
–ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો, (૧) –તેના જ્ઞાનમાં સર્વજ્ઞની સિદ્ધિ આવી, (૨)
–તેને ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન થયું, (૩) –તેને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થયો, (૪)
–તેને અકર્તાપણું થયું, (૫) –તેણે સમસ્ત જૈનશાસનને જાણ્યું, (૬)
–તેણે દેવ–ગુરુ–શાસ્ત્રને ખરેખર ઓળખ્યા, (૭) –તેને નિશ્ચય–વ્યવહાર બંને એક સાથે આવ્યા, (૮)
–તેની પર્યાયમાં પાંચે સમવાય આવી ગયાં, (૯)
–‘
योग्यता ही’નો તેને નિર્ણય થયો એટલે ઈષ્ટ–ઉપદેશપણ તેનામાં આવી ગયો. (૧૦)
[૭૮] આ લોકોત્તર દ્રષ્ટિની વાત છે, આનાથી વિપરીત માને તે લૌકિકજન છે.
અહો, આ અલૌકિક–લોકોત્તર વાત છે. એક તરફ જ્ઞાયકસ્વભાવ ને સામે ક્રમબદ્ધપર્યાય–એનો નિર્ણય
કરવો તે લોકોત્તર છે. હું જ્ઞાયક છું ને પદાર્થોની પર્યાયો ક્રમબદ્ધ છે–એમ ન માનતાં, કાંઈ પણ ફેરફાર કરવાનું જે
માને છે તે લૌકિકજન છે, લોકોત્તર જૈનદ્રષ્ટિ તેને રહેતી નથી. પોતાના જ્ઞાયકસ્વભાવ સામે નજર રાખીને
આત્મા ક્રમબદ્ધજ્ઞાયકભાવપણે જ ઊપજે, અને પદાર્થોની ક્રમબદ્ધ થતી પર્યાયોને જાણે–આવો જે લોકોત્તર
સ્વભાવ, તેને જે નથી માનતો તે ભલે સંપ્રદાય તરીકે જૈનમાં રહ્યો હોય