Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૯ :
ભગવાનને એકાંત સુખ જ છે ને દુઃખ જરાપણ નથી–એમ અનેકાન્ત લાગુ પડે. (જુઓ, પંચાધ્યાયી ગાથા
૩૩૩–૪–૫) તેમ અહીં પર્યાયમાં ક્રમબદ્ધપણું છે ને અક્રમપણું નથી–એવો અનેકાન્ત લાગુ પડે, પણ પર્યાયમાં
ક્રમપણું છે ને પર્યાયમાં અક્રમપણું પણ છે–એવો અનેકાન્ત નથી; કેમકે પર્યાયમાં અક્રમપણું નથી. પર્યાયથી
ક્રમરૂપ ને પર્યાયથી જ અક્રમરૂપ એવું ક્રમ–અક્રમરૂપ જીવનું સ્વરૂપ નથી, પણ પર્યાયથી ક્રમવર્તીપણું ને ગુણથી
અક્રમપણું–એવું ક્રમ–અક્રમરૂપ જીવનું સ્વરૂપ છે.
[૭૧] ટ્રેઈનના દ્રષ્ટાંતે શંકા અને તેનું સમાધાન.
પ્રશ્ન:– એક માણસ ટ્રેઈનના ડબામાં બેઠો છે, ને ટ્રેઈન પૂર્વ દિશા તરફ જાય છે, ત્યાં ટ્રેઈન ચાલતાં
માણસનું પણ પૂર્વ દિશા તરફ જે ગમન થાય છે તે તો ક્રમબદ્ધ છે, પણ તે માણસ ડબામાં ઊભો થઈને પશ્ચિમ
તરફ જાય તો તે ગમનની અવસ્થા અક્રમરૂપ થઈને?
ઉત્તર:– અરે ભાઈ! તને હજી ક્રમબદ્ધપર્યાયની ખબર નથી. પર્યાયનું ક્રમબદ્ધપણું કહેવાય છે તે તો ઊર્ધ્વ
પ્રવાહ અપેક્ષાએ (–કાળપ્રવાહ અપેક્ષાએ) છે, ક્ષેત્ર અપેક્ષાએ નહિ. તે માણસ પહેલા પૂર્વમાં ચાલે ને પછી
પશ્ચિમમાં ચાલે તેથી કાંઈ તેની પર્યાયના કાળનો ક્રમ તૂટી ગયો નથી. ટ્રેઈન પૂર્વમાં જતી હોય ને તેમાં બેઠેલો
માણસ ડબામાં પશ્ચિમ તરફ ચાલતો હોય, તેથી કાંઈ તેની તે પર્યાય અક્રમપણે નથી થઈ. અરે! ટ્રેઈન પૂર્વમાં
જતી હોય ને આખી ટ્રેઈન પાછી ચાલીને પશ્ચિમમાં જાય, તો તે પણ ક્રમબદ્ધ જ છે. પર્યાયોનું ક્રમબદ્ધપણું દ્રવ્યના
ઊર્ધ્વપ્રવાહ ક્રમની અપેક્ષાએ છે. આ ક્રમબદ્ધપર્યાયની વાત ઘણા જીવોએ તો હજી યથાર્થપણે સાંભળી પણ નથી.
ક્રમબદ્ધપણું શું છે અને કઈ રીતે છે, તથા તેનો નિર્ણય કરનારનું ધ્યેય ક્યાં જાય છે–તે વાત લક્ષમાં લઈને સમજે
પણ નહિ, તો તેની પ્રતીત ક્યાંથી થાય? વસ્તુમાં અનંત ગુણો છે તે બધા એક સાથે–પથરાયેલા–તિર્યક્પ્રચયરૂપ
છે તેથી તે અક્રમરૂપ છે, અને પર્યાયો એક પછી એક–વ્યતિરેકરૂપ–ઊર્ધ્વપ્રચયરૂપ છે તેથી તે ક્રમરૂપ છે.
[૭૨] ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા કોણ?
જુઓ, ક્રમબદ્ધપર્યાય તો જીવ તેમ જ અજીવ બધા દ્રવ્યોમાં છે; પરંતુ આ વાત કાંઈ અજીવને નથી
સમજાવતા, આ વાત તો જીવને સમજાવે છે કેમ કે જીવ જ જ્ઞાતા છે. જ્ઞાતાને પોતાના જ્ઞાયકસ્વભાવનું ભાન
થતાં તે ક્રમબદ્ધ–પર્યાયનો પણ જ્ઞાતા થઈ જાય છે.
[૭૩] ભાષાનો ઉત્પાદક જીવ નથી.
પાંચે અજીવ દ્રવ્યો પણ પોતપોતાના ગુણોથી પોતાના ક્રમબદ્ધ નિયમિત પરિણામપણે ઊપજતા થકા
અજીવ જ છે, જીવ નથી. અજીવદ્રવ્યો–તેનો એકેક પરમાણુ પણ–પોતે પોતાના છ કારકરૂપે થઈને પોતાની
ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે; તે કોઈ બીજાના કર્તા નથી, તેમજ બીજાનું કાર્ય થઈને તેને પોતાનું કર્તા
બનાવે એમ પણ નથી. ભાષા બોલાય તે અજીવની ક્રમબદ્ધપર્યાય છે, ને તે પર્યાયપણે અજીવદ્રવ્ય ઊપજે છે,
જીવ તેને ઉપજાવતો નથી.
પ્રશ્ન:– કેવળીભગવાનની દિવ્યવાણી તો ઈચ્છા વગર સહજપણે નીકળે છે તેથી તે ક્રમબદ્ધપર્યાય છે અને
તેને તો જીવ ઉપજાવતો નથી–એમ ભલે કહો, પરંતુ છદ્મસ્થની વાણી તો ઈચ્છાપૂર્વક છે તેથી છદ્મસ્થ તો પોતાની
ઈચ્છા મુજબ ભાષાને પરિણમાવે છે ને?
ઉત્તર:– ભાઈ, એમ નથી. કેવળીભગવાનને કે છદ્મસ્થને જે વાણી નીકળે છે તે તો અજીવના પોતાના
તેવા ક્રમબદ્ધ પરિણામોથી જ નીકળે છે, જીવને લીધે નહિ. છદ્મસ્થને તે કાળે ઈચ્છા હોય, પણ તે ઈચ્છાએ
વાણીને ઉપજાવી નથી. અને ઈચ્છા છે તે પણ જ્ઞાતાનું જ્ઞેય છે, જ્ઞાનની અધિકતામાં ધર્મી જીવ તે ઈચ્છાનો પણ
જ્ઞાયક જ છે.
[૭૪] જ્ઞાયકને જ જાણવાની મુખ્યતા.
ખરેખર તો, ઈચ્છાને જાણવી તે પણ વ્યવહાર છે, જ્ઞાનને અંતરમાં વાળીને જ્ઞાયકને જાણવો તે પરમાર્થ
છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં રાગને જાણવાની મુખ્યતા નથી પણ જ્ઞાયકને જાણવાની મુખ્યતા છે. જ્ઞાનમાં
જ્ઞાયકની મુખ્યતા થઈ ત્યારે રાગને તેનું વ્યવહાર જ્ઞેય કહ્યું; જ્ઞાતા જાગ્યો ત્યારે રાગને રાગરૂપે જાણ્યો અને
ત્યારે જ રાગને વ્યવહાર કહેવાયો. આ રીતે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, કેમ કે જ્ઞાન અને રાગ બંને એક
સાથે ઊપજે છે, પહેલો રાગરૂપ વ્યવહાર ને પછી નિશ્ચય–એમ નથી. જો રાગને અર્થાત્ વ્યવહારને પહેલો કહો
તો જ્ઞાન વગર