Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 69

background image
: ૧૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
પ્રાયશ્ચિત વગેરેનું વર્ણન કરીને વચલી ભૂમિકામાં કેવા કેવા ભાવ હોય છે–તેનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર તો
જ્ઞાતાને જ્ઞાનની અધિકતામાં તે પ્રાયશ્ચિત વગેરેનો વિકલ્પ પણ જ્ઞેયપણે જ છે.
[૬૯] ક્રમ–અક્રમ સંબંધમાં અનેકાન્ત અને સપ્તભંગી.
કોઈ એમ કહે છે કે “બધી પર્યાયો ક્રમબદ્ધ જ છે એમ કહેવામાં તો એકાંત થઈ જાય છે, માટે કેટલીક
પર્યાયો ક્રમબદ્ધ છે ને કેટલીક અક્રમબદ્ધ છે–એમ અને કાન્ત કહેવું જોઈએ”–તો એમ કહેનાર મૂઢને એકાન્ત–
અનેકાન્તની ખબર નથી. બધી પર્યાયો ક્રમબદ્ધ જ ‘છે’ ને અક્રમરૂપ ‘નથી’–એવો અનેકાન્ત છે; અથવા ક્રમ–
અક્રમનો અનેકાન્ત લેવો હોય તો આ પ્રમાણે છે કે બધા ગુણો દ્રવ્યમાં એક સાથે સહભાવીપણે વર્તે છે તેથી તે
અપેક્ષાએ દ્રવ્ય અક્રમરૂપ છે, અને પર્યાય અપેક્ષાએ ક્રમરૂપ છે, એ રીતે કથંચિત્ ક્રમરૂપ ને કથંચિત્ અક્રમરૂપ
એવો અનેકાન્ત છે, પરંતુ કેટલીક પર્યાયો ક્રમરૂપ ને કેટલીક પર્યાયો અક્રમરૂપ એમ માનવું તે તો અનેકાન્ત નથી
પણ મિથ્યાત્વ છે.
પર્યાય અપેક્ષાએ તો ક્રમબદ્ધપણું જ છે–એ નિયમ છે. છતાં આમાં અનેકાન્ત અને સપ્તભંગી આવી જાય
છે. ગુણો અપેક્ષાએ અક્રમપણું ને પર્યાયો અપેક્ષાએ ક્રમપણું–એવું અનેકાન્ત સ્વરૂપ છે તે ઉપર કહેવાઈ ગયું છે.
તથા વસ્તુમાં (૧) સ્યાત્ ક્રમપણું, (૨) સ્યાત્ અક્રમપણું, (૩) સ્યાત્ ક્રમ–અક્રમપણું, (૪) સ્યાત્
અવક્તવ્યપણું, (પ) સ્યાત્ ક્રમઅવક્તવ્યપણું (૬) સ્યાત્ અક્રમ–અવક્તવ્યપણું, અને (૭) સ્યાત્ ક્રમ–
અક્રમઅવક્તવ્યપણું–એ પ્રમાણે ક્રમ–અક્રમ સંબંધમાં સપ્તભંગી પણ ઉતરે છે, કઈ રીતે? તે કહેવાય છે–
(૧) પર્યાયો એક પછી એક ક્રમબદ્ધ થાય છે તેથી પર્યાયોની અપેક્ષાએ કહેતાં વસ્તુ ક્રમરૂપ છે.
(૨) ગુણો બધા એકસાથે સહભાવી છે તેથી ગુણોની અપેક્ષાએ કહેતાં વસ્તુ અક્રમરૂપ છે.
(૩) પર્યાયો તથા ગુણો–એ બંનેની અપેક્ષા (એકસાથે) લઈને કહેતાં વસ્તુ ક્રમ–અક્રમરૂપ છે.
(૪) એક સાથે બંને કહી શકતા નથી તે અપેક્ષાએ વસ્તુ અવક્તવ્ય છે.
(૫) વસ્તુમાં ક્રમપણું ને અક્રમપણું બંને એક સાથે હોવા છતાં, ક્રમરૂપ કહેતી વખતે અક્રમપણાનું કથન
બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ ક્રમ–અવક્તવ્યરૂપ છે.
(૬) એ જ પ્રમાણે અક્રમરૂપ કહેતાં ક્રમપણાનું કથન બાકી રહી જાય છે, તે અપેક્ષાએ વસ્તુ અક્રમ–
અવક્તવ્યરૂપ છે.
(૭) ક્રમપણું તથા અક્રમપણું બંને અનુક્રમે કહી શકાય છે પણ એક સાથે કહી શકાતા નથી, તે અપેક્ષાએ
વસ્તુ ક્રમ–અક્રમ–અવક્તવ્યરૂપ છે.
–એ પ્રમાણે ક્રમ–અક્રમ સંબંધમાં સપ્તભંગી સમજવી.
[૭૦] અનેકાન્ત ક્યાં અને કઈ રીતે લાગુ પડે? (સિદ્ધનું દ્રષ્ટાંત)
યથાર્થ વસ્તુસ્થિતિ શું છે તે સમજ્યા વગર ઘણા લોકો અનેકાન્તના નામે કે સ્યાદ્વાદના નામે ગપગોળા
ચલાવે છે. જેમ અસ્તિ–નાસ્તિમાં વસ્તુ સ્વપણે અસ્તિરૂપે છે ને પરપણે નાસ્તિરૂપ છે–એવો અનેકાન્ત છે; પણ–
વસ્તુ સ્વપણે અસ્તિરૂપ છે ને પરપણે પણ અસ્તિરૂપ છે એવો અનેકાન્ત નથી, તે તો એકાંતરૂપ મિથ્યાત્વ છે.
તેમ અહીં ક્રમ–અક્રમમાં પણ સમજવું. પર્યાયો ક્રમબદ્ધ છે ને ગુણો અક્રમ છે–એમ અનેકાન્ત છે, પણ પર્યાયો
ક્રમબદ્ધ છે ને પર્યાયો અક્રમ પણ છે–એમ માનવું તે કાંઈ અનેકાન્ત નથી, તે તો મિથ્યાદ્રષ્ટિનો એકાંત છે. પર્યાયો
તો ક્રમબદ્ધ જ છે ને અક્રમ નથી એવો અનેકાંત છે. પર્યાયમાં અક્રમપણું તો છે જ નહિ, તેથી તેમાં ‘કથંચિત્ ક્રમ
ને કથંચિત્ અક્રમ’ એવો અનેકાન્ત લાગુ ન પડે. વસ્તુમાં જે ધર્મો હોય તેમાં સપ્તભંગી લાગુ પડે પણ વસ્તુમાં જે
ધર્મો હોય જ નહિ તેમાં સપ્તભંગી લાગુ ન પડે.
‘સિદ્ધ ભગવંતો એકાંત સુખી જ છે’ એમ કહેતાં કોઈ અજ્ઞાની પૂછે કે સિદ્ધ ભગવાનને એકાંત સુખ જ
કેમ કહો છો? કથંચિત્ સુખ ને કથંચિત્ દુઃખ એમ અનેકાંત કહોને? તેનું સમાધાન : ભાઈ, સિદ્ધ ભગવાનને જે
સુખ પ્રગટ્યું તે એકાંત સુખ જ છે, તેમાં દુઃખ જરાપણ છે જ નહિ, તેથી તેમાં સુખ–દુઃખનો તેં કહ્યો તેવો
અનેકાન્ત લાગુ ન પડે; સિદ્ધ ભગવાનને શક્તિમાં કે વ્યક્તિમાં કોઈ રીતે દુઃખ નથી તેથી ત્યાં સુખ–દુઃખનો
એવો અનેકાન્ત કે સપ્તભંગી લાગુ ન પડે; પણ સિદ્ધ