Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૭ :
કાંઈ ફેરફાર કરે એમ જે માને છે તેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહે છે, તેથી પર તરફથી ખસીને પોતાના
જ્ઞાયકસ્વભાવ તરફ તે વળતો નથી એટલે તેને જ્ઞાતાપણું થતું નથી–અકર્તાપણું થતું નથી, ને કર્તાબુદ્ધિ છૂટતી
નથી. અહીં ‘દરેક દ્રવ્ય પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, બીજો તેનો કર્તા નથી’ એ નિયમ વડે આત્માનું
અકર્તાપણું સમજાવીને તે કર્તાબુદ્ધિ છોડાવે છે.
[૬૬] જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કર્યા વિના, ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને બચાવ કરવા
માંગે તે મોટો સ્વછંદી છે.
આ ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને સ્વછંદે કોઈ એમ બચાવ કરે કે “અમને ક્રોધ પણ થવાનો હતો તે
ક્રમબદ્ધ થઈ ગયો, તેમાં અમે શું કરીએ?” તો તેને કહે છે કે અરે મૂઢ જીવ! આત્માનું જ્ઞાયકપણું હજી તને બેઠું
નથી તો તું ક્રમબદ્ધપર્યાયની વાત ક્યાંથી લાવ્યો? જ્ઞાયકસ્વભાવના નિર્ણયથી જ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય
થાય છે. તારી દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે કે ક્રોધ ઉપર? જો જ્ઞાયક ઉપર દ્રષ્ટિ હોય તો જ્ઞાયકમાં વળી ક્રોધ થવાનું
ક્યાંથી આવ્યું? તારા જ્ઞાયકભાવનો નિર્ણય કરીને તું પહેલા જ્ઞાતા થા, પછી તને ક્રમબદ્ધપર્યાયની ખબર પડશે.
જ્ઞાયકસ્વભાવ તરફ વળીને તેને જ્ઞાનનું જ્ઞેય બનાવવું–તેની આમાં મુખ્યતા છે, રાગને જ્ઞેય કરવાની મુખ્યતા
નથી. જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાનની જ અધિકતા રહે છે, ક્રોધાદિની અધિકતા થતી જ નથી, એટલે
જ્ઞાતાને અનંતાનુબંધી ક્રોધાદિ તો થતા જ નથી; અને તેને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થપણે બેઠી છે.
ક્રોધ વખતે જ્ઞાનસ્વરૂપ તો જેને ભાસતું નથી, ક્રોધની જ રુચિ છે, અને ક્રમબદ્ધપર્યાયની ઓથ લઈને
બચાવ કરવા માંગે છે તે તો મોટો સ્વછંદી છે. ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાયકભાવનું પરિણમન ન ભાસતાં, ક્રોધનું
પરિણમન ભાસે છે એ જ તેની ઊંધાઈ છે. ભાઈ રે! આ માર્ગ તો છૂટકારાનો છે,–કે બંધાવાનો? આમાં તો
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને છૂટકારાની વાત છે; આ વાતનો યથાર્થ નિર્ણય થતાં જ્ઞાન છૂટું ને છૂટું રહે છે. જે
છુટકારાનો માર્ગ છે તેના બહાને જે સ્વછંદને પોષે છે તે જીવને છૂટકારાનો અવસર ક્યારે આવશે!!
[૬૭] અજર....પ્યાલા!
આ તો અજર–અમર પ્યાલા છે; આ પ્યાલા પચાવવા મોંઘા છે. પાત્ર થઈને જેણે આ પ્યાલો પીધો ને
પચાવ્યો તે અજર–અમર થઈ જાય છે, એટલે કે જન્મ–મરણ રહિત એવા સિદ્ધપદને પામે છે.
[૬૮] ક્રમબદ્ધપર્યાયમાં ભૂમિકા અનુસાર પ્રાયશ્ચિતાદિનો ભાવ હોય છે.
“લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવાનું વર્ણન તો શાસ્ત્રમાં ઘણું આવે છે, દોષ થયો તે પર્યાય પણ ક્રમબદ્ધ
છે તો પછી તેનું પ્રાયશ્ચિતાદિ શા માટે?”–એમ કોઈને શંકા ઊઠે તો તેનું સમાધાન એ છે કે સાધકને તે તે
ભૂમિકામાં પ્રાયશ્ચિતાદિનો તેવો વિકલ્પ હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સાધકદશા વખતે ક્રમબદ્ધપર્યાયમાં
તેવા પ્રકારના ભાવો આવે છે તે બતાવ્યું છે. ‘ક્રમબદ્ધપર્યાયમાં અમારે દોષ થવાનો હતો તે થઈ ગયો, માટે તેનું
પ્રાયશ્ચિત શું?’–એમ કોઈ કહે તો તે મિથ્યાદ્રષ્ટિ–સ્વછંદી છે; સાધકને એવો સ્વછંદ હોતો નથી. સાધકદશા તો
પરમ વિવેકવાળી છે. તેને હજી વીતરાગતા નથી થઈ તેમ સ્વછંદ પણ રહ્યો નથી, એટલે દોષોના પ્રાયશ્ચિત
વગેરેનો શુભ–વિકલ્પ આવે–એવી જ એ ભૂમિકા છે.
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા હોવા છતાં સમકીતિને ચોથા ગુણસ્થાને એવો ભાવ આવે કે હું ચારિત્રદશા લઉં,
મુનિને એવો ભાવ આવે કે લાગેલા દોષોની ગુરુ પાસે જઈને સરળપણે આલોચના કરું ને પ્રાયશ્ચિત લઉં–“કર્મ
તો ખરવાના હશે ત્યારે ખરશે, માટે આપણે તપ કરવાની શી જરૂર છે?” એવો વિકલ્પ મુનિને ન આવે; પણ હું
તપ વડે નિર્જરા કરું–શુદ્ધતા વધારું–એવો ભાવ આવે.–આવું જ તે તે ભૂમિકાના ક્રમનું સ્વરૂપ છે. ‘ચારિત્રદશા
તો ક્રમબદ્ધપર્યાયમાં જ્યારે આવવાની હશે ત્યારે આવી જશે’ એમ કહીને સમકીતિ કદી સ્વછંદી કે પ્રમાદી ન
થાય; દ્રવ્યદ્રષ્ટિના જોરમાં તેને પુરુષાર્થ ચાલુ જ છે. ખરેખર દ્રવ્યદ્રષ્ટિવાળાને જ ક્રમબદ્ધપર્યાય યથાર્થ સમજાય છે.
ક્રમ ફરે નહિ છતાં પુરુષાર્થની ધારા તૂટે નહિ, –એ વાત જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ વિના બની શકતી નથી.
શાસ્ત્રોમાં