Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 69

background image
: ૧૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
• [૩] •
પ્રવચન ત્રીજાું
[વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૪]
જે સમજવાથી આત્માનું હિત થાય એવો ઉપદેશ તે ઈષ્ટોપદેશ છે. આ ‘યોગ્યતા’ કહીને સમય
સમયની પર્યાયની સ્વતંત્રતા બતાવાય છે તે જ ઉપદેશ ઈષ્ટ છે, આ સિવાય પરને લીધે કાંઈ થવાનું
બતાવે એટલે કે પરાધીનતા બતાવે તે ઉપદેશ ઈષ્ટ નથી–હિતકારી નથી–પ્રિય નથી. સમય સમયની
ક્રમબદ્ધપર્યાય બતાવીને આત્માને પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ લઈ જાય તે ઉપદેશ ઈષ્ટ છે.
[૬૧] અધિકારની સ્પષ્ટતા.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, ‘સર્વવિશુદ્ધજ્ઞાન’ એટલે એકલો જ્ઞાયકભાવ. જ્ઞાયકસ્વરૂપ જીવ કર્મનો
કર્તા નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. ક્રમબદ્ધપર્યાયના વર્ણનમાં આત્માનો જ્ઞાયકસ્વભાવ સિદ્ધ કરીને તેને
અકર્તા બતાવ્યો છે, આત્મા નિમિત્ત તરીકે પણ જડકર્મનો કર્તા નથી–એવો તેનો સ્વભાવ છે.
[૬૨] ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ક્યારે ચાલુ થાય?
પ્રથમ તો જીવની વાત કરી કે જીવ પોતાના અનંતગુણોના પરિણામોથી ક્રમબદ્ધ નિયમિતપણે ઊપજે છે,
અને તે પરિણામમાં અનન્યપણે તે જીવ જ છે, અજીવ નથી. આમાં દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણે આવી ગયા.
પોતાના અનાદિઅનંત પરિણામોમાં ક્રમબદ્ધપણે ઊપજતો જ્ઞાયકસ્વભાવી જીવ કોઈ પરના કાર્યમાં કારણ નથી
અને કોઈ પર તેના કાર્યમાં કારણ નથી; કોઈને કારણે કોઈની અવસ્થાના ક્રમમાં ફેરફાર થાય એમ બનતું નથી.
‘હું જ્ઞાયક છું’ એવી સ્વભાવસન્મુખ દ્રષ્ટિ થતાં ધર્મીને ક્રમબદ્ધપર્યાય નિર્મળપણે પરિણમવા લાગે છે, પરંતુ
પર્યાયને આઘીપાછી ફેરવવા ઉપર તેની દ્રષ્ટિ નથી. આ રીતે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિનો પુરુષાર્થ થતાં
ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે.
[૬૩] અકર્તાપણું સિદ્ધ કરવા ક્રમબદ્ધપર્યાયની વાત કેમ લીધી?
કોઈને એમ પ્રશ્ન થાય કે અહીં તો આત્માને અકર્તા સિદ્ધ કરવો છે, તેમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત કેમ
લીધી? –તો તેનું કારણ એ છે કે જીવ ને અજીવ બધાં દ્રવ્યો સ્વયં પોતપોતાની ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે–એ
વાત બેઠા વિના, ‘હું પરને ફેરવી દઉં’ એવી કર્તાબુદ્ધિ છૂટતી નથી ને અકર્તાપણું થતું નથી. હું જ્ઞાયકસ્વભાવ છું–
ને દરેક વસ્તુની અવસ્થા ક્રમબદ્ધ થયા કરે છે તેનો હું જાણનાર છું પણ ફેરવનાર નથી, આવો નિશ્ચય થતાં
કર્તાબુદ્ધિ છૂટી જાય છે ને અકર્તાપણું એટલે કે સાક્ષીપણું–જ્ઞાયકપણું થઈ જાય છે. સ્વભાવથી તો બધા આત્મા
અકર્તા જ છે, પરંતુ પર્યાયમાં અકર્તાપણું થઈ જાય છે તેની આ વાત છે.
[૬૪] ક્રમબદ્ધ છે તો ઉપદેશ કેમ?
પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે તો શાસ્ત્રમાં આટલો બધો ઉપદેશ કેમ આપ્યો–એમ કોઈ પૂછે, તો કહે છે કે
ભાઈ! એ બધા ઉપદેશનું તાત્પર્ય તો જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરાવવાનું છે. ઉપદેશની વાણી તો વાણીના કારણે
ક્રમબદ્ધ નીકળે છે. આ કાળે આવી જ ભાષા કાઢીને હું બીજાને સમજાવી દઉં–એવી કર્તાબુદ્ધિ જ્ઞાનીને નથી.
[૬૫] વસ્તુસ્વરૂપનો એક જ નિયમ.
સૌ દ્રવ્ય પોતપોતાના પરિણામના કર્તા છે, કોઈ બીજાની લપ તેમાં નથી. ‘આવું નિમિત્ત આવે તો આમ
થાય ને બીજું નિમિત્ત આવે તો બીજી રીતે થાય’ એવું વસ્તુસ્વરૂપમાં નથી. વસ્તુસ્વરૂપનો એક જ નિયમ છે કે
દરેક દ્રવ્ય ક્રમબદ્ધપર્યાયપણે ઊપજતું થકું પોતે જ પોતાની પર્યાયનું કર્તા છે, અને બીજાથી તે નિરપેક્ષ છે. વસ્તુ
પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે એમ ન માનતાં, બીજો તેમાં