Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 69

background image
: કારતક : ૨૪૮૧ ‘આત્મધર્મ’ : ૧૫ :
પુદ્ગલમાં તે અવસ્થા થવાની ન હતી અને જીવે વિકાર કરીને તે અવસ્થા ઊપજાવી–એમ નથી.
પુદ્ગલકર્મમાં ઉપશમ–ઉદીરણા–સંક્રમણ–ક્ષય વગેરે જે અવસ્થાઓ થાય છે તે અવસ્થાપણે પુદ્ગલ પોતે જ
ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે. આમ હોવા છતાં એવો નિયમ છે કે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાતા થઈને જીવ
જ્યાં અકર્તાપણે પરિણમ્યો, ત્યાં જગતમાં એવી ક્રમબદ્ધપર્યાયની લાયકાતવાળા કોઈ પરમાણુ જ નથી કે જે
તેને મિથ્યાત્વપ્રકૃતિરૂપે બંધાય. મિથ્યાત્વપ્રકૃતિ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ જ તેને જ્ઞાયક–દ્રષ્ટિમાં છૂટી
ગયો છે. આ વાત આચાર્યદેવ હવે પછીની ગાથાઓમાં બહુ સરસ રીતે સમજાવશે.
[૫૯] ક્રમબદ્ધપર્યાય નહિ સમજનારની કેટલીક ભ્રમણાઓ.
અજીવમાં જ્ઞાન નથી એટલે તેની અવસ્થા તો જેમ થવાની હોય તેમ ક્રમબદ્ધ થયા કરે, પણ જીવની
અવસ્થા ક્રમબદ્ધ ન હોય, તે તો અક્રમે પણ થાય–એમ કોઈ માને તો તે વાત જૂઠી છે.
અજીવમાં જ્ઞાન નથી માટે તેની અવસ્થા જીવ જેવી કરવા ધારે તેવી થાય એટલે તેની અવસ્થા
ક્રમબદ્ધ નથી પણ અક્રમ છે,–પાણી ભર્યું હોય તેમાં જેવો રંગ નાખશો તેવા રંગનું તે થઈ જશે–એમ કોઈ
માને તો તેની વાત પણ જૂઠી છે.
ક્રમબદ્ધપર્યાય છે માટે આપણે કાંઈ પુરુષાર્થ ન કરવો–એમ કોઈ માને તો તે પણ અજ્ઞાની છે,
ક્રમબદ્ધપર્યાયને તે સમજ્યો નથી.
હું જ્ઞાયક છું–એવા સ્વભાવનો પુરુષાર્થ કરતાં બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થાય છે, તે
યથાર્થ છે. આ તરફ આત્માનો જ્ઞાયકસ્વભાવ ન માને, તથા બીજી તરફ પદાર્થોમાં ક્રમબદ્ધપરિણામ ન માને,
ને ફેરફાર કરવાનું માને તો તે જીવ વસ્તુ સ્વરૂપને જાણતો નથી ને પંચપરમેષ્ઠી ભગવંતોને પણ ખરેખર
માનતો નથી.
[૬૦] જીવના કારણ વગર જ અજીવની ક્રમબદ્ધપર્યાય.
શરીરની અવસ્થા પણ અજીવથી થાય છે. હું તેની અવસ્થાને ફેરવું અથવા તો અનુકૂળ આહાર–
વિહારનું બરાબર ધ્યાન રાખીને હું શરીરને સરખું રાખી દઉં–એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. આહારના
એક રજકણને પણ ફેરવવો તે જીવની ક્રિયા નથી. ‘દાણે દાણે ખાનારનું નામ’ એવી પુરાણી કહેવત છે તે
પણ શું સૂચવે છે? –કે જેના પેટમાં જે દાણો આવવાનો તે જ આવવાનો; જીવ તેનું ધ્યાન રાખીને શરીરને
સાચવી દ્યે–એમ નથી. જીવના કારણ વગર જ અજીવ તેની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે. આત્માનો સ્વભાવ
પોતાના જ્ઞાયકભાવપણે ઊપજવાનો છે.
“અરે! આ શરીરનો હાથ જેમ ઊંચો નીચો કરવો હોય તેમ આપણે કરી શકીએ, શું આપણામાં
એટલી શક્તિ નથી કે પરમાણુને ફેરવી શકીએ?” એમ અજ્ઞાનીઓ દલીલ કરે છે.
જ્ઞાની કહે છે કે અરે ભાઈ! શું પરમાણુમાં એવી શક્તિ નથી કે તે તેના ક્રમબદ્ધપરિણામથી ઊંચાનીચા
થાય? શું અજીવદ્રવ્યોમાં કાંઈ તાકાત નથી? ભાઈ! અજીવમાં પણ એવી તાકાત છે કે તારા કારણપણા
વગર જ સ્વયં તે પોતાની હલન–ચલનાદિ અવસ્થારૂપે ઊપજે છે, તેની અવસ્થામાં તે તદ્રૂપ છે; તેનામાં
કાંઈપણ ફેરફાર કરવાની જીવની શક્તિ નથી. જીવમાં તેને જાણવાની શક્તિ છે. માટે તું તારા
જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર, ને અજીવના કર્તાપણાની બુદ્ધિ છોડ.