Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 69

background image
: ૧૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૧ : કારતક :
બારણા ઉપર નંબર લખી રાખે છે. જો તે નંબરમાં આઘું–પાછું થાય તો બારી–બારણાનો મેળ તૂટી જાય છે. તેમ
આત્મા જ્ઞાયકસ્વરૂપ છે ને પદાર્થો તેના જ્ઞેય છે, તે પદાર્થોની ક્રમબદ્ધપર્યાયમાં જે પર્યાયનું જે સ્થાન (–સ્વકાળ)
છે તે આઘુંપાછું થતું નથી. જો એક પણ પર્યાયના સ્થાનને (પ્રવાહક્રમને) ફેરવીને આઘુંપાછું કરવા જાય તો કાંઈ
વ્યવસ્થા જ નહિ રહે, કેમ કે એક પર્યાય ફેરવીને બીજે સ્થાને મૂકી તો બીજા સ્થાનની પર્યાયને ફેરવીને વળી
ત્રીજા સ્થાને મૂકવી પડશે –એ રીતે આખું દ્રવ્ય ચૂંથાઈ જશે,–એટલે કે તે જીવની દ્રષ્ટિમાં દ્રવ્ય ખંડખંડ થઈને
મિથ્યાત્વ થઈ જશે, સર્વજ્ઞતા કે જ્ઞાયકપણું તો સિદ્ધ જ નહિ થાય. ‘હું જ્ઞાયક છું’–એ વાતનું જ્યાંસુધી લક્ષ ન
થાય ત્યાંસુધી એક પણ ન્યાય સાચો સમજાય તેમ નથી. આત્મા જ્ઞાયક અને બધા પદાર્થો જ્ઞેય,–આમ જ્ઞાન અને
જ્ઞેય બંને વ્યવસ્થિત છે. જેવા પદાર્થો છે તેવું જ્ઞાન જાણે છે, ને જેવું જ્ઞાન જાણે છે, તેવા જ પદાર્થો છે, છતાં
કોઈને કારણે કોઈ નથી–આવું વસ્તુસ્વરૂપ છે. આવું વસ્તુસ્વરૂપ જાણીને જે જ્ઞાતા થયો તે રાગનો પણ જ્ઞાતા જ
છે ને તે રાગ પણ તેના જ્ઞાનનું જ્ઞેય થઈને રહે છે. પદાર્થોની વ્યવસ્થાનો જ્ઞાયક ન રહેતાં ફેરફાર કરવાનું માને
છે તેને પોતાના જ્ઞાનનો જ વિશ્વાસ નથી.
[૫૪] “પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત કે અવ્યવસ્થિત?”
ભાઈ, તું જ્ઞાન છો; જ્ઞાન શું કરે? વસ્તુ જેમ હોય તેમ જાણે. તારું સ્વરૂપ જાણવાનું છે. તું વિચાર તો કર
કે પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત? જો વ્યવસ્થિત છે એમ કહો તો તેમાં ક્યાંય ફેરવવાનું
રહેતું નથી, જ્ઞાતાપણું જ રહે છે; અને જો અવ્યવસ્થિત કહો તો જ્ઞાને જાણ્યું શું? પદાર્થોનું પરિણમન
અવ્યવસ્થિત કહેતાં જ્ઞાન જ અવ્યવસ્થિત ઠરશે. કેમ કે અવ્યવસ્થિત હોય તો કેવળીભગવાને જાણ્યું શું? એટલે
કેવળજ્ઞાન જ સિદ્ધ નહિ થાય અને આત્માનો જ્ઞાનસ્વભાવ પણ સિદ્ધ નહિ થાય, જ્ઞાનસ્વભાવની ઓળખાણ
વગર મિથ્યાત્વ ટળે નહિ ને ધર્મનો અંશ પણ થાય નહિ.
[૫૫] જીવ કે અજીવ બધાની પર્યાય ક્રમબદ્ધ છે, તેને જાણતો જ્ઞાની તો જ્ઞાતાભાવપણે જ
ક્રમબદ્ધ ઊપજે છે.
કોઈ કહે કે “જીવ ક્યારેક ક્રમબદ્ધ પરિણામે પરિણમે અને ક્યારેક અક્રમે પણ પરિણમે, તેમ જ અજીવ
પણ ક્યારેક ક્રમબદ્ધ પરિણમે ને ક્યારેક જીવ તેને અક્રમે પણ પરિણમાવી દે.”–તો એમ નથી. ભાઈ! જીવ કે
અજીવ કોઈનું એવું સ્વરૂપ નથી કે અક્રમે પરિણમે. કેવળજ્ઞાન ચોથા ગુણસ્થાને થઈ જાય ને સમ્યગ્દર્શન તેરમા
ગુણસ્થાને થાય–એમ કદી બનતું નથી, પહેલા કેવળજ્ઞાન થઈ જાય ને પછી મુનિદશા લ્યે એમ પણ કદી બનતું
નથી, એવો જ વસ્તુના પરિણમનનો સ્વભાવ છે. ધર્મીને સ્વભાવદ્રષ્ટિમાં જ્ઞાયકભાવનો પુરુષાર્થ ચાલુ જ છે,
જ્ઞાનમાં ધીરજ છે, ચારિત્રમાં અલ્પરાગ થાય છે તેને પણ જાણે છે, પણ તેને મૂંઝવણ નથી, ઉતાવળ નથી, હઠ
નથી, તે તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાતાભાવપણે ઊપજતો થકો તેમાં તદ્રૂપ છે.
[૫૬] અજીવ પણ તેની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે.
જેમ જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયે ઊપજે છે, તેમ અજીવ પણ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, જીવ
તેનો કર્તા નથી. આ શરીર હાલે–ચાલે, ભાષા બોલાય, તે બધી અજીવની ક્રમબદ્ધપર્યાયો છે. તેનામાં જે સમયે જે
પર્યાય થાય છે તે તેનાથી થાય છે, તે પર્યાયપણે તે અજીવ પોતે ઊપજે છે, જીવ તેનું કારણ નથી, ને તે જીવનું
કાર્ય નથી. આમ અકાર્યકારણપણું જીવમાં પણ છે, ને અજીવમાં પણ છે એટલે તેમને પરસ્પર કાંઈપણ
કારણકાર્યપણું નથી; આવું વસ્તુસ્વરૂપ બતાવીને અહીં આત્માનો જ્ઞાયકસ્વભાવ ઓળખાવવો છે.
[૫૭] સર્વે દ્રવ્યોમાં ‘અકાર્યકારણશક્તિ.’
સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદકઉત્પાદ્યભાવનો અભાવ છે, એટલે કે બધાય દ્રવ્યોને પર સાથે
અકાર્યકારણપણું છે. આ રીતે ‘અકાર્યકારણશક્તિ’ બધાંય દ્રવ્યોમાં છે. અજ્ઞાનીઓ કહે છે કે “અકાર્યકરણશક્તિ
તો સિદ્ધમાં જ છે ને સંસારી જીવોને તો પર સાથે કાર્ય–કારણપણું છે”–એ વાત જૂઠી છે.
[૫૮] પુદ્ગલમાં ક્રમબદ્ધપર્યાય હોવા છતાં.......
પુદ્ગલમાં કર્મ વગેરેની અવસ્થા પણ ક્રમબદ્ધ છે;