Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 69

background image
“કેવળીભગવાનો પ્રસાદ”
[શ્રી મહાવીર–નિર્વાણ–મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવના અત્યંત ભાવવાહી મંગલ પ્રવચનમાંથી...વીર સં. ૨૪૮૧]
ભગવાન મહાવીર પરમાત્મા આજે મોક્ષદશાને પામ્યા; કેવળજ્ઞાન તો તેમને ઘણાં વર્ષ પહેલા થયું હતું,
ત્યાર પછી ત્રીસ વર્ષ સુધી અરિહંતપદે તીર્થંકરપણે રહ્યા, ને આજે (આસો વદ અમાસના પરોઢિયે)
પાવાપુરીમાં ભગવાન અશરીરી સિદ્ધદશાને પામ્યા. અને ભગવાનના ગણધર શ્રી ગૌતમ સ્વામી પણ આજ
દિવસે કેવળજ્ઞાન પામ્યા.... અરિહંતપદ પામ્યા...
.... પણ, “મહાવીર પરમાત્મા નિર્વાણપદ પામીને સિદ્ધ થયા ને ગૌતમગણધર કેવળજ્ઞાન પ્રગટ કરીને
અરિહંત થયા,–તેમાં આ આત્માને શું?”–તો કહે છે કે, આ વાતનો જેણે નિર્ણય કર્યો એટલે કે આત્માની પૂર્ણ
શુદ્ધ સિદ્ધદશા, તેમજ જ્ઞાનની પૂર્ણદશારૂપ કેવળજ્ઞાન આ જગતમાં છે–એવો જેણે નિર્ણય કર્યો તેણે પોતાના
આત્માના પૂર્ણ શુદ્ધસ્વભાવનો નિર્ણય કર્યો....એટલે સિદ્ધદશાનો ને કેવળજ્ઞાનનો ઉપાય તેને પોતાના આત્મામાં
શરૂ થઈ ગયો...તે ભગવાનનો નંદન થયો, તેને સર્વજ્ઞભગવાનની પ્રસાદી મળી.
અહો, આજે જ મહાવીર ભગવાન સિદ્ધ થયા... આજે જ ગૌતમપ્રભુ અરિહંત થયા..... ભગવાનને જે
સિદ્ધદશા અને અરિહંતદશા પ્રગટી તે પોતાના આત્માના સામર્થ્યમાંથી જ પ્રગટી છે, બહારથી નથી આવી,–આવો
નિર્ણય કરીને,...‘મારા આત્મામાં પણ પૂર્ણદશા પ્રગટવાનું સામર્થ્ય ભર્યું છે, હું રાગ જેટલો કે અધૂરી દશા જેટલો
નથી પણ પરમાત્મદશા પ્રગટવાના સામર્થ્યનો પિંડ છું’ એમ પોતાના સ્વભાવસામર્થ્યનો વિશ્વાસ કરવો તે અપૂર્વ
સમ્યગ્દર્શન છે. ભગવાનને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્ય ખીલી ગયો છે ને આ આત્માને તે કેવળજ્ઞાનપ્રભાત ઊગવા માટેનું
પરોઢિયું થયું. અનાદિના મિથ્યાત્વનું અંધારું ટળીને સમ્યગ્દર્શન થયું ત્યાં કેવળજ્ઞાનપ્રભાતનો પો’ ફાટ્યો... અને
હવે અલ્પકાળમાં તેને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્ય ખીલી જશે.–જુઓ, આ સર્વજ્ઞ ભગવાનની ઓળખાણનું ફળ!
સિદ્ધ થયા પહેલા મહાવીર ભગવાન સર્વજ્ઞતીર્થંકરપણે આ ભરતક્ષેત્રે વિચરતા હતા; ત્યારે તેમના
દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ આવતો કે “આત્મામાં જ મુક્ત થવાની તાકાત ભરી છે....પૂર્ણ પરમાત્મદશા
પ્રગટવાનું સામર્થ્ય આત્માના સ્વભાવમાં જ છે...તેની પ્રતીત કરો...તેની સન્મુખતા કરો...” ભગવાનનો આવો
ઉપદેશ ઝીલીને સુપાત્ર જીવો અંર્તમુખ થઈને સમ્યગ્દર્શનાદિ પામ્યા...ત્યાં તેઓ કહે છે કે અહો!
સર્વજ્ઞભગવાનના પ્રસાદથી અમે આત્મબોધ પામ્યા! હે નાથ! આપની અમારા ઉપર પ્રસન્નતા થઈ...કેવળી
ભગવાનના પ્રસાદથી અમને આત્મબોધ થયો...હે નાથ! મારા ઉપર તારી કરુણા થઈ...મહેરબાની થઈ...કૃપા
થઈ! –‘આમ કોણ કહે છે?’–અંતરના જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ અને પ્રતીત કરીને જેણે પોતાના આત્માની
પ્રસન્નતા મેળવી છે–આત્માના આનંદનો અનુભવ કર્યો છે–એવા જ્ઞાની–ધર્માત્મા પોતાની પ્રસન્નતા જાહેર કરતાં
કહે છે કે અહો! કેવળી ભગવાને અમારા ઉપર પ્રસન્નતા કરી...અમારા ઉપર ભગવાનની મહેરબાની
થઈ...અમને ભગવાનની પ્રસાદી મળી. હે ભગવાન! આજે આપ પ્રસન્ન થયા, આજે આપની કૃપા થઈ...હે
ભગવાન! આપની કૃપાથી આજ અમારા ભવભ્રમણનો અંત આવ્યો. ભગવાન તો વીતરાગ છે, તેમને કોઈ
ઉપર કરુણાનો રાગ હોતો નથી, પણ સમકીતિને ભગવાન પ્રત્યે તેમજ પોતાના ગુરુ પ્રત્યે આવો ભક્તિનો
આહ્લાદ આવ્યા વિના રહેતો નથી. હે નાથ! ‘તારી કૃપાએ અમે આત્મબોધ પામ્યા ને હવે અલ્પકાળે અમારા
ભવનો નાશ થઈને મુક્તદશા થવાની છે–એમ જ આપે કેવળજ્ઞાનમાં જોયું છે’–એ જ આપની અમારા ઉપર
અકષાયી કરુણા છે, એ જ આપની પ્રસન્નતા અને મહેરબાની છે.
આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મુક્તિનો માર્ગ, તેના બોધનું નિમિત્ત સર્વજ્ઞભગવાનની વાણી
છે; તે વાણી યથાર્થપણે ઝીલીને જેમણે અંર્તસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રદશા પ્રગટ કરી,
એવા ધર્માત્માઓ–સાધુ–સજ્જનો–સમકીતિ સંતો કહે છે કે હે નાથ! આપ તો કેવળજ્ઞાન અને મોક્ષ પામીને
પરમાનંદથી તૃપ્ત....તૃપ્ત થયા... ને અમારા ઉપર પણ કરુણા કરીને અમને એ