Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 22

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ બારમું : સમ્પાદક : વૈશાખ
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
‘સંસાર હરામ છે.’
અરે, હવે આ દુઃખમય સંસારથી બસ થાવ... બસ થાવ! હવે મારે આ સંસાર ન
જોઈએ;––આમ સંસારની રુચિ છોડીને આત્માને ઝંખતો જે જીવ આવે છે તેને આત્મા
મળશે. સંસારનો એક કણીયો પણ જેને ગમતો હશે તે જીવ આત્મા તરફ નહિ વળી
શકે. જેને આત્માનું સુખ જોઈતું હશે તેને સંસાર નહિ મળે, અને જેને સંસાર રાખવો
હશે તેને આત્માનું સુખ નહિ મળે; કેમકે બંનેની દિશા જ જુદી છે. માટે હે જીવ! જો
તારે આનંદમૂર્તિ આત્મા જોઈતો હોય તો આખા સંસારને ‘હરામ’ કર, કે મારે હવે
સંસાર સ્વપ્ને પણ જોઈતો નથી. એક ચિદાનંદ આત્મા સિવાય શરીર કે વિકાર તે કાંઈ
મારું સ્વરૂપ નથી ને તેમાં ક્યાંય મારું સુખ નથી, હું તો જ્ઞાન છું, ને મારામાં જ મારું
સુખ છે. આમ અંતરમાં ગોતતાં આનંદમય આત્માની પ્રાપ્તિ થાય છે.
–પૂ. ગુરુદેવ.
સુખશક્તિના પ્રવચનમાંથી
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ∴ સોનગઢ (સૌરાષ્ટ્ર)