વર્ષ બારમું : સંપાદક: અષાઢ
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
• મરુ જીવન •
* આત્મા પરાશ્રયે જીવનારો નથી પણ પોતાની જીવત્વશક્તિથી જ
ત્રિકાળ જીવનારો છે.
* હે જીવ! જો તારે સાચું જીવન જીવવું હોય તો, જેનામાં જીવત્વશક્તિ
ભરેલી છે એવા તારા આત્માને તું જો.
* અનંતા સિદ્ધભગવંતો શરીર વગર જ પોતાના શુદ્ધચૈતન્યપ્રાણથી
પરમ સુખી જીવન જીવી રહ્યા છે.
* આત્માની આવી જીવનશક્તિને જે જાણે છે તેને મૃત્યુનો ભય રહેતો
નથી.
* અરે જીવ! તારા જીવનનું કારણ પરમાં ન શોધ; તારું જીવન પરના
આધારે નથી, પણ તારી જીવનશક્તિથી જ તું જીવી રહ્યો છે.
* આત્માની આવી જીવનશક્તિને જે જાણે છે તેને અનંતચતુષ્ટમય
મુક્ત જીવન પ્રગટે છે.
“जय ह ए जवन”
(જીવત્વશક્તન પ્રવચન ઉપરથ)
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, (સૌરાષ્ટ્ર)