: ૩૦૬ : : આસો: ૨૪૮ :
(૧૯) આવા દિવ્યજ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને, એના બહુમાનથી આચાર્યદેવ કહે છે કે
અહો! આ દિવ્યજ્ઞાનનો જેટલો મહિમા કરવામાં આવે તે બધોય યોગ્ય જ છે. જ્ઞાનસ્વભાવનો
આશ્રય કરીને આચાર્યદેવનું પોતાનું પરિણમન આવા દિવ્યજ્ઞાન તરફ વળી ગયું છે, તેની આમાં
જાહેરાત છે.
(૨૦) આવા દિવ્યમહિમાવંત જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે ત્યાં જ્ઞાનનું પરિણમન અંતર્મુખ
થયા વિના રહે નહિ; અંતર્મુખ થઈને પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય થતાં સર્વજ્ઞનો પણ યથાર્થ
નિર્ણય થયો, અને સ્વભાવની સાક્ષીથી પોતાને નિઃશંકતા થઈ કે બસ! હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન
અને મુક્તદશા ખીલી જશે, ને સર્વજ્ઞભગવાનના દિવ્યજ્ઞાનમાં પણ એમ જ દેખાઈ રહ્યું છે.
–દિવ્યજ્ઞાનની પ્રભુતાના નિર્ણયનું આવું ફળ છે.
‘આત્મધર્મ’ના લેખોની કક્કાવારી
[વર્ષ બારમું: અંક ૧૩ થી ૧૪]
સૂચના: –
(૧) આ અનુક્રમણિકામાં અંકના નંબરમાં ૩૩ થી ૪૪ નંબરો લખ્યા છે તેને બદલે દરેક ઠેકાણે (એકસો
ઉમેરીને) નં. ૧૩૩ થી ૧૪૪ સમજવા.
(૨) આ વર્ષમાં બે ભાદરવા માસ છે તેમાં પ્રથમ ભાદરવા માસના અંકને (–જેને ભૂલથી ૧૪૩ નંબર
અપાઈ ગયો છે તેને) ‘ખાસ અંક’ તરીકે ગણવાનો અને બીજા ભાદરવા માસના અંકને (જેને ભૂલથી ‘ખાસ
અંક’ નામ અપાયું છે તેને) નં. ૧૪૩નો અંક ગણવાનો છે. આ અનુક્રમણિકામાં પણ એ જ રીતે ગણવામાં
આવ્યું છે.
(૩) અંક ૧૩૪–૩૫ સંયુક્ત છે, તેથી જ્યાં ૩૪ નંબર લખ્યો હોય ત્યાં નં. ૧૩૪–૩૫નો તે સંયુક્ત અંક
સમજવો.
[અ......આ......ઉ......] (૧૮) ઉત્પાદ વ્યય ધુ્રવત્વ શક્તિ: ૧: ૩૯ ૧૪૫
વિષય અંક પૃષ્ઠ ઉત્પાદ વ્યય ધુ્રવત્વ શક્તિ: ૨: ૪૧ ૨૨૩
અચિંત્ય ચૈતન્યસ્વરૂપ ૩૮ ૧૫૩ ઉત્પાદ વ્યય ધુ્રવત્વ શક્તિ: ૩: ૪૩ ૨૩૭
અધિક માસનો અંક ખાસ ૨૬૯ અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ ૩૬ ૧૨૮
અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ ત્રિકાળ છે ૪૧ ૨૧૧ અપૂર્વ ૩૬ ૧૨૪
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની કેટલીક અમૃતનો વરસાદ ૪૧ ૨૧૦
શક્તિઓ [સમયસારની ૪૭ શક્તિઓ અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ ૩૬ ૧૧૧
ઉપરનાં પ્રવચનો] અશુદ્ધિ (અંક ૧૪૧ ની) ૪૨ ૨૩૨