તે બધા સિદ્ધદશામાં પણ હોય છે. સિદ્ધભગવાનને કાંઈ નયથી જોવાનું રહ્યું નથી, તેમને કાંઈ સાધવાનું બાકી નથી,
અહીં તો સાધકજીવ પોતે પોતાના આત્માને પ્રમાણ અને નય વડે સાધે છે તેની વાત છે.
વ્યાપ્ત અનંતધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. તે શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે જણાય છે. એટલું કહીને પછી
૪૭ નયો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવ્યું. શિષ્યને આ વાત સમજવાની ઝંખના છે, એટલે આ વાત વેઠથી નથી
સાંભળતો પણ અંતરમાં આત્માને સમજવાની ધગશથી સાંભળે છે, એવા શિષ્યને આ સમજાવ્યું છે.
આત્મદ્રવ્યનું કથન પૂરું કરીને પછી તેની પ્રાપ્તિની રીત કહેશે.
સુખ તો પોતાથી જુદી કોઈ પણ વસ્તુમાં ન હોય.
બહારમાં કયાંય તારું સુખ નથી, તારું સુખ તારામાં જ
ભર્યું છે; તે સુખના અનુભવ માટે તારા
વાસ્તવિકસ્વરૂપને તું ઓળખ.
કોઈ પણ સંયોગોના ભયથી તેઓ સમ્યક્ત્વથી ચ્યુત
થતા જ નથી, જે સ્વરૂપના અવલંબને સમ્યક્ત્વ થયું છે
તે સ્વરૂપના અવલંબને પોતાના સમ્યક્ત્વમાં તે નિઃશંક
અને નિર્ભયપણે પરિણમે છે. માટે સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક
અને નિર્ભય છે.