Atmadharma magazine - Ank 155
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 23

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૦૫ :
(૧૬) પ્રશ્ન:– કઈ ક્રિયાથી ધર્મ થાય?
ઉત્તર:– જ્ઞાનક્રિયા આત્માના સ્વભાવભૂત હોવાથી તે ધર્મ છે.
(૧૭) પ્રશ્ન:– કઈ ક્રિયાથી અધર્મ થાય?
ઉત્તર:– ક્રોધાદિ ક્રિયા પરભાવરૂપ હોવાથી તે બંધનનું કારણ છે, અને તેથી તે અધર્મ છે.
(૧૮) પ્રશ્ન:– શરીરની ક્રિયાથી ધર્મ કે અધર્મ છે કે નહિ?
ઉત્તર:– ના; શરીરની ક્રિયા તો જડની ક્રિયા છે, તેનાથી જીવને ધર્મ કે અધર્મ થતો નથી.
(૧૯) પ્રશ્ન:– જ્ઞાનક્રિયા એટલે શું?
ઉત્તર:– હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, ક્રોધાદિથી હું ભિન્ન છું–એમ જાણીને જ્ઞાનસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–
આચરણરૂપે પરિણમવું તે જ્ઞાનક્રિયા છે; તે ક્રિયા મોક્ષનું કારણ છે તેથી જ્ઞાનીઓ તે ક્રિયાનો નિષેધ કરતા નથી.
(૨૦) પ્રશ્ન:– ક્રોધાદિક્રિયા એટલે શું?
ઉત્તર:– જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ચૂકીને ‘ક્રોધાદિ તે જ હું’ એવી એકતાબુદ્ધિથી ક્રોધાદિમાં પરિણમવું તે
ક્રોધાદિક્રિયા છે, તે જીવનો સ્વભાવ નથી તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તે ક્રોધાદિક્રિયા મોક્ષનું કારણ
નથી પણ બંધનું કારણ છે માટે જ્ઞાનીઓ તેનો નિષેધ કરે છે.
(૨૧) પ્રશ્ન:– જ્ઞાનક્રિયાનો નિષેધ કેમ નથી?
ઉત્તર:– કેમકે તે ક્રિયા તો જીવના સ્વભાવભૂત જ છે, તેને તો આત્માની સાથે એકતા જ છે, તેથી તેનો
નિષેધ થઈ શકે જ નહિ. જ્ઞાનક્રિયાનો નિષેધ કરવાથી તો આત્માનો જ નિષેધ થઈ જાય. જેમ અગ્નિની
ઉષ્ણતાનો નિષેધ થઈ શકે નહિ, કેમ કે તે તેના સ્વાવભૂત છે, પણ અગ્નિમાંથી ધૂમાડાનો નિષેધ થઈ શકે કેમકે
તે પરભાવરૂપ છે; તેમ આત્માની જ્ઞાનક્રિયાનો નિષેધ થઈ શકે નહિ કેમ કે તે તો આત્માના સ્વભાવ સાથે
એકમેક હોવાથી સ્વભાવભૂત જ છે, પણા ક્રોધાદિ વિકારી ક્રિયાનો આત્મામાંથી નિષેધ થઈ શકે, કેમ કે તે
આત્માના સ્વભાવ સાથે એકરૂપ નથી પણ પરભાવરૂપ છે. આત્મા સાથે અભેદ થઈને એકતારૂપે પરિણમેલું
જ્ઞાન આત્માથી જુદું પડી શકતું નથી માટે તે જ્ઞાનક્રિયાનો નિષેધ નથી. પણ જ્ઞાન સાથે એકતારૂપ પરિણમતાં
ક્રોધાદિની રુચિ છૂટી જાય છે માટે તે ક્રોધાદિક્રિયાનો નિષેધ છે.
(૨૨) પ્રશ્ન:– ક્રિયાની કેટલી જાત?
ઉત્તર:– ક્રિયાની ત્રણ જાત– (૧) જ્ઞાનક્રિયા (૨) ક્રોધાદિક્રિયા અને (૩) જડક્રિયા.
(૨૩) પ્રશ્ન:– બંધ–મોક્ષનો સંબંધ કઈ ક્રિયા સાથે છે?
ઉત્તર:– જ્ઞાનક્રિયા અને ક્રોધાદિક્રિયા એ બંને અરૂપી છે, કે જીવમાં થાય છે. તેમાંથી જ્ઞાનક્રિયા તો મોક્ષનું
કારણ હોવાથી તે ધર્મ છે; ક્રોધાદિક્રિયા બંધનું કારણ હોવાથી તે અધર્મ છે. અને શરીરાદિ જડની ક્રિયા તો જીવથી
ભિન્ન હોવાથી તે બંધનું કે મોક્ષનું કારણ નથી, તેથી તેનાથી ધર્મ કે અધર્મ નથી.
(૨૪) પ્રશ્ન:– મોક્ષ કેમ થાય?
ઉત્તર:– જ્ઞાનક્રિયા અને ક્રોધાદિક્રિયા એ બંનેને ભિન્ન ભિન્ન જાણીને, જ્ઞાન સાથે જ અભેદતારૂપ પ્રવૃત્તિ
કરવી ને ક્રોધાદિ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ છોડવી, –આમ કરવાથી મોક્ષ થાય છે.
(૨૫) પ્રશ્ન:– આત્માને જ્ઞાન સાથે કેવો સંબંધ છે?
ઉત્તર:– જ્ઞાન સાથે આત્માને એકતારૂપ તાદાત્મ્ય–સંબંધ છે.
(૨૬) પ્રશ્ન:– ક્રોધાદિ સાથે આત્માને કેવો સંબંધ છે?
ઉત્તર:– ક્રોધાદિ ભાવો સાથે આત્માને સંયોગ–સંબંધ છે.
(૨૭) પ્રશ્ન:– ક્રોધાદિ ભાવો આત્માની જ પર્યાયમાં