Atmadharma magazine - Ank 170
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
બીજાનું દુઃખ મટાડવાનું દુઃખ
સર્વજ્ઞ ભગવાન કહે છે કે...અરે જીવ! તું શાંત થા...ધીરો
થા! બીજાનું જરાક દુઃખ દેખીને, એકાકારપણે તને એમ થઈ જાય
છે કે હું તેનું દુઃખ મટાડી દઉં, પણ હે ભાઈ! આખા જગતના બધા
જીવોના અનંત દુઃખને અમે શું નથી દેખતા! જગતના જીવોનું
દુઃખ દેખતા હોવા છતાં અમને એવી રાગવૃત્તિ નથી ઊઠતી કે “હું
આનું દુઃખ દૂર કરી દઉં.” પરના દુઃખનું જ્ઞાન તો છે, પણ
રાગબુદ્ધિ થતી નથી, માટે (અમારું ઉદાહરણ લઈને) હે જીવ! તું
સમજ કે આત્માનો સ્વભાવ તો જ્ઞાન જ છે; રાગ થાય તે
આત્માનો સ્વભાવ નથી, પરને દુઃખી દેખીને રાગ થાય કે રાગને
લીધે જીવ પરનું દુઃખ મટાડી શકે–એવું વસ્તુસ્વરૂપ નથી. આવું
વસ્તુસ્વરૂપ જાણવા છતાં, જ્ઞાનીને પણ જે કરુણાની શુભ વૃત્તિ
થઈ આવે છે તે પોતાની અસ્થિરતાને લીધે થાય છે. અરે રે! આ
અજ્ઞાની જીવો પોતાના આનંદનિધાનને ભૂલીને સંસારરૂપી
દુઃખસાગરમાં ડુબેલા છે; તેઓ પોતાના આનંદનિધાનને ઓળખે
તો જ તેનું દુઃખ મટે,–આવી અનુકંપા જ્ઞાનીને પણ રાગ વખતે
આવે છે. પણ આવી અનુકંપાને લીધે હું પરનું દુઃખ મટાડી દઉં–
એમ તે માનતા નથી, કેમ કે તે જાણે છે કે–જગતમાં સામા જીવોને
જે દુઃખ છે તે કોઈ સંયોગને લીધે નથી, પણ તે જીવો પોતે
પોતાના આનંદસ્વભાવને ભૂલી રહ્યા છે તેથી જ દુઃખી છે; અને તે
જીવો પોતે પોતાના આનંદસ્વરૂપને ઓળખીને તેમાં એકાગ્ર થાય
તો જ તેઓનું દુઃખ ટળે. તેને બદલે બીજો જીવ એકાગ્ર થાય તો જ
તેઓનું દુઃખ ટળે તેને બદલે બીજો જીવ માને કે “હું તેઓનું દુઃખ
મટાડી દઉં”–તો તે જીવ કાંઈ બીજાનું દુઃખ તો મટાડી શકતો
નથી, પણ “હું બીજાનું દુઃખ મટાડી દઉં” એવા મિથ્યા
અભિપ્રાયને લીધે તે જીવ પોતે દુઃખી થાય છે.
– પંચાસ્તિકાય...ગા. ૧૩૭ ના પ્રવચનમાંથી
મુદ્રકઃ હરિલાલ દેવચંદ શેઠ–આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.
પ્રકાશકઃ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર.