કાંઈ એકલો જ્ઞાનગુણ જ લક્ષિત નથી થતો પણ અનંતશક્તિસ્વરૂપ આખો આત્મા લક્ષિત થાય છે, કોઈ શક્તિ
જુદી નથી રહેતી. માટે જ્ઞાનલક્ષણ પણ આવા અનંતશક્તિસંપન્ન અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માને જ પ્રસિદ્ધ
કરે છે.
હોવા છતાં આત્મા જ્ઞાનમય છે; આત્માનો ભાવ જ્ઞાનમયપણું છોડતો નથી. ‘જ્ઞાનમાત્ર’ કહેતાં આત્માના બધા
ધર્મો સહિત સંપૂર્ણ ચૈતન્યવસ્તુ પ્રતીતમાં આવી જાય છે. આ ચૈતન્યવસ્તુ દ્રવ્યપર્યાયમય છે, અને ક્રમરૂપ
પ્રવર્તતી પર્યાયો તથા અક્રમરૂપ વર્તતા ગુણોના પરિણમનથી તે અનેકધર્મસ્વરૂપ છે. આવી ચૈતન્યવસ્તુને
‘અનેકાન્ત’ પ્રસિદ્ધ કરે છે. અનેકાન્ત તે જિનેન્દ્ર ભગવાનનું કોઈથી ન તોડી શકાય એવું અલંઘ્ય શાસન છે
બધી એકાન્ત માન્યતાઓને ક્ષણમાત્રમાં તોડી પાડે ને અનેકાન્ત સ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે એવું
અર્હંતદેવનું અનેકાન્ત શાસન જયવંત વર્તે છે.
છે. તારા સ્વરૂપમાં જરા પણ કમીના નથી કે તારે બીજા પાસેથી લેવા જવું પડે! તારામાં શી ખોટ છે કે તું બીજામાં
ગોતવા જાય છે? આત્માની સ્વભાવશક્તિમાં જે પૂર્ણ જ્ઞાન–આનંદ–પ્રભુતાનું સામર્થ્ય હતું તે જ અમે આત્મામાંથી
પ્રગટ કર્યું છે, બહારથી નથી આવ્યું...તારા આત્મામાં પણ તેવું સામર્થ્ય છે તેને તું જાણ..ને તેનો વિશ્વાસ કરીને તેની
સન્મુખ થા; એટલે તારી આત્મશક્તિમાંથી પરિપૂર્ણ જ્ઞાન–આનંદ–પ્રભુતા ખીલી જશે.
છૂટો રહે છે પણ પોતાના જ્ઞાનમાત્ર ભાવને તે કદી છોડતો નથી. જેમ સાકર મેલને છોડે છે પણ મીઠાશને નથી છોડતી,
જેમ અગ્નિ ધૂમાડાને છોડે છે પણ ઉષ્ણતાને નથી છોડતો, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા રાગાદિ વિકારભાવોને છોડે છે પણ
પોતાના જ્ઞાનભાવને કદી છોડતો નથી, માટે જ્ઞાનભાવવડે તારા આત્માને લક્ષમાં લઈને આત્માની પ્રસિદ્ધિ કર..
આત્માનો અનુભવ કર.
અવકાશ જ કયાં છે? ‘સીતાને આમ શોધું તો મળશે..’ એવો વિકલ્પ જ્ઞાની ધર્માત્માને (રામચંદ્રજીને) આવ્યો, છતાં
તે વખતેય જ્ઞાની વિકલ્પમય થઈને નથી પરિણમ્યા, તે વખતેય જ્ઞાનમયભાવરૂપે જ પરિણમ્યા છે; વિકલ્પને તો
જ્ઞાનભાવથી બહાર જ રાખ્યો છે.
જ્ઞાનમાત્રભાવપણે જ વર્તુ છું.–આવા નિર્ણયમાં જ્ઞાતાસ્વભાવનો અનંતપુરુષાર્થ છે...વિકાર તરફનો પુરુષાર્થનો વેગ તૂટી
ગયો છે...અલ્પ રાગ રહ્યો તેની નિરર્થકતા જાણી છે...જ્ઞાનમાત્રભાવપણે જ પરિણમતો પરિણમતો કંકુવરણે પગલે
કેવળજ્ઞાન લેવા માટે સાધક ચાલ્યો જાય છે.
ચૈતન્યના આનંદસમુદ્રમાં ડૂબકી મારીને અલ્પકાળમાં તે કેવળજ્ઞાનરત્ન પ્રાપ્ત કરે છે.