
છે એવા તે શેઠ વારંવાર પોતાની નિંદા કરતાં અને મુનિવરોની પ્રશંસા કરતાં, રથ–હાથી–પાયદળ તથા ઘોડેસવાર
વગેરેની મોટી સેના સહિત યોગીશ્વરોના પૂજન માટે શીઘ્રતાથી મથુરા તરફ ચાલ્યા. મહાવિભૂતિ સહિત અને
શુભધ્યાનમાં તત્પર એવા અર્હદત્ત શેઠ કારતક સુદ સાતમે મુનિવરોના ચરણોમાં આવી પહોંચ્યા. તે ધર્માત્માએ
વિધિપૂર્વક તે મુનિવરોને વંદના કરીને અતિ ભક્તિપૂર્વક પૂજન કર્યું, અને મથુરાનગરીમાં અનેક પ્રકારની મહાન શોભા
કરાવી. આખી મથુરાનગરી સ્વર્ગસમાન શોભવા લાગી.
કર્યું. મુનિવરોએ કહ્યુંઃ “આ સંસાર અસાર છે, એક વીતરાગતા જ સાર છે. જિનદેવનો કહેલો વીતરાગમાર્ગ જ
જગતના જીવોને શરણરૂપ છે. જિનધર્મઅનુસાર તેની આરાધના કરો.”
જીવોને સાતા થઈ, અનેક પ્રકારની સમૃદ્ધિ થઈ અને ધર્મની વૃદ્ધિ થઈ, માટે હે પ્રભો! કૃપા કરીને થોડા દિવસ આપ
અહીં જ બિરાજો.
ધારોે છે, જિનઆજ્ઞા પાળે છે, ને મહામુનિઓ કેવળજ્ઞાન પામીને મોક્ષ જાય છે. વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથ તો મોક્ષ
પધાર્યા, હવે આ ભરતક્ષેત્રમાં નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્દ્ધમાન એ ચાર તીર્થંકરો થશે. હે ભવ્ય!
જિનશાસનના પ્રતાપે મથુરાનો ઉપદ્રવ હવે દૂર થયો છે. હવે મથુરાના સમસ્ત લોકો ધર્મમાં તત્પર થજો, દયા પાળજો,
સાધર્મીઓનું વાત્સલ્ય કરજો, જિનશાસનની પ્રભાવના કરજો...ઘરેઘરે જિનબિંબ સ્થાપજો, જિનપૂજન તથા અભિષેકની
પ્રવૃત્તિ કરજો, તેથી સર્વત્ર શાંતિ થશે. જે જિનધર્મનું આરાધન નહિ કરે તેને જ આપદા આવશે, પરંતુ જેઓ જૈનધર્મનું
આરાધન કરશે તેનાથી તો આપદા એવી ભાગશે કે જેવી ગરૂડને દેખીને નાગણી ભાગે. માટે જિનધર્મની આરાધનામાં
સર્વ પ્રકારે તત્પર રહેજો..
મુનિઓને પારણું કરાવ્યું.
ઉપવન ફળ–ફૂલવડે શોભી ઉઠયાં, સરોવરમાં કમળો ખીલ્યાંઃ અને ભવ્યજીવોનાં હૃદયકમળ પ્રફુલ્લિત
થઈને ધર્મની આરાધનામાં તત્પર બન્યા. આ રીતે સપ્તર્ષિ મુનિ ભગવંતોના પ્રતાપે મથુરાનગરીનો
ઉપદ્રવ દૂર થઈ ગયો, અને મહાન ધર્મપ્રભાવના થઈ.
કરીને પરમપદને પામશે.