Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૯૨
છે. કોઈ મુનિ આહાર માટે જાય, ને કોઈ મુનિ આત્મધ્યાનમાં એકાગ્રપણે બેઠા હોય–આમ એક બીજાથી
નિરપેક્ષપણે વીતરાગભાવથી રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાધે છે. તેમ જગતની ગૂફામાં આ જીવાદિ છ
પ્રકારનાં દ્રવ્યો છે; તેઓ સ્વતંત્ર, એક બીજાથી નિરપેક્ષપણે પોતપોતાની પરિણતિમાં પરિણમી રહ્યા છે,
કોઈને કોઈની પરાધીનતા નથી. આમ તત્ત્વોની સ્વતંત્રતા જાણીને પરથી નિરપેક્ષપણે પોતાના
ચિદાનંદસ્વરૂપને ધ્યાવવું તે મોક્ષનો ઉપાય છે. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કહો, સ્વાનુભૂતિ કહો કે મોક્ષમાર્ગ કહો,
તે બધું એક જ છે.
સમયસારના માંગળિકમાં જ આચાર્યદેવ કહે છે કે
नमः समयसाराय स्वानुभूत्या चकासते
જુઓ, સ્વાનુભૂતિ તે જ આત્માની પ્રસિદ્ધિનો ઉપાય છે–એમ કહ્યુંઃ રાગ તે આત્માની પ્રસિદ્ધિનો ઉપાય
નથી. રાગવડે તો કર્મબંધન થાય છે. જ્ઞાનને અંતરમાં વાળીને રાગથી પાર ચિદાનંદસ્વરૂપનો સ્વાનુભવ કરવો તે
જ મુક્તિનો ઉપાય છે.
અહીં મુક્તાગિરિ સિદ્ધક્ષેત્ર ઉપર કરોડો મુનિવરો હારબંધ (સમશ્રેણીએ–સિદ્ધપણે) બિરાજે છે.
જેમ સમ્મેદશીખરજી સિદ્ધિધામની ઉપર અનંતા તીર્થંકરો અને મુનિવરો સિદ્ધપણે બિરાજી રહ્યા છે, તેમ
અહીંથી મુક્તિ પામેલા કરોડો મુનિવરો પણ બરાબર આ મુક્તાગિરિ ધામની ઉપર સિદ્ધક્ષેત્રમાં અત્યારે
સિદ્ધપણે બિરાજી રહ્યા છે; તીર્થયાત્રામાં એવા મુનિઓનું અને સિદ્ધભગવંતોનું સ્મરણ કરીએ છીએ.
આત્માની પૂર્ણાનંદસિદ્ધદશા સાદિઅનંત જ્યાંથી પ્રગટી તે સિદ્ધિધામ છે, અને તેના સ્મરણ માટે
સિદ્ધિધામની યાત્રા કરે છે. અહો! અહીંથી મુનિવરોએ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન લીધું, અને અહીંથી
મુનિઓ–તીર્થકરો ઊર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં જઈને બિરાજ્યા.....આમ ધર્માત્મા જીવો આત્માની
પૂર્ણદશાનું સ્મરણ કરીને તેની ભાવના ભાવે છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આદર કરી કરીને જ મુનિવરો મોક્ષ પામ્યા છે. ધર્માત્માનું કાર્ય શું? કે શુદ્ધ ચૈતન્ય
છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રાગની નાસ્તિ જ છે; એટલે જ્યાં શુદ્ધચૈતન્યસ્વરૂપનો આદર કર્યો ત્યાં રાગનો
આદર છૂટી જ જાય છે. શુદ્ધચૈતન્યની અસ્તિમાં ‘રાગને છોડું’ એવો નાસ્તિપક્ષનો વિકલ્પ પણ નથી.
શુદ્ધચૈતન્યના આદરમાં રાગ છૂટી જાય છે, પરંતુ ‘રાગ છોડું’ એવા વિકલ્પથી રાગ છૂટતો નથી.
અહીંથી જે કોઈ મુનિ મોક્ષ પામ્યા, કે આખા મનુષ્યક્ષેત્રમાંથી જે કોઈ મુનિ મોક્ષ પામ્યા, પામે છે કે
પામશે, તે બધાય મુનિઓ શુદ્ધચૈતન્યની આરાધનાથી રત્નત્રય પ્રગટ કરી કરીને જ મુક્તિ પામ્યા છે,
આહા! મુનિદશા શું ચીજ છે!! વારંવાર નિર્વિકલ્પ થઈને સ્વાનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે
છે. સ્વાનુભૂતિ કરતાં કરતાં ચૈતન્યગોળાને રાગથી તદ્ન જુદો પાડીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એવા ૩ાા
કરોડ મુનિવરો આ મુક્તાગિરિ ક્ષેત્રથી મુક્તિ પામ્યા....ને અત્યારે ઉપર સિદ્ધપણે તેઓ બિરાજી રહ્યા છે.
તે સિદ્ધ ભગવંતોને અમારા નમસ્કાર હો.
મુક્તાગિરિની યાત્રા કરાવીને.....મુક્તિનો માર્ગ દેખાડનાર....મુક્તિપુરીના
પથિક હે કહાન ગુરુદેવ! અમને પણ મુક્તિપંથમાં દોર્યા કરો.