ધ્યેય બનાવીને તેમાં લીનતાથી પરમાત્મા થઈ જાય છે.
નાની નાની ઉમરના સુંદર રાજકુમારો ભગવાનની
સભામાં જાય છે ને ભગવાનની વાણીમાં
ચિદાનંદતત્ત્વની વાત સાંભળતાં અંતરમાં ઊતરી જાય
છેઃ અહો! આવું અમારું ચિદાનંદતત્ત્વ! તેને જ ધ્યેય
બનાવીને હવે તો તેમાં જ ઠરશું, હવે અમે આ સંસારમાં
પાછા નહીં જઈએ.–આમ વૈરાગ્ય પામીને માતા પાસે
આવીને કહે છે કેઃ હે માતા! અમને રજા આપો...હવે
અમે મુનિ થઈને ચૈતન્યના પૂર્ણાનંદને સાધશું. માતા!
આ સંસારમાં તું અમારી છેલ્લી માતા છો, હવે અમે
બીજી માતા નહીં કરીએ....આ સંસારથી હવે અમારું મન
વિરક્ત થયું છે. હે માતા! હવે તો ચૈતન્યના આનંદમાં
લીન થઈને અમે અમારા સિદ્ધપદને સાધશું, ને આ
સંસારમાં ફરીને નહિ આવીએ. આ રીતે માતા પાસે
રજા લઈને, જેના રોમે રોમે વૈરાગ્યની છાયા છવાઈ
ગઈ છે એવા તે નાનકડા રાજકુમાર મુનિ થાય છે. –
અહા, એનો દેદાર! –જાણે નાનકડા સિદ્ધ ભગવાન
હોય! ધન્ય એ દશા! ધન્ય એ જીવન!