
શાસ્ત્રોના જ્ઞાનમાં આપ ઊંડા ઉતરેલા છો. દિગમ્બર ધર્મ જ એકલો આત્માની મુક્તિનો
માર્ગ છે–એવું સત્યજ્ઞાન આપને પ્રાપ્ત થયું છે. આપ આપના આત્મામાંથી પ્રગટ થતાં
પ્રકાશને અમ સૌ જૈનો પ્રત્યે ફેલાવો છો. આ રીતે આપ, માનવોની હૃદયભૂમિમાં
ધર્મનાં બીજ રોપી રહ્યા છો, નિઃસંદેહપણે આપ સ્વયં પરમાત્માના પ્રતિનિધિ છો.
પવિત્ર સ્વરૂપ એવા આપે અને આપના શિષ્યોએ ધર્મના પ્રચારાર્થે નિજ જીવન
વીતવી રહ્યા છો. જેવી રીતે પ્રાતઃકાળનો સૂર્ય પૃથ્વીતળના અંધકારને દૂર કરી દે છે તેવી
રીતે આપ અમારા સમાજના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યા છો.
જૈન ધર્મના પ્રચારના હેતુએ આપે કરેલાં પુષ્કળ ઉદારતાભર્યા કાર્યો અમને
અમારા મધ્યમાં આપનું ભાવભીનું સ્વાગત કરતાં અમને અત્યાનંદ થાય છે. હે
અને આપ આપના–ધર્મપિતા તરીકેના અને કૃપાપૂર્ણ–આશીર્વાદ આપો એવી વિનંતિ
કરીએ છીએ.