
છે–તૃપ્ત છે–સુખી છે. શક્તિપણે જે ગુણો હતા તે ગુણો સિદ્ધ ભગવાનને પર્યાયરૂપે વ્યક્ત થઈ ગયા
છે....અનંતગુણોની શક્તિથી ચૈતન્યકમળ પૂર્ણપણે ખીલી ગયું છે, ચૈતન્યશક્તિનો પૂર્ણ વિકાસ થઈ
ગયો છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એમ ત્રણ પ્રકારના જે આત્મા છે તેમાં સિદ્ધભગવંતો
પરમાત્મા છે, પરમ આત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા; ઉત્કૃષ્ટ ગુણો તેમને ખીલી ગયા છે તેથી તેઓ
પરમાત્મા છે.–તેઓ ક્્યાં રહે છે? ભાવથી તો પોતાના અનંતગુણ સમૂહમાં રહે છે, અને આકાશક્ષેત્રની
અપેક્ષાએ તેઓ લોકના ઉત્કૃષ્ટસ્થાને (લોકાગ્રે) બિરાજમાન છે. સિદ્ધ ભગવાન લોકમાં સર્વોત્કૃષ્ટ છે
ને તેમનું સ્થાન પણ લોકમાં સૌથી ઊંચું છે. તે સિદ્ધભગવંતો અભૂતપૂર્વ એવી સિદ્ધદશાને પામ્યા તે
પામ્યા....હવે અનંતકાળે પણ તેમાંથી ચ્યૂત થઈને સંસારમાં નહીં આવે, તેઓ તો સદાય સિદ્ધપણે જ
રહેશે. અરિહંત હોય તે સદાય અરિહંતપણે ન રહે અલ્પકાળે સિદ્ધ થઈ જાય, પરંતુ સિદ્ધ તો સદાય
સિદ્ધપણે જ રહે છે.
વ્યવહારથી જ લોકાગ્રે છે, નિશ્ચયથી તો તે પરમદેવ પોતાના સહજ પરમ ચૈતન્ય ચિંતામણિસ્વરૂપ
નિત્ય શુદ્ધ નિજરૂપમાં જ વસે છે. તે ભગવાન સર્વે દોષોને નષ્ટ કરીને દેહમુક્ત અશરીરી પરમાત્મા
થયા છે; એકલો અસંખ્યપ્રદેશી ચૈતન્ય પિંડ જ્ઞાનદર્શનથી યુક્ત છે.–આવા સિદ્ધિભગવંતો જગતમાં
અનંત છે. જગતમાં મનુષ્યો કરતાં સિદ્ધભગવંતો અનંતગણા છે. ત્રણલોકમાં ઉત્તમ હોય તો આ
સિદ્ધપદ જ છે, એનાથી બીજું કાંઈ ઉત્તમ નથી. શ્રી મુનિરાજ કહે છે કે અહા! આવા સિદ્ધપદની પ્રાપ્તિ
અર્થે હું સિદ્ધભગવાનને નમું છું ‘
तेरे घटमें जग बसे तामें तेरो राज।।४५।। [