Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DbQr
Tiny url for this page: http://samyakdarshan.org/GCPMib

PDF/HTML Page 15 of 17

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૦૨
છે–તૃપ્ત છે–સુખી છે. શક્તિપણે જે ગુણો હતા તે ગુણો સિદ્ધ ભગવાનને પર્યાયરૂપે વ્યક્ત થઈ ગયા
છે....અનંતગુણોની શક્તિથી ચૈતન્યકમળ પૂર્ણપણે ખીલી ગયું છે, ચૈતન્યશક્તિનો પૂર્ણ વિકાસ થઈ
ગયો છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એમ ત્રણ પ્રકારના જે આત્મા છે તેમાં સિદ્ધભગવંતો
પરમાત્મા છે, પરમ આત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા; ઉત્કૃષ્ટ ગુણો તેમને ખીલી ગયા છે તેથી તેઓ
પરમાત્મા છે.–તેઓ ક્્યાં રહે છે? ભાવથી તો પોતાના અનંતગુણ સમૂહમાં રહે છે, અને આકાશક્ષેત્રની
અપેક્ષાએ તેઓ લોકના ઉત્કૃષ્ટસ્થાને (લોકાગ્રે) બિરાજમાન છે. સિદ્ધ ભગવાન લોકમાં સર્વોત્કૃષ્ટ છે
ને તેમનું સ્થાન પણ લોકમાં સૌથી ઊંચું છે. તે સિદ્ધભગવંતો અભૂતપૂર્વ એવી સિદ્ધદશાને પામ્યા તે
પામ્યા....હવે અનંતકાળે પણ તેમાંથી ચ્યૂત થઈને સંસારમાં નહીં આવે, તેઓ તો સદાય સિદ્ધપણે જ
રહેશે. અરિહંત હોય તે સદાય અરિહંતપણે ન રહે અલ્પકાળે સિદ્ધ થઈ જાય, પરંતુ સિદ્ધ તો સદાય
સિદ્ધપણે જ રહે છે.
જેમ ઊંચા જિનમંદિરમાં સોનાના શિખર ઉપર સુંદર મણિ જડયો હોય ને શોભી ઊઠે, તેમ
સિદ્ધભગવંતો આ ત્રણલોકરૂપી મંદિરના શિખર ઉપર ચૂડામણિ જેવા શોભી રહ્યા છે. સિદ્ધભગવાન
વ્યવહારથી જ લોકાગ્રે છે, નિશ્ચયથી તો તે પરમદેવ પોતાના સહજ પરમ ચૈતન્ય ચિંતામણિસ્વરૂપ
નિત્ય શુદ્ધ નિજરૂપમાં જ વસે છે. તે ભગવાન સર્વે દોષોને નષ્ટ કરીને દેહમુક્ત અશરીરી પરમાત્મા
થયા છે; એકલો અસંખ્યપ્રદેશી ચૈતન્ય પિંડ જ્ઞાનદર્શનથી યુક્ત છે.–આવા સિદ્ધિભગવંતો જગતમાં
અનંત છે. જગતમાં મનુષ્યો કરતાં સિદ્ધભગવંતો અનંતગણા છે. ત્રણલોકમાં ઉત્તમ હોય તો આ
સિદ્ધપદ જ છે, એનાથી બીજું કાંઈ ઉત્તમ નથી. શ્રી મુનિરાજ કહે છે કે અહા! આવા સિદ્ધપદની પ્રાપ્તિ
અર્થે હું સિદ્ધભગવાનને નમું છું ‘
नमो सिद्धाणं’ –નિજ સ્વરૂપમાં સ્થિત એવા તે સિદ્ધભગવંતોને હું
ફરી ફરીને વંદું છે.
આ રીતે સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ઓળખીને તેમની સ્તુતિ કરી. બાકીના ત્રણ પરમેષ્ઠીનું સ્વરૂપ
હવે કહેશે.
જગતથી જુદો.........જગતનો જાણનાર
જગતથી જુદો એવો આ જીવ પોતે પોતાની સામે ન જોતાં
બહારમાં જગતની સામે જ જુએ છે, તેથી તે દુઃખી થાય છે. જગતનો
જાણનાર તો પોતે છે, જો પોતે પોતાની સામે જુએ તો દુઃખ ટળે ને
આત્મશાંતિ વેદાય. માટે, જગતનો મોહ છોડીને આત્માની સામે જોવાનો
ઉપદેશ આપતાં નાટક–સમયસારમાં કહે છે કે:–
ए जगवासी यह जगत इन्हसों तोहि न काज।
तेरे घटमें जग बसे तामें तेरो राज।।४५।। [
બંધદ્વાર]
હે ભવ્ય! આ સંસારી જીવોથી કે આ સંસારથી તારે કંઈ સંબંધ
નથી; તારા જ્ઞાનઘટમાં આખું જગત વસે છે, તેમાં જ તારું રાજ છે.
આખું જગત જ્ઞેયપણે તારા જ્ઞાનમાં ઝળકી રહ્યું છે, માટે જગતનો સંબંધ
છોડીને તારા જ્ઞાન સાથે સંબંધ જોડ, જ્ઞાનની સન્મુખ થા...તેમાં જ તારી
શોભા છે.