Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૧૩ :
ન ઓળખે ને ન નમે તેની કાંઈ ગણતરી નથી. પણ જે વિદ્વાન છે, ભેદજ્ઞાની છે, ધર્માત્મા છે તેઓ
ભગવાનને ઓળખીને ભગવાનના ચરણોમાં ઢળી પડે છે.
હે પદ્મપ્રભ જિનેન્દ્ર! આપનો મોક્ષ પ્રસિદ્ધ છે. આપનું કેવળજ્ઞાન અને મુક્તિ અમારા જ્ઞાનમાં
પ્રસિદ્ધ થઈ ગયા છે. તત્ત્વવિજ્ઞાનમાં આપ દક્ષ છો–ચતુર છો; અને બધુજનોને આપે મોક્ષની શિખામણ
આપી છે....આપની શિખામણ–આપનો ઉપદેશ મોક્ષને માટે જ છે અમારા જેવા મુનિઓ પણ આપના
ચરણે નમે છે ને આપે ઉપદેશેલા સ્વાશ્રયી મોક્ષમાર્ગને અનુસરીને મોક્ષને સાધે છે, તેથી આપ મોક્ષમાર્ગના
નેતા છો, કર્મના ભેદનાર છો, ને વિશ્વના જ્ઞાતા છો. આ રીતે અરિહંત ભગવાનને ઓળખીને તેમની
સ્તુતિ કરી.–આવા અરિહંત ભગવાન જગતમાં જયવંત છે,–સદાકાળ બિરાજમાન છે.
આ રીતે અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવ્યું; હવે સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ બતાવે છે:
(૨) કેવા છે સિદ્ધ પરમેષ્ઠી?
છે અષ્ટકર્મ વિનષ્ટ,
અષ્ટ મહાગુણે સંયુક્ત છે;
શાશ્વત, પરમ ને લોક–
અગ્ર બિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
આ વાત તો છે મોક્ષમાર્ગની; અંતરના શુદ્ધસ્વભાવના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કરીને જે મોક્ષમાર્ગને સાધી રહ્યો છે તેને સાધકપણામાં સમિતિ–ગુપ્તિ વગેરે વ્યવહાર
ચારિત્ર કેવું હોય તેનું આ વર્ણન છે. તે વ્યવહાર ચારિત્રમાં ભગવાન પંચ પરમેષ્ઠી પ્રત્યે બહુમાનનો
ભાવ હોય છે, તેથી અહીં પંચપરમેષ્ઠીનું સ્વરૂપ પાંચ ગાથાઓમાં વર્ણવ્યું છે.
સિદ્ધભગવંતો મોહાદિ આઠેય કર્મોથી રહિત છે ને સમ્યક્ત્વ આદિ મહાગુણોથી સહિત છે; તે
સિદ્ધભગવંતો લોકની ટોચે બિરાજમાન છે. તેઓ પરમ–ઉત્કૃષ્ટ અને નિત્ય છે.
હવે ટીકાકાર કહે છે કે અહો! આવા ભગવંત સિદ્ધપરમેષ્ઠી સિદ્ધિના પરંપરા હેતુભૂત છે.
સિદ્ધિનો પરંપરાહેતુ કોને?–કે સમ્યગ્દ્રષ્ટિને; અંશે સાક્ષાત્ કારણ (સમ્યગ્દર્શન આદિ) જેણે પ્રગટ કર્યું
હોય તેને જ પરંપરાહેતુનો આરોપ બીજામાં આવી શકે. જેને સિદ્ધપદના સાચા હેતુની જ ખબર નથી
અને વિપરીતહેતુ માને છે તેને માટે તો કોઈ પરંપરાહેતુ પણ કહેવાતું નથી અને સિધ્ધભગવાનને પણ
તે ઓળખતો નથી. સિદ્ધભગવાનને જે ખરેખર ઓળખે તે તો સ્વસન્મુખ થાય, અને સ્વસન્મુખ થઈને
મોક્ષમાર્ગ પ્રગટ કરતાં તેને સિદ્ધભગવાન પણ પરંપરા મોક્ષના હેતુ થયા. સિદ્ધભગવાનને જે ઓળખતો
જ નથી તેને તો સાક્ષાત્ કે પરંપરા એકેય પ્રકારે સિદ્ધિનો માર્ગ પ્રગટ્યો જ નથી. અને વાસ્તવિકપણે
સિદ્ધભગવાનને જે ઓળખે છે તેને અંતર્મુખ વલણ થઈને સિદ્ધિનો માર્ગ પ્રગટ્યા વગર રહેતો નથી, ને
તેમાં તેને સિદ્ધભગવાન નિમિત્ત છે ‘નિમિત્તરૂપ’ હોવા છતાં તે સિદ્ધભગવાન શું કાંઈ કરે છે?–ના;
પોતાના ભાવથી જ મોક્ષમાર્ગરૂપે પરિણમતા જીવોને તેઓ માત્ર નિમિત્ત છે.
સિદ્ધ ભગવાનનો આત્મા પણ પહેલાં સંસારદશામાં આઠ કર્મથી સહિત હતો, પછી આઠ કર્મને
નષ્ટ કરીને તેઓ સિદ્ધ પરમાત્મા થયા–તેમણે આઠ કર્મનો નાશ કઈ રીતે કર્યો–કે નિરવશેષપણે
અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી તેમણે આઠ કર્મનો
નાશ કર્યો. જુઓ, આમાં સિદ્ધભગવાનની ઓળખાણ કરાવતાં સાથે સાથે તે સિદ્ધ પદનો ઉપાય પણ
બતાવે છે. સિદ્ધપદનો ઉપાય કોઈ રાગાદિ બહિર્મુખભાવો નથી, પણ સંપૂર્ણપણે અંતર્મુખ એવું પરમ
શુક્લ ધ્યાન જ સિદ્ધપદનો ઉપાય છે. સહજ ચિદાનંદસ્વરૂપમાં અંતર્મુખ થઈને તેનું નિર્વિકલ્પ ધ્યાન તે
જ સિદ્ધપદનો ઉપાય છે. આવા ઉપાયથી તે સિદ્ધ ભગવંતોએ અષ્ટ કર્મોને નષ્ટ કર્યા છે.
અષ્ટ કર્મોને નષ્ટ કરીને તેમણે શું પ્રાપ્ત કર્યું છે! કે તે સિદ્ધ ભગવંતો ક્ષાયિક સમ્યક્ત્વ આદિ
અષ્ટ મહાગુણોથી સંયુક્ત છે; આઠ મહાગુણોથી તેઓ સંતુષ્ટ