: ૧૨ : આત્મધર્મ: ૨૦૨
સર્વજ્ઞની વ્યવહારસ્તુતિ છે, અને પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થવું તે સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિશ્ચયસ્તુતિ છે તે સર્વજ્ઞતાનો ઉપાય છે.
અરિહંત ભગવાન તીર્થંકરદેવને જન્મે ત્યારથી જ મલ–મૂત્રનો અભાવ ઈત્યાદિ દસ અતિશયો
હોય છે, ત્યાર પછી કેવળજ્ઞાન થતાં તેમને ઉપસર્ગનો અભાવ, કવલાહારનો અભાવ, વીસ હજાર હાથ
ઊંચે આકાશ ગમન ઈત્યાદિ દસ અતિશયો હોય છે; અને ગંધોદક વૃષ્ટિ, ધર્મચક્ર, અષ્ટમંગળ વગેરે ૧૪
અતિશયો દેવકૃત હોય છે.–આમ કુલ ૩૪ અતિશયો હોય છે.
આવા ચોત્રીસ અતિશયને જે ન ઓળખે અને અરિહંતદેવને પણ આહાર–મળ–રોગ વગેરે
મનાવે તે તો વ્યવહારથી પણ અરિહંત પરમેષ્ઠીને ઓળખતો નથી, એટલે અરિહંત પરમેષ્ઠી પ્રત્યે તેને
સાચી ભક્તિ પણ હોતી નથી. તો પછી તેને ચારિત્ર વગેરે તો ક્્યાંથી હોય?
અહીં તો નિશ્ચય રત્નત્રયની આરાધના પૂર્વક પંચપરમેષ્ઠીના ગુણોને ઓળખીને તેમની સ્તુતિ
કરે છે. પ્રદ્મપ્રભમુનિરાજ પ્રદ્મપ્રભજિનરાજની સ્તુતિ કરતાં કહે છે કે–આત્મગુણોનાં ઘાતક એવા
ઘનઘાતિ કર્મો તેને અર્હંત ભગવાને હણી નાખ્યા છે, અને ઘાતિકર્મોના નાશથી તે ભગવાન કેવળજ્ઞાન
આદિ ચતુષ્ટયને પ્રાપ્ત થયા છે. કેવા છે તે કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય? શ્રી મુનિરાજ કહે છે કે અહો! તે
કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત છે; તીર્થંકરને કેવળજ્ઞાન થતાં ત્રણ લોકમાં
આનંદમય ખળભળાટ થાય છે. આવા કેવળજ્ઞાનમય અરિહંત ભગવાનનો જે નિર્ણય કરે તેને પોતાના
અસંખ્ય આત્મપ્રદેશોમાં પણ આનંદનો ખળભળાટ થાય છે.
જુઓ, આમાં સ્તુતિ કરનાર અને સ્તુત્ય એ બંને પરમેષ્ઠી છે.–મુનિપરમેષ્ઠી અરિહંતપરમેષ્ઠીની
સ્તુતિ કરે છે, પાંચમા પરમેષ્ઠી પહેલા પરમેષ્ઠીની સ્તુતિ કરે છે. એક અરિહંત ભગવાન બીજા અરિહંત
ભગવાન વગેરેની સ્તુતિ ન કરે, કેમ કે તેઓ તે પૂર્ણ સ્વરૂપને પામી ગયેલા છે. પરંતુ આચાર્ય–
ઉપાધ્યાય–કે સાધુ–જેઓ હજી સાધક છે, તેઓ અરિહંત વગેરે પંચપરમેષ્ઠીની સ્તુતિ કરે છે. અહીં
સ્તુતિકાર પદ્મપ્રભમુનિરાજ પદ્મપ્રભુભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે–
સુસીમા માતાના સુપુત્ર શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર જયવંત છે.–કેવા છે તે જિનેન્દ્ર?–પ્રખ્યાત
તેમનું શરીર છે, એ વાત પ્રસિદ્ધ છે કે તીર્થંકર ભગવાનનું શરીર રોગ રહિત પરમ ઔદારિક છે,
ખોરાક વગર પણ તે હજારો લાખો વર્ષો સુધી એવું ને એવું રહે છે. વળી પ્રફુલ્લિત કમળ જેવાં
તેમનાં નેત્ર છે, અંતરમાં તો કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી અતીન્દ્રિય ચક્ષુ ખીલી ગયાં છે, ને
શરીરનાં ચક્ષુ પણ મહાસુંદર પ્રફુલ્લિત છે. સર્વોત્કૃષ્ટ પુણ્યરૂપ જે તીર્થંકરપદ તેનું તે રહેઠાણ છે.
પંડિત એટલે કે સાધક જીવોને વિકસાવવા માટે તે ભગવાન સૂર્યસમાન છે, જેમ સૂર્યને ઉદય થતાં
કમળ ખીલી ઊઠે છે તેમ સર્વજ્ઞનો નિર્ણય થતાં સાધકજીવના શ્રદ્ધા–જ્ઞાનકમળ ખીલી ઊઠે છે.
મુનિજનોરૂપી વનને ખીલવવા માટે તેઓ વસંતઋતુ જેવા છે. તથા કર્મની સેનાના તેઓ શત્રુ છે,
અને સર્વ જીવોને હિતરૂપ તેમનું ચરિત્ર છે. જો કે કોઈ જીવોનું હિત કરું–એવી રાગવૃત્તિનું ઉત્થાન
ભગવાનને નથી, પણ જે જીવ ભગવાનના વીતરાગી ચારિત્રને ઓળખે છે તે જીવનું હિત થાય છે,
તેથી ભગવાનનું ચારિત્ર તેને હિતરૂપ થયું–એમ કહેવાય છે. આ રીતે ભગવાનને ઓળખીને
સ્તુતિકાર કહે છે કે આવા પદ્મપ્રભ તીર્થંકર જયવંત છે.
પદ્મપ્રભમુનિરાજે પાંચ શ્લોક વડે પ્રદ્મપ્રભ પરમેષ્ઠીની સ્તુતિ કરી છે; બીજા શ્લોકમાં કહે છે કે
હે નાથ! સર્વ ગુણોનો સમૂહ આપનામાં એકઠો થયો છે તેથી આપ સર્વગુણના હ્યમાજ છો. કામદેવરૂપી
હાથીને નષ્ટ કરવામાં આપ સિંહ જેવા છો. દુષ્ટ કર્મોને આપે નષ્ટ કર્યા છે, ને સમસ્ત વિભાવરૂપી
સંસારનો ત્યાગ કર્યો છે. વળી હે નાથ! આપ સર્વ વિદ્યાઓનાં પ્રકાશક છો, આપનો આત્મા સ્વયં
સુખરૂપે પરિણમી ગયો છે; વિદ્વાનોનો સમૂહ આપના ચરણો પાસે ઢળી પડે છે. મૂર્ખ જીવો ભગવાનને