Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૧૧ :
પંચપરમેષ્ઠી
પ્રત્યે બહુમાન
(શ્રી નિયમસાર ગાથા ૭૧ થી ૭પ
ઉપરનાં પ્રવચનોમાંથી)

ધર્માત્માને પોતાને ચિદાનંદસ્વરૂપના આદરપૂર્વક ભગવાન પંચ પરમેષ્ઠી પ્રત્યે બહુમાન હોય છે.
સાધકને પોતાના આત્મા સ્વાનુભવથી કાંઈક પ્રત્યક્ષ છે અને કંઈક પરોક્ષ છે. નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં તો પોતાના પરમદ્રષ્ટિ એવા ચૈતન્યસ્વભાવને જ નમે છે ને તેનો જ
આદર કરે છે; તેને વ્યવહારસંબંધી રાગ છે તેમાં ભગવાન અરિહંતદેવ વગેરે પંચપરમેષ્ઠીનું બહુમાન–
વિનય હોય છે. અહીં તે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ કુંદકુંદાચાર્યદેવ વર્ણવે છે,–તેઓ પોતે ત્રીજા પરમેષ્ઠી
પદમાં વર્તી રહ્યા છે ને પંચપરમેષ્ઠીના બહુમાનપૂર્વક તેનું સ્વરૂપ દર્શાવે છે.
(૧) કેવા છે અરિહંત–પંચમેષ્ઠી?
ઘનઘાતિકર્મ વિહીન ને
ચોત્રીશ અતિશય યુક્ત છે,
કૈવલ્યજ્ઞાનાદિ પરમગુણ
યુક્ત શ્રી અર્હંત છે. ૭૧
પહેલાં અજ્ઞાનદશામાં અથવા છદ્મસ્થદશામાં આત્મા પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મોવડે પોતાના
જ્ઞાનાદિ ગુણનો ઘાત કરતો હતો અને તે ગુણઘાતમાં ઘાતિકર્મો નિમિત્ત હતા. પરંતુ ભગવાન
અરિહંતદેવે પોતાના ચિદાનંદસ્વરૂપમાં પ્રવેશીને સમસ્ત ભાવકર્મોનો નાશ કરીને પોતાના કેવળ
જ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટ કર્યા, ને ઘાતિકર્મોનો ઘાત કર્યો. આ રીતે આત્માને પરમ ઈષ્ટરૂપ એવા ચતુષ્ટય
પ્રગટ કરીને તેઓ પરમેષ્ઠી થયા.
તે અરિહંતપરમેષ્ઠી જ્ઞાનાવરણાદિ ચાર ઘનઘાતિ કર્મોથી રહિત છે, અને કેવળજ્ઞાનાદિ ચાર
પરમગુણોથી સહિત છે. કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય કેવા છે?–કે ત્રણ લોકને પ્રક્ષોભના હેતુભૂત છે. અહા!
કેવળજ્ઞાનનો અચિંત્યમહિમા ત્રણલોકને આશ્ચર્ય પમાડનાર છે; અથવા તીર્થંકર ભગવાનને જ્યારે
કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે ત્રણલોકમાં આનંદમય ખળભળાટ છવાઈ જાય છે. આવા કેવળજ્ઞાનમય
અરિહંત પરમેષ્ઠીને ઓળખ્યા વગર વ્યવહારચારિત્ર પણ હોઈ શકતું નથી.
કેવળજ્ઞાનાદિ ચતુષ્ટ તે તો અરિહંતદેવના પરમાર્થ અતિશય છે, ને વ્યવહારથી સ્વેદરહિતપણું
વગેરે ૩૪ અતિશયો છે. અરિહંતદેવના કેવળજ્ઞાનાદિનું બહુમાન તે