: ૧૦ : આત્મધર્મ: ૨૦૨
આ ત્મા ને ક્્યાં શો ધ વો?
તોહીમેં હૈ તોહી સુઝત નાંહી
રે રુચિવંત પચારિ કહે ગુરુ,
તુ અપનોં પદ બુઝત નાંહી.
ખોજું હિયે નિજ ચેતન લક્ષન,
હૈ નિજમેં નિજ ગુઝત નાંહી..
શુદ્ધ શુદ્ધ સદા અતિ ઉજ્જલ,
માયાકે ફંદ અરુઝત નાંહી.
તેરો સરૂપ ન દુંદકી દોહીમેં,
તોહીમેં હૈ તોહી સુઝત નાંહી
(બંધદ્વાર : ૪૭)
શ્રી ગુરુ સંબોધન કરીને કહે
છે કે હે ભવ્ય! તું તારા સ્વરૂપને
પહિચાનતો નથી; તારા અંતરમાં
ચૈતન્ય ચિહ્નને ઢૂંઢ! તે તારામાં જ
છે, તારાથી ગુપ્ત નથી. તું શુદ્ધ,
સ્વાધીન અને અત્યંત નિર્વિકાર
છો. તારી આત્મસત્તામાં માયાનો
પ્રવેશ નથી. તારું સ્વરૂપ ભ્રમજાળ
કે દુવિધાથી રહિત છે.–તે તારામાં
જ છે પણ તને સુઝતું નથી.
મોહીમેં હૈ મોહી સુઝત નીકે
કેઈ ઉદાસ રહેં પ્રભુ કારન,
કેઈ કહેં ઉઠિ જાંહી કહીંકે.
કેઈ પ્રણામ કરેં ગઢિ મૂરતિ,
કેઈ પહાર ચઢેં ચઢિ છીકેં.
કેઈ કહેં અસમાંનકે ઉપરિ,
કેઈ કહે પ્રભુ હેઠિ જમીંકે.
મેરો ધની નહિ દૂર દિસન્તર,
મોહીમેં હૈ મોહી સુઝત નીકે..
(બંધદ્વાર : ૪૭)
આત્માને જાણવા માટે અર્થાત્
ઈશ્વરની ખોજ કરવા માટે કોઈ તો
બાવાજી બની ગયા છે, કોઈ બીજા
ક્ષેત્રમાં યાત્રા આદિ કરે છે, કોઈ
પ્રતિમા બનાવીને નમન–પૂજન કરે
છે. કોઈ છીંકા ઉપર બેસીને પહાડ
ચઢે છે, કોઈ કહે છે કે ઈશ્વર
આકાશમાં છે. કોઈ કહે છે કે
પાતાળમાં છે; પરંતુ અનુભવી જ્ઞાની
કહે છે કે મારો પ્રભુ! મારો આત્મા
ક્્યાંય દૂર દેશમાં નથી; તે મારામાં
જ છે અને મને બરાબર અનુભવમાં
આવે છે.
આત્મા પોતે પોતામાં જ છે ને અંર્તદ્રષ્ટિથી તે બરાબર સુઝે છે, એ
સિવાય બહારના કોઈ ઉપાયથી તે સુઝતો નથી.–આ સંબંધી કેવું સુંદર અને
સરળ કથન ઉપરના બે કવિતામાં બનારસીદાસજીએ કર્યું છે!